હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ગુનાહોમાંથી ચાર ગુનાહ એવા છે કે જેનો અઝાબ આખેરતની સાથે સાથે આ દુનિયામાં પણ મરવા પહેલા મળવાનો છે:
1. નમાઝ ન પઢવાનો અઝાબ
2. માં બાપને પરેશાન કરવાનો અઝાબ
3. ખોટી કસમ ખાવાનો અઝાબ
4. ગીબત કરવાનો અઝાબ
(જામેઓ અહાદિસુસ શીઆ ભાગ ૧૯ પેજ ૪૪૭)
1. નમાઝ ન પઢવાનો અઝાબ
2. માં બાપને પરેશાન કરવાનો અઝાબ
3. ખોટી કસમ ખાવાનો અઝાબ
4. ગીબત કરવાનો અઝાબ
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જયારે બજાર માંથી કોઈ વસ્તુ ખરીદો તો છોકરાને આપવા પહેલા તે વસ્તુ છોકરીને આપો એટલે તે ખુશ થાય અને તમારા ગુનાહ માફ થઈ જાય અને અલ્લાહની રહમત તમારી ઉપર નાઝીલ થાય.
(વસાએલુશ શીઆ)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ખુબજ નજીક મારા જીગરનો એક ટુકડો ખુરાસાનમાં દફન થશે જે કોઈ પરેશાનીમાં હોય, અને તેમની ઝિયારત કરશે તો અલ્લાહ તઆલા તેની પરેશાનીને દૂર કરી દેશે અને અગર કોઈ ગુનેહગાર તેમની ઝિયારત કરશે તો તેના ગુનાહોને માફ કરી દેવામાં આવશે.
(અમાલી શૈખ સદુક પેજ ૧૧૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
એકબીજા સાથે વિવાદ (ઈખ્તેલાફ) ન કરો કેમકે તમારી પહેલા પણ જે લોકોએ વિવાદ કર્યો તે લોકો નાબૂદ થઈ ગયા.
(એલલુશ શરાયેઅ ભાગ ૧ પેજ ૨૬૫)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બેશક અલ્લાહ તઆલા હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલય્હા ની નારઝગી થી નારાઝ થાય છે અને તેમની ખુશી થી ખુશ થાય છે.
(કંઝૂલ આમાલ ભાગ ૧૨ પેજ ૧૧૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
લોકોની સાથે હળીમળીને એકતાની સાથે રેહશો તો મહેરબાની વધશે અને લડાઈ-જગદો કરશો તો અઝાબનું કારણ બનશો.
(નેહજુલ ફસાહત હદીસ ૧૩૨૩)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
તમે તમારી નમાઝ ઉપર ધ્યાન રાખો અને કોઈ દિવસ નમાઝને છોડો નહિ કેમકે અલ્લાહ તઆલા કયામતના દિવસે બધાજ કરતા પહેલા નમાઝની માટે સવાલ પૂછશે અગર તમે તમારી નમાઝ બરાબર ટાઇમે પઢી અને સરખી રીતે પઢી તો ઠીક છે, નહિ તો તમને જહન્નમના હવાલે કરી દેવામાં આવશે.
(ઈર્શાદાતે રસુલ પેજ ૧૨૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કોઈ પણ ગુનાહ ને હલકો ન સમજો, ઇન્સાન કયામતના દિવસે જ્યારે પોતાના ગુનાહ તરફ જોશે તો લોહી ના આંસુ રડશે
અને તે ન જોવો કે ગુનાહ કેટલો હલકો અને નાનો છે પરંતુ એ જોવો કે તમે કોની વિરૂદ્ધ જઈ રહ્યા છો
(બિહારૂલ અનવાર ભાગ ૭૭ પેજ ૧૬૮)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
શૈતાન મોમીનથી ત્યાં સુધી ડરે છે જ્યાં સુધી મોમીન વક્તની પાબંદી સાથે નમાઝ અદા કરે છે અને જયારે તે નમાઝમાં ઢીલ આપવા લાગે છે ત્યારે શૈતાન તેના ઉપર હાવી થઈ જાય છે અને ગુનાહે કબીરા તરફ ખેચીને લઇ જાય છે.
(ઓયુને અખબારે રેઝા બાબ ૩૦ હદીસ ૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
મુનાફિકની ત્રણ નિશાનીઓ છે પછી ભલે તે નમાઝ પઢે રોઝા રાખે અને પોતાને મુસલમાન કહેતો હોય
1. ખોટું બોલતો હોય તે મુનાફિક છે
2. વચનોને પાળતો ન હોય તે મુનાફિક છે
3. વિશ્વાસઘાત કરે તે મુનાફિક છે
(અલકાફી ભાગ ૨ પેજ ૨૯૦)
1. ખોટું બોલતો હોય તે મુનાફિક છે
2. વચનોને પાળતો ન હોય તે મુનાફિક છે
3. વિશ્વાસઘાત કરે તે મુનાફિક છે
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
શું હું તમને દુનિયા અને આખેરત બન્ને જગ્યા માં ફાયદો આપે એવી અખલાકની વાત કહું?
તે વાત એ છે કે તમે કોઈની સાથે સબંધ અને વ્યવહાર તોડો નહિ અને અગર કોઈ તોડી નાખે તો પણ તમે એમની સાથે સબંધ બાંધીને રાખો, જે તમને વંચિત રાખે (મેહરૂમ કરે) તેમને પણ તમે અતા કરો (દાન કરો), જે તમારી ઉપર અત્યાચાર કરે તમે તેમને માફ કરી દયો.
(તોહફુલ ઓકુલ પેજ ૨૯)
તે વાત એ છે કે તમે કોઈની સાથે સબંધ અને વ્યવહાર તોડો નહિ અને અગર કોઈ તોડી નાખે તો પણ તમે એમની સાથે સબંધ બાંધીને રાખો, જે તમને વંચિત રાખે (મેહરૂમ કરે) તેમને પણ તમે અતા કરો (દાન કરો), જે તમારી ઉપર અત્યાચાર કરે તમે તેમને માફ કરી દયો.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
શાદી કરવાથી ઇન્સાન પોતાનો અડધો દીન બચાવી લે છે:
(મુસ્તદરેકુલ વસાએલ ભગા ૧૪ પેજ ૧૫૪)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
તમારો બેહતરીન દોસ્ત એ છે કે જયારે તમે અલ્લાહ તઆલાને યાદ કરો ત્યારે તમારો સાથ આપે અને જયારે તમે અલ્લાહને ભૂલી જાવ ત્યારે તમને યાદ અપાવે કે અલ્લાહને યાદ કરો.
(નેહજુલ ફસાહત હદીસ ૧૪૭૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે ઇન્સાન ૪૦ દિવસ સુધી હલાલ ખાવાનું ખાશે તો અલ્લાહ તઆલા તેના દિલને નૂરાની કરી દેશે.
(ઈર્શાદાતે રસુલ હદીસ ૮૫૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
મારી ઉમ્મતના ચાર અલગ અલગ ગ્રુપ છે
1. એ છે જે નમાઝતો પઢે છે મગર તેમાં સુસ્તી કરે છે તેને હલ્કી સમજે છે તેઓને કુરઆનમા "વયૅલ" "ویل" કેહવમા આવ્યું છે
વાય છે(અફસોસ છે) તે નમાઝી ઉપર કે જે નમાઝ ને હલ્કી સમજે છે
(સૂરએ માઉન આયત ૫-૬)
2. એ છે કે જે ક્યારેક નમાઝ પઢે છે અને ક્યારેક નમાઝ નથી પઢતા તેની માટે કુરઆનમાં "ગય" "غی" કહેવામાં આવ્યું છે એટલે કે નમાઝનું ધ્યાન નથી રાખતા અને હવસની પેરવી કરે છે તેને જહન્નમના છેલ્લા ભાગમાં નાખવામાં આવશે.
(સૂરએ મરયમ આયત ૫૯)
3.એ છે કે જે અમુક દિવસે નમાઝ પઢે અને અમુક વખત નથી પઢતા તેમની માટે કુરઆનમાં "સકર" "سقر" કેહવામ આવ્યું છે જયારે તેઓને પૂછવામાં આવશે કે તમને જહન્નમના બિલકુલ છેલ્લા તબક્કામાં કેમ નાખવામાં આવ્યા? તો તેઓ કહેશે કે અમે નમાઝ નોહતા પઢતા.
(સૂરએ મુદ્દસિર આયત ૪૩)
4. અમુક એ છે કે જે દિલથી નમાઝ પઢતા હશે જેમની માટે કુરઆન માં આવ્યું છે "અફલહ" "افلح" એટલે અમૂક એવા સાચા લોકો છે જેને નજાત મળી ગઈ કેમકે તેઓ દિલથી નમાઝ પઢતા હતા.
(સૂરએ મોમેનુન આયત ૧-૨)
(અલ્મવાએઝુલ અદ્દિયા બાબે ૪ પેજ ૧૨૨)
1. એ છે જે નમાઝતો પઢે છે મગર તેમાં સુસ્તી કરે છે તેને હલ્કી સમજે છે તેઓને કુરઆનમા "વયૅલ" "ویل" કેહવમા આવ્યું છે
વાય છે(અફસોસ છે) તે નમાઝી ઉપર કે જે નમાઝ ને હલ્કી સમજે છે
(સૂરએ માઉન આયત ૫-૬)
2. એ છે કે જે ક્યારેક નમાઝ પઢે છે અને ક્યારેક નમાઝ નથી પઢતા તેની માટે કુરઆનમાં "ગય" "غی" કહેવામાં આવ્યું છે એટલે કે નમાઝનું ધ્યાન નથી રાખતા અને હવસની પેરવી કરે છે તેને જહન્નમના છેલ્લા ભાગમાં નાખવામાં આવશે.
(સૂરએ મરયમ આયત ૫૯)
3.એ છે કે જે અમુક દિવસે નમાઝ પઢે અને અમુક વખત નથી પઢતા તેમની માટે કુરઆનમાં "સકર" "سقر" કેહવામ આવ્યું છે જયારે તેઓને પૂછવામાં આવશે કે તમને જહન્નમના બિલકુલ છેલ્લા તબક્કામાં કેમ નાખવામાં આવ્યા? તો તેઓ કહેશે કે અમે નમાઝ નોહતા પઢતા.
(સૂરએ મુદ્દસિર આયત ૪૩)
4. અમુક એ છે કે જે દિલથી નમાઝ પઢતા હશે જેમની માટે કુરઆન માં આવ્યું છે "અફલહ" "افلح" એટલે અમૂક એવા સાચા લોકો છે જેને નજાત મળી ગઈ કેમકે તેઓ દિલથી નમાઝ પઢતા હતા.
(સૂરએ મોમેનુન આયત ૧-૨)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
તમે તમારા બચ્ચાઓને તરબિયત મારી મોહબ્બતથી મારા અહલેબૈતની મોહબ્બતથી અને કુરઆનની મોહબ્બતથી કરો
(અહકાકુલ હક ભાગ ૧૮ પેજ ૪૯૮)
નોટ: રસૂલની આ વાત ઉપર આપણે કેટલો અમલ કરીએ છીએ?
આજના જમાનામાં આપણે આપણા બચ્ચાઓને શું સિખવાડીએ છીએ – રસૂલ અને આલે રસૂલની મોહબ્બત કરતા કે દુનિયાની બીજી બધી વસ્તુથી મોહબ્બત કરતા?
આખો દિવસ દુનિયા દુનિયા, ન કોઈ છોકરું કુરઆન પઢતું હોય, ન કોઈ બચ્ચું ઇસ્લામી બુક્સ વાચતું હોય, ન કોઈ મજલીસમાં બેઠતું હોય અથવા મજલીસમાં બેઠે તો પણ મજલીસ ન સાંભળતું હોય મોબાઈલ થી રમતા હોય, બસ બધા લોકો પોતાની દુનિયામાં મસ્ત છે.
ભાઈ, આ દુનિયા આજે છે કાલે નથી, કાલે મરવાનું છે અને મર્યા પછી આખેરતમાં કુરઆન અને એહલેબૈત કામ આવશે તો પોતાની આખેરતને સુધારો, દુનિયા ખુદબખુદ બની જશે.
આજના જમાનામાં આપણે આપણા બચ્ચાઓને શું સિખવાડીએ છીએ – રસૂલ અને આલે રસૂલની મોહબ્બત કરતા કે દુનિયાની બીજી બધી વસ્તુથી મોહબ્બત કરતા?
આખો દિવસ દુનિયા દુનિયા, ન કોઈ છોકરું કુરઆન પઢતું હોય, ન કોઈ બચ્ચું ઇસ્લામી બુક્સ વાચતું હોય, ન કોઈ મજલીસમાં બેઠતું હોય અથવા મજલીસમાં બેઠે તો પણ મજલીસ ન સાંભળતું હોય મોબાઈલ થી રમતા હોય, બસ બધા લોકો પોતાની દુનિયામાં મસ્ત છે.
ભાઈ, આ દુનિયા આજે છે કાલે નથી, કાલે મરવાનું છે અને મર્યા પછી આખેરતમાં કુરઆન અને એહલેબૈત કામ આવશે તો પોતાની આખેરતને સુધારો, દુનિયા ખુદબખુદ બની જશે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
છેલ્લા ઝમાનાની ઓલાદોને તેમના માં-બાપના લીધે મુસીબતો પડવાની છે,
લોકોએ પૂછ્યું મુશરિક માં-બાપના લીધે?
આપ હઝરત ફરમાવ્યું મોમીન માં- બાપના લીધે કેમકે તેઓ પોતાના બચાઓને દીની માલુમાત અને વાજીબાત નહિ શિખવાડે તે માટે, અને ઓલાદ દિની માલુમાત સિખવા માંગશે તો પણ તેઓ તેને રોકશે અને તેમને આ ખતમ થવા વાળી દુનિયાને હાસીલ કરવામાં સંતોષ દેવરાવશે, તેવા લોકોથી હું બેઝાર છું કારણકે તેઓ મારાથી બેઝાર હતા.
(મુસ્તદરકુલ વસાએલ ભાગ ૨ પેજ ૨૦૫)
લોકોએ પૂછ્યું મુશરિક માં-બાપના લીધે?
આપ હઝરત ફરમાવ્યું મોમીન માં- બાપના લીધે કેમકે તેઓ પોતાના બચાઓને દીની માલુમાત અને વાજીબાત નહિ શિખવાડે તે માટે, અને ઓલાદ દિની માલુમાત સિખવા માંગશે તો પણ તેઓ તેને રોકશે અને તેમને આ ખતમ થવા વાળી દુનિયાને હાસીલ કરવામાં સંતોષ દેવરાવશે, તેવા લોકોથી હું બેઝાર છું કારણકે તેઓ મારાથી બેઝાર હતા.
હઝરત રસૂલે અકરમ સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે ઔરતો પાંચ ટાઈમની નમાઝ પઢે છે અને રમઝાન મહિનામાં રોઝા રાખે છે અને પોતાને પાકો પાકીઝા રાખે છે અને તે પોતાના શોહરની ખિદમત કરે છે અને તેમના હુકમો ઉપર અમલ કરે છે તો તે જન્નતના જે પણ દરવાજા માંથી ચાહશે દાખલ થઈ શકશે.
(મન લા યહઝરહુલ ફકીહ ભાગ,૩ પેજ,૪૪૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલ્લાહ તઆલા આ ત્રણ વસ્તુ કરવા વાળાને પસંદ કરે છે:-
ઓછું બોલવું
ઓછું ખાવું
અને ઓછું ઊંઘવું.
(મફાતીહુલહયાત પેજ ૧૪૯)
ઓછું બોલવું
ઓછું ખાવું
અને ઓછું ઊંઘવું.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બાપ ની દુઆ ઓલાદ માટે એવીજ રીતે છે જેવી નબી ની દુઆ ઉમ્મત માટે.
(નેહજૂલ ફસાહત હદીસ ૧૫૫૬)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ પોતાની માં ની પૈશાની (કપાળ) ને એહતેરામ થી ચૂમશે તો તે જહન્નમ ની આગ થી નજાત પામશે.
(નેહજુલ ફસાહત હદીસ ૨૯૧૭)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે ઓરત પોતાને શણગારી ને અને ખૂબસૂરત લીબાસ પેહરીને ઘરની બહાર જાય કેમકે લોકો તેને જોવે તો આસમાન ના ફરિશ્તાઓ તેની ઉપર લાનત મોકલે છે અને જયા સુધી મોત ન આવે ત્યાં સુધી અલ્લાહ તેની ઉપર ગઝબનાક થતો રહેશે.
(અલ્હુકમુઝ ઝોહરા ભાગ ૨ પેજ ૩૬૬)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જેવી રીતે બચ્ચાઓ માટે જરૂરી છે કે તે પોતાના માં બાપ ની બે-એહતેરામી ન કરે એવીજ રીતે જરૂરી છે કે માં બાપ પણ પોતાના બચ્ચાઓ ની બે-એહતેરામી ન કરે.
(મિઝાનુલ હિકમત ભાગ ૩ પેજ ૫૦૮)
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જહન્નમ ના ચોથા દરવાજા ઉપર આ ત્રણ વસ્તુ લખેલી છે
1. ખુદા ઝલીલ અને ખ્વાર કરે જે ઇસ્લામને બદનામ કરે છે.
2. ખુદા ઝલીલ અને ખ્વાર કરે જે એહલેબયત અ.સ ની તોહિન અને અપમાન કરે છે.
3. ખુદા ઝલીલ અને ખ્વાર કરે એ લોકો ને, જે લોકો ની મદદ કરવાના બદલે તેમની ઉપર ઝુલ્મ અને અત્યાચાર કરે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૮ પેજ ૧૪૪)
1. ખુદા ઝલીલ અને ખ્વાર કરે જે ઇસ્લામને બદનામ કરે છે.
2. ખુદા ઝલીલ અને ખ્વાર કરે જે એહલેબયત અ.સ ની તોહિન અને અપમાન કરે છે.
3. ખુદા ઝલીલ અને ખ્વાર કરે એ લોકો ને, જે લોકો ની મદદ કરવાના બદલે તેમની ઉપર ઝુલ્મ અને અત્યાચાર કરે છે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
તમારા મરહુમિન માટે હદિયો મોકલો.
એક સહાબી પુછે છે હદિયો કેવી રીતે મોકલીએ?
સદકો આપીને, અને દુઆ કરીને, કેમકે દર જુમ્માના મર્હુમો ની રૂહ તેમના દુનિયાના ધર પાસે આવીને ગમગીન અવાજ આપી પુકારે છે અય મારા સગાહવાળાઓ! મારી ઉપર મહેરબાની કરો અમારી ઉપર અહીંયા સખ્ત સવાલ જવાબ થઈ રહ્યા છે તો તમે લોકો અમારી માટે કોઈ નૈક કામ કરીને, કોઈ મોહતાજને દિરહમ આપીને (ચાંદીના સિક્કા જેટલા રૂપિયા), કોઈ ગરીબને કપડા આપીને મદદ કરો એટલે અલ્લાહ તમને જન્નતના કપડા પેહરાવે.
(મફાતેહુલ જીનાન પેજ ૮૬૪)
એક સહાબી પુછે છે હદિયો કેવી રીતે મોકલીએ?
સદકો આપીને, અને દુઆ કરીને, કેમકે દર જુમ્માના મર્હુમો ની રૂહ તેમના દુનિયાના ધર પાસે આવીને ગમગીન અવાજ આપી પુકારે છે અય મારા સગાહવાળાઓ! મારી ઉપર મહેરબાની કરો અમારી ઉપર અહીંયા સખ્ત સવાલ જવાબ થઈ રહ્યા છે તો તમે લોકો અમારી માટે કોઈ નૈક કામ કરીને, કોઈ મોહતાજને દિરહમ આપીને (ચાંદીના સિક્કા જેટલા રૂપિયા), કોઈ ગરીબને કપડા આપીને મદદ કરો એટલે અલ્લાહ તમને જન્નતના કપડા પેહરાવે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ત્રણ વસ્તુ طرف જોવામાં ઇબાદત કરવાનો સવાબ મળે છે
1. માં બાપ ના ચેહરા તરફ જોવામાં
2. કુરઆને મજીદ તરફ જોવામાં
3. અને સમંદર અને દરિયા તરફ જોવામાં.
(બિહારૂલ અનવર ભાગ ૧૦ પેજ ૩૬૮)
1. માં બાપ ના ચેહરા તરફ જોવામાં
2. કુરઆને મજીદ તરફ જોવામાં
3. અને સમંદર અને દરિયા તરફ જોવામાં.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે બંદો અલ્લાહ તઆલાની અને પોતાના માં-બાપ ની ઇતાઅત કરશે હુક્મ માનશે તે કયામત ના દિવસે ખુબજ મહાન મરતબો પ્રાપ્ત કરશે.
(કંઝુલ આમાલ ભાગ ૧૬ પેજ ૪૬૭)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
હું બચ્ચાઓ ને પાંચ કારણો ના લીધે પસંદ કરું છું:
1- કેમકે તેઓ ખુબજ રડે છે
2- કેમકે તેઓ માટી થી રમે છે
3- જયારે તેઓ લડાઈ કરે છે તો તેઓના દિલમાં નફરત નથી હોતી< 4- તેઓ આવતી કાલ માટે કોઈ પણ વસ્તુનો સંગ્રહ નથી કરતા
5- તેઓ જે પણ વસ્તુ બનાવે છે તેને પાછી ખરાબ કરી દે છે.
(મવાએઝુલ અદદિયા પેજ ૨૯૫)
1- કેમકે તેઓ ખુબજ રડે છે
2- કેમકે તેઓ માટી થી રમે છે
3- જયારે તેઓ લડાઈ કરે છે તો તેઓના દિલમાં નફરત નથી હોતી< 4- તેઓ આવતી કાલ માટે કોઈ પણ વસ્તુનો સંગ્રહ નથી કરતા
5- તેઓ જે પણ વસ્તુ બનાવે છે તેને પાછી ખરાબ કરી દે છે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
એ ત્રણ ગુનાહ જેનો અઝાબ આખેરાત પહેલા દુનિયા માં પણ મળે છે:
1- માં બાપ નું ઓલાદ ને "આક" કરી દેવું (દુનિયા માં પણ અઝાબ નું કારણ બને છે)
2- લોકોની ઉપર અત્યાચાર અને ઝુલ્મ (આ ગુનાહ ની સઝા દુનિયા માં પણ મળે છે)
3- લોકોની નેકી અને એહસાન ને ભૂલી જવું અને તેની કદર અને કીમત ન કરવી.
(બિહારૂલ અનવાર ભાગ ૭૪ પેજ ૭૪)
1- માં બાપ નું ઓલાદ ને "આક" કરી દેવું (દુનિયા માં પણ અઝાબ નું કારણ બને છે)
2- લોકોની ઉપર અત્યાચાર અને ઝુલ્મ (આ ગુનાહ ની સઝા દુનિયા માં પણ મળે છે)
3- લોકોની નેકી અને એહસાન ને ભૂલી જવું અને તેની કદર અને કીમત ન કરવી.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કયામત ના દિવસે જહન્નમ માં થી એક બિચ્છું નીકળશે અને માથું સાતમા આસમાનના ઉપર હશે અને તેની પૂછડી જમીન ની બિલકુલ નીચે હશે અને તેનું મોઢું પૂર્વ દિશા થી લઇ ને પશ્ચિમ સુધી હશે. અને તે બિચ્છુ કહેશે ક્યાં છે એ લોકો જે અલ્લાહ અને રસુલની સામે લડાઇ કરેલ છે?
જિબ્રિલ પૂછશે તારા કેહવાનો મતલબ શું છે એટલે તે લોકો કોણ છે?
તે બિચ્છું કેહશે કે તેઓ પાંચ પ્રકારના લોકો છે અને હું તેને ગળી જવા માટે આવ્યો છે.
1- નમાઝને ન પઢવા વાળા, જેઓ નમાઝ પઢવાની મનાઈ કરતા હતા અને જયારે દુનિયાથી ગયા તો નમાઝ પઢયા વગર ગયા.
2- જે લોકો ઝકાત નથી આપતા
3- જે લોકો વ્યાજ ખાતા હતા.
4- જે લોકો શરાબ અને દારૂ પીતા હતા.
5- અને જે લોકો મસ્જિદમાં અલ્લાહ ની બંદગી કરવાની બદલે દુનિયાની અને ધંધાની વાતો કરતા હતા.
(બિહારૂલ અનવાર ભાગ ૭૬ પેજ ૧૪૯)
જિબ્રિલ પૂછશે તારા કેહવાનો મતલબ શું છે એટલે તે લોકો કોણ છે?
તે બિચ્છું કેહશે કે તેઓ પાંચ પ્રકારના લોકો છે અને હું તેને ગળી જવા માટે આવ્યો છે.
1- નમાઝને ન પઢવા વાળા, જેઓ નમાઝ પઢવાની મનાઈ કરતા હતા અને જયારે દુનિયાથી ગયા તો નમાઝ પઢયા વગર ગયા.
2- જે લોકો ઝકાત નથી આપતા
3- જે લોકો વ્યાજ ખાતા હતા.
4- જે લોકો શરાબ અને દારૂ પીતા હતા.
5- અને જે લોકો મસ્જિદમાં અલ્લાહ ની બંદગી કરવાની બદલે દુનિયાની અને ધંધાની વાતો કરતા હતા.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
આ ત્રણ વસ્તુ કરવાથી ખુશી મળે છે અને ફાયદાઓ થાય છે:
1- અત્તર લાગવું અને ખુશ્બુ કરવી.
2- નરમ કપડાં પેહરવા.
3- અને મધ ખાવું.
(મુસ્તદરેકુલ વસાએલ ભાગ ૧ પેજ ૪૧૯)
1- અત્તર લાગવું અને ખુશ્બુ કરવી.
2- નરમ કપડાં પેહરવા.
3- અને મધ ખાવું.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલ્લાહ તઆલાએ સાતમા આસમાનમાં એક ફરિશ્તા ને રાખ્યો છે જેનું નામ **દાઇ** રાખ્યું છે અને જયારે રજબ મહિનો આવે છે ત્યારે તે ફરીશતો દરરોજ રાત્રે સવાર સુધી અવાજ આપે છે "**ખુશનસીબ છે એ લોકો જે માહે રજબમાં અલ્લાહનો ઝિકર છે અને અલ્લાહ ની બંદગી કરે છે**"
(ઓયુને અખ્બારે રઝા ભાગ ૨ પેજ ૩૧ - રજબની ફઝિલત)
અલ્લાહ તઆલા ફરમાવે છે:
હું તેની સાથે છું જે મારી સાથે છે હું એમની વાત માનું છું જે મારી બંદગી કરે છે, હું એમની તોબા કબૂલ કરું છું જે તોબા કરે છે, આ મહિનો મારો મહિનો છે અને બંદાઓ મારા બંદા છે અને આ રહમત મારી રહમત છે જે કોઈ પણ મને આ મહિનામાં યાદ કરશે તેને હું જવાબ આપીશ, જે કોઈ મારી પાસે કંઈ માંગશે હું તેને અતા કરીશ, અને જે કોઈ મારી પાસે હિદાયત માંગશે હું તેને રસ્તો દેખાડીશ, આ મહિનાને મારી અને મારા બંદાઓ વચ્ચે સબંધ નો મહિનો બનાવ્યો છે, જે કોઈ પણ મારા સુધી પોહચ્વા માંગે છે તે આ મહિનામાં મારી સાથે રાબેતો કરે.
(ઓયુને અખ્બારે રઝા ભાગ ૨ પેજ ૩૧ - રજબની ફઝિલત)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
માહે રજબ અલ્લાહ તઆલા ની રહમત ની વર્ષા નો મહિનો છે, આ મહિના માં અલ્લાહ તઆલા પોતાના બંદાઓ ઉપર રહમત ની વર્ષા કરે છે.
(ઓયુને અખ્બારે રઝા ભાગ ૨ પેજ ૩૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે મુસલમાન કોઈ માલ નો એક વખત કર્ઝો આપે છે અલ્લાહ ને ત્યાં ડબલ સદકા નો સવાબ મળશે
(અત્તરગીબ વત્તરહીબ ભાગ ૨ પેજ ૪૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જો કોઈ રજબ મહિનામાં એક રોઝો રાખશે તો અલ્લાહ તઆલા તેના આ અમલથી ખુશ થઈ જશે અને અલ્લાહ તઆલાનો ગઝબ તેનાથી દુર થઇ જશે અને જહન્નમ ના દરવાજા માંથી એક દરવાજો તેના માટે બંધ કરી દેવામાં આવશે.
(મફાતિહુલ જિનાન પેજ ૧૯૦)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
એક વખત આપ હઝરત કબ્રસ્તાન થી પસાર થઈ રહ્યા હતા અચાનક થોડીક વાર માટે ઊભા રહ્યા અને રડવા લાગ્યા !
એક સહાબી આવ્યા અને પૂછ્યું કેમ તમે રડો છો?
આપ હઝરતે ફરમાવ્યું: અહીંયા કબ્રસ્તાનમાં અમુક લોકો ઉપર અઝાબ થઈ રહ્યો છે અને હું તેમના રોવાને અવાજ સાંભળી રહ્યો છું અને મને તેઓની ઉપર રહેમ આવે છે એટલે મે અલ્લાહ પાસે ગુઝારીશ કરી કે તેઓનો અઝાબ ઓછો કરી દે મારી વાત ને અલ્લાહે સ્વીકારી લીધી.
પછી આપ હઝરત ફરમાવે છે: જો આ લોકોએ રજબ મહિના માં રોઝો રાખ્યો હોત તો તેઓની ઉપર અઝાબ ન થાત.
પછી સહાબી પુછે છે શું રજબ મહિનાની ઇબાદત અને રોઝા કબર ના અઝાબ થી બચાવે છે?
આપ હઝરત ફરમાવે છે : હા, અલ્લાહ ની કસમ જે એ મને હક ની સાથે મોકલ્યો, જે કોઈ રજબ મહિના માં એક રોઝો રાખશે અને એક રાતની ઇબાદત કરશે અને ફકત અલ્લાહ ની ખુશી માટે આ અમલ કરે તો તેને હજાર વર્ષ ઇબાદત કરવાનો સવાબ મળશે કે જેમાં તે દિવસ ના રોઝો રાખ્યા હોય અને રાતના ઇબાદત કરી હોય તેનો સવાબ લખવામાં આવશે.
(બિહારૂલ અનવાર ભાગ ૪૯ પેજ ૩૯)
એક સહાબી આવ્યા અને પૂછ્યું કેમ તમે રડો છો?
આપ હઝરતે ફરમાવ્યું: અહીંયા કબ્રસ્તાનમાં અમુક લોકો ઉપર અઝાબ થઈ રહ્યો છે અને હું તેમના રોવાને અવાજ સાંભળી રહ્યો છું અને મને તેઓની ઉપર રહેમ આવે છે એટલે મે અલ્લાહ પાસે ગુઝારીશ કરી કે તેઓનો અઝાબ ઓછો કરી દે મારી વાત ને અલ્લાહે સ્વીકારી લીધી.
પછી આપ હઝરત ફરમાવે છે: જો આ લોકોએ રજબ મહિના માં રોઝો રાખ્યો હોત તો તેઓની ઉપર અઝાબ ન થાત.
પછી સહાબી પુછે છે શું રજબ મહિનાની ઇબાદત અને રોઝા કબર ના અઝાબ થી બચાવે છે?
આપ હઝરત ફરમાવે છે : હા, અલ્લાહ ની કસમ જે એ મને હક ની સાથે મોકલ્યો, જે કોઈ રજબ મહિના માં એક રોઝો રાખશે અને એક રાતની ઇબાદત કરશે અને ફકત અલ્લાહ ની ખુશી માટે આ અમલ કરે તો તેને હજાર વર્ષ ઇબાદત કરવાનો સવાબ મળશે કે જેમાં તે દિવસ ના રોઝો રાખ્યા હોય અને રાતના ઇબાદત કરી હોય તેનો સવાબ લખવામાં આવશે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ની ઝિયારત કરવી અને તેમનો ઝીક્ર કરવો **ઇબાદત** છે અને હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ની વિલાયત ને માનવું જરૂરી છે અને તેમના દુશ્મનો થી નફરત કરવી જરૂરી છે તો તમારી પાસે કામેલ ઈમાન છે નહિ તો નથી.
(અમાલી શૈખ સદુક ભાગ ૧ પેજ ૧૩૮)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અય લોકો! તમે તમારા ફરઝંદોને મોલા અલી અ.સ ની મોહબ્બત થી ચેક કરો, જે કોઈ મોલા અલી અ.સ થી મોહબ્બત કરે છે તે તમારો છે, અને જે કોઈ દુશ્મની રાખે છે તે તમારો નથી.
(તારીખે ઇબ્ને અસાકિર મદીના વ દમિશક ભાગ ૪૨ પેજ ૨૮૮)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલી હક ની સાથે છે અને હક અલી ની સાથે છે અને આ બન્ને એક બીજા થી અલગ નહિ થાય અહીંયા સુધી કે કયામત ના દિવસ હવ્ઝે કવસર પાસે મને મળશે.
(તારીખે બગદાદ ભાગ ૧૪ પેજ ૩૨૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ મોમીન નું દિલ તોડે, અને પછી તેના બદલામાં તેને પૂરી દુનિયા અતા કરે તો પણ તે ગુનાહનો કફ્ફરો અદા ન થઈ શકે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૨ પેજ ૧૦૫)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ મોમીન ને ખુશ કરે છે તે મને ખુશ કરે છે અને જે મને ખુશ કરે છે તે અલ્લાહ તઆલા ને ખુશ કરે છે.
(મફાતીહુલ હયાત પેજ ૨૯૬)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
મોમીન ભાઈ થી નારાજ ન થાવ અને તેમની સાથે દુશ્મની ન રાખો, કેમકે જયારે ઇન્સાન નારાઝ થઈ જાય છે ત્યારે તેના અમલ ને કબૂલ કરવામાં નથી આવતા.
(મફાતેહિલ હયાત પેજ ૪૫૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જયારે કોઈ સમાજ અને કોમમાં "આગેવાન" બદતરીન ઇન્સાન અને ગુનેહગાર ઇન્સાન હોય છે અને લોકો આ ગુનેહગાર આગેવાન ની ઈજ્જત અને એહતેરામ પણ કરતા હોય તો પછી બધા લોકોને પરેશાની અને તકલીફો ની રાહ જોવી જોઈએ
(તોહફુલઓકુળ પેજ ૩૬, બિહારૂલ અનવાર ભાગ ૭૪ પેજ ૧૩૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અફસોસ થાય છે તે માતા પિતાઓ ઉપર કે જે પોતાના બચાઓની સારી તરબિયત નથી કરતા અને આક (લાનતી) બનવાનું કારણ બને છે જેવી રીતે બચાઓ માતા પિતાના આક નું કારણ બને છે એવીજ રીતે માતા પિતા પણ બચાઓ તરફ થી આક ના હકદાર બને છે.
(અલખેસાલ ભાગ ૧ પેજ ૪૨)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
આ ૬ વસ્તુઓ ગુનાહોના અસ્લી કારણ છે:
1, દુનિયાની મોહબ્બત
2, સરકાર અને ફૂર્સીની લાલચ
3, વધારે પડતું ખાવાની પાછળ અને હવસની પાછળ ભાગવું
4, વધારે ઊંઘવું
5, વધારે પડતું ફ્રી અને કામ વગર રેહવુ
6, ના-મેહરમ ઓરતો સાથે વધારે લગાવ રાખવો.
(આ છ વસ્તુ માંથી કોઈ પણ એક વસ્તુ સાથે મોહબ્બત કરશે તો તો તે ગુનાહો ના દલદલ માં પડી જશે)
(ઉસૂલે કાફી ભાગ ૩ પેજ ૩૯૭)
1, દુનિયાની મોહબ્બત
2, સરકાર અને ફૂર્સીની લાલચ
3, વધારે પડતું ખાવાની પાછળ અને હવસની પાછળ ભાગવું
4, વધારે ઊંઘવું
5, વધારે પડતું ફ્રી અને કામ વગર રેહવુ
6, ના-મેહરમ ઓરતો સાથે વધારે લગાવ રાખવો.
(આ છ વસ્તુ માંથી કોઈ પણ એક વસ્તુ સાથે મોહબ્બત કરશે તો તો તે ગુનાહો ના દલદલ માં પડી જશે)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ઇન્સાનનું દિલ લોઢા જેવું હોય છે અને તેમાં કાટ લાગી જાય છે અગર તમે ચાહો છો કે તમારા દિલમાં કાટ ન લાગે તો કુરઆનની તિલાવત કરો અને મોતને યાદ રાખો.
(નેહજુલ ફસાહત પેજ ૨૪૩)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જયારે પણ નમાઝ નો સમય થાય તરતજ નમાઝ ની તૈયારી માં લાગી જાવ નહિ તો શૈતાન તમને બીજા કોઈ કામમાં વ્યસ્ત કરી દેશે.
(મિરાસે હદિસે શીઆ ભાગ ૨ પેજ ૨૦ હદીસ ૧૮)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કયામત ના દિવસે અલ્લાહ તઆલા ચાર ગ્રૂપ ઉપર રહમત ની નજર નહિ નાખે:
1. એ ઓલાદ કે જેના માં બાપ તેને આક કરી દીધી હશે
2. એહસાન કરનાર ઉપર મે તેની મદદ કરી છે તેવી રીતે રોડશો કરવા વાળા પર
3. અલ્લાહની નેઅમતો ને નકારનાર પર
4. શરાબ અને દારૂ પીનાર.
(બિહારૂલ અનવાર ભાગ ૭૪ પેજ ૭૧)
1. એ ઓલાદ કે જેના માં બાપ તેને આક કરી દીધી હશે
2. એહસાન કરનાર ઉપર મે તેની મદદ કરી છે તેવી રીતે રોડશો કરવા વાળા પર
3. અલ્લાહની નેઅમતો ને નકારનાર પર
4. શરાબ અને દારૂ પીનાર.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે ઇન્સાન લોકોને ખાવાનું ખવડાવશે અલ્લાહ તઆલા ફરિશ્તાઓ સામે તેની માટે ગર્વ (નાઝ) કરશે.
(ઈર્શાદુલ કોલુબ પેજ ૨૨૬)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: (ઉડીને સિધ્ધા જન્નતમાં)
અલ્લાહ તઆલા કાયમત ના દિવસે મારી ઉમ્મતના અમુક લોકોને પાંખ આપશે જેના થકી તે ઉડીને જન્નત માં પોહચી જશે અને તે જન્નત માં જે પણ નેઅમતો જોતી હશે તેને હાસીલ કરી લેશે અને તેઓ એટલા જલ્દી જન્નત માં પોહચી જશે કે ફરિશ્તાઓ તેમને પૂછશે કે તમારો હિસાબ કિતાબ થયો છે કે નહિ? તમો પૂલે સેરાત ઉપર થી ગુજરી ને આવ્યા છો કે નહીં? શું તમે જહન્નમ નો નઝારો કર્યો છે કે નહિ?
તો તેઓ જવાબ આપશે નહિ અમે કંઈ હિસાબ કિતાબ નથી કર્યો અને કંઈ નથી જોયું
પછી ફરિશ્તાઓ પૂછશે તમે કોની ઉમ્મત માં થી છો?
તેઓ કહેશે અમે હઝરત મોહમ્મદ મુસ્તફા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ની ઉમ્મત માં થી છીએ.
ત્યારે ફરિશ્તાઓ પૂછશે તમને અલ્લાહ તઆલા ની કસમ બતાવો તમે દુનિયા માં ક્યાં એવા આમલ કર્યા છે કે તમને આવો સારો બદલો મળ્યો?
તેઓ જવાબ આપશે અમે બે કામ કરતા હતા જેના થકી અલ્લાહે અમને આવો સરસ મજાનો બદલો અતા કર્યો છે
1️⃣ તન્હાઈ માં એકલા હોય ત્યારે પણ કોઈ દિવસ અલ્લાહ ની નાફરમાની નથી કરી કોઈ ગુનાહ નથી કર્યા કેમકે અલ્લાહ ની શરમ હતી
2️⃣ અને જે થોડીક રોઝી અલ્લાહ અમારા માટે નક્કી કરેલ હતી તેમાં રાઝી રેહતા હતા.
ત્યારે ફરિશ્તાઓ કહે છે તો તો પછી તમારો હક બને છે કે તમને આવો સરસ મજાનો બદલો મળે.
(તંબિહુલ ખવાતીર ભાગ ૧ પેજ ૨૩૦)
તો તેઓ જવાબ આપશે નહિ અમે કંઈ હિસાબ કિતાબ નથી કર્યો અને કંઈ નથી જોયું
પછી ફરિશ્તાઓ પૂછશે તમે કોની ઉમ્મત માં થી છો?
તેઓ કહેશે અમે હઝરત મોહમ્મદ મુસ્તફા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ની ઉમ્મત માં થી છીએ.
ત્યારે ફરિશ્તાઓ પૂછશે તમને અલ્લાહ તઆલા ની કસમ બતાવો તમે દુનિયા માં ક્યાં એવા આમલ કર્યા છે કે તમને આવો સારો બદલો મળ્યો?
તેઓ જવાબ આપશે અમે બે કામ કરતા હતા જેના થકી અલ્લાહે અમને આવો સરસ મજાનો બદલો અતા કર્યો છે
1️⃣ તન્હાઈ માં એકલા હોય ત્યારે પણ કોઈ દિવસ અલ્લાહ ની નાફરમાની નથી કરી કોઈ ગુનાહ નથી કર્યા કેમકે અલ્લાહ ની શરમ હતી
2️⃣ અને જે થોડીક રોઝી અલ્લાહ અમારા માટે નક્કી કરેલ હતી તેમાં રાઝી રેહતા હતા.
ત્યારે ફરિશ્તાઓ કહે છે તો તો પછી તમારો હક બને છે કે તમને આવો સરસ મજાનો બદલો મળે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
શાબાન મહિના નું નામ શાબાન એ માટે રાખવામાં આવ્યું છે કે આ મહિના માં મોમિનો માટે રિઝ્ક વેચવામાં આવે છે.
(સવાબુલ આમાલ પેજ ૬૪)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: (જનાબે ફાતેમાની શફાઅત)
જયારે કયામત નો દિવસ હશે ત્યારે હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ, હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ને ફરમાવશે કે જાવ જનાબે ફાતેમા પાસે અને પૂછો મારી ઉમ્મત ની શફાઅત અને નજાત માટે શું લાવ્યા છો?
મોલા અલી અ. સ. જનાબે ફાતેમા ઝહરા સ. અ પાસે આવશે અને રસૂલે ખુદા સ.અ.વ. નો પયગામ પોહચાડશે ત્યારે જનાબે ફાતેમા ઝહરા સ.અ.ફરમાવશે ! મારા દીકરા અબ્બાસ ના બે શહીદ થયેલા હાથ શફાઅત માટે કાફી છે.
(મઆલીયુસ સીબતૈન ભાગ ૧ પેજ ૪૫૨)
મોલા અલી અ. સ. જનાબે ફાતેમા ઝહરા સ. અ પાસે આવશે અને રસૂલે ખુદા સ.અ.વ. નો પયગામ પોહચાડશે ત્યારે જનાબે ફાતેમા ઝહરા સ.અ.ફરમાવશે ! મારા દીકરા અબ્બાસ ના બે શહીદ થયેલા હાથ શફાઅત માટે કાફી છે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બધાજ ગુનાહો ની તોબા છે પરતું જેનો સ્વભાવ ખરાબ છે તેના માટે નહિ, કેમકે જે ઇન્સાન નો સ્વભાવ ખરાબ હોય તે એક ગુનાહ ની તોબા કરીને પછી બીજા ગુનાહ તરફ ચાલ્યો જાય છે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૭ પેજ ૪૮)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બેહતરીન અખલાક ની વ્યાખ્યા એ છે કે જયારે દુનિયા ઇન્સાન પાસે આવે તો ખુશ થાય અને દુનિયા ન મળે તો પરેશાન અને નારાઝ ન થાય.
(કંઝૂલ આમાલ હદીસ ૫૨૨૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જયારે પણ તમારા માંથી કોઈ દુઆ કરે તો બધાજ માટે દુઆ કરે કેમકે આવી રીતે દુઆ માંગવાથી દુઆ કબૂલ થાય છે.
(અલ્કાફિ ભાગ ૨ પેજ ૪૮૭)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ગરમી માં રોઝો રાખવો જેહાદ છે
(બિહારૂલ અનવાર ભાગ ૯૬ પેજ ૨૫૭)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અય લોકો ! અલ્લાહ નો મહિનો તમારી માટે દયા માફી અને વિશાળ રિઝ્ક સાથે તમારી વચ્ચે આવી રહ્યો છે, આ મહિનો અલ્લાહ ની નજીક બેહતરીન મહિનો છે, આ મહિના માં તમોને અલ્લાહની મેહમાની માં આમંત્રણ આપવામાં આવ્યું છે, આ મહિના માં તમારુ શ્વાસ લેવું તસબીહ છે અને સૂવું ઇબાદત છે, અને તેમાં તમારા આમાલ કબૂલ છે અને તમારી દુઆઓનો જવાબ દેવામાં આવશે.
(બિહારૂલ અનવાર ભાગ ૯૩ પેજ ૩૫)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલ્લાહ તઆલાએ ઈર્શાદ ફરમાવેલ છે કે રોઝા મારી માટે છે અને તેનો સવાબ પણ હું અતા કરીશ.
(વસાએલુશ શીઆ ભાગ ૭ પેજ ૨૯૪)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
મુનાફિકની ત્રણ નિશાનીઓ છે પછી ભલે તે નમાઝ પઢે રોઝા રાખે અને પોતાને મુસલમાન કહેતો હોય
1. ખોટું બોલતો હોય તે મુનાફિક છે
2. વચનોને પાળતો ન હોય તે મુનાફિક છે
3. વિશ્વાસઘાત કરે તે મુનાફિક છે
(અલકાફી ભાગ ૨ પેજ ૨૯૦)
1. ખોટું બોલતો હોય તે મુનાફિક છે
2. વચનોને પાળતો ન હોય તે મુનાફિક છે
3. વિશ્વાસઘાત કરે તે મુનાફિક છે
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે રમઝાન મહિનામાં માફ ન થયો, તો પછી તે ક્યાં મહિનામાં માફ થશે?
(અમાલી શૈખ સદુક પેજ ૭૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
રોઝો રાખો અને તંદુરસ્ત રહો.
(નેહજુલ ફસાહત હદીસ ૧૮૫૪)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ખદીજા જેવું કોઈ પૈદા નથી થવાનું ખદીજાએ મારી એ સમયે મદદ કરી જ્યારે લોકો મારો ઇનકાર કરતા હતા અને પોતાના માલ દ્વારા ઈસ્લામ ને લોકો સુધી પોહચાડવામાં મારી મદદ કરી અને અલ્લાહ તઆલાએ મને હુકમ આપ્યો છે કે હું ખદીજા ને બશારત આપું કે જન્નત માં ઝુમરરદી નામ ના બાગ માં એમને જગ્યા મળશે જ્યાં કોઈ પણ તકલીફ અને દુઃખ નથી.
(બિહારૂલ અનવાર ભાગ ૪૩ પેજ ૧૩૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બધીજ વસ્તુમાં નેક અને સારી નિય્યત હોવી જોઈએ, ખાવા પીવા માં અને ઊંઘવા માં પણ સારી નિય્યત હોવી જોઈએ
(મકારેમુલ અખલાક ભાગ ૨ પેજ ૩૭૦)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
હકીકતમાં જન્નતમાં એક દરવાજો છે તેનું નામ રેયાન છે અને તે દરવાજામાં રોઝાદાર સિવાય બીજું કોઈ દાખલ નહિ થાય અને જયારે છેલ્લો રોઝાદાર આદમી તેમાં દાખલ થઇ જશે તો તો તે દરવાજો બંધ થઇ જશે.
(બિહારૂલ અનવાર ભાગ ૯૩ પેજ ૨૫૬)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
આ એક ખુબજ ફઝીલત વાળી દુઆ છે જયારે આપ હઝરત મકામે ઇબ્રાહિમ ઉપર નમાઝ પઢી રહ્યા હતા ત્યારે જનાબે જિબ્રિલ આ દુઆ લાવ્યા હતા. જે કોઈ આ દુઆ ને 13,14,15, મી માહે રમઝાનમાં પઢશે તો અલ્લાહ તઆલા તેના ગુનાહોને માફ કરી દેશે પછી ભલે તે તેના ગુનાહ વરસાદ ના ટીપાઓ જેટલા હોય, ઝાડના પત્તાઓ જેટલા હોય, અને રણ ની રેત જેટલા હોય, (ગુનાહ માફ થઈ જશે) બીમારની શિફા માટે, કર્ઝની અદાયેગી માટે, પરેશાની દૂર થવા માટે, અને માલદાર થવું હોય તો આ દુઆ પઢે.
(મફાતેહુલ જીનાન)
નોટ: બધીજ દુઆઓ ના અમૂલ્ય ફાયદાઓ છે અને જયારે પણ કોઈ દુઆ પઢીએ તો એ યકીન સાથે પઢવાની કે આ દુઆ પઢવાથી મને આ ફાયદો જરૂર થશે અને જે પણ દુઆ પઢો તે દિલ થી પઢો, અલ્લાહ ની માટે પઢો કેમકે બધીજ વસ્તુ નો હલ અલ્લાહ પાસે છે (ઇલ્તેમાસે દુઆ તમારી દુઆ માં આ બંદા ને જરૂર યાદ કરજો)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલ્લાહ તઆલા રમઝાન મહિના માં દરરોજ રાત્રે ત્રણ વખત ફરમાવે છે:
1. શું છે કોઈ જે મારી પાસે માંગે અને હું તેને અતા કરું,
2. શું છે કોઈ તોબા કરવા વાળું જેને હું બખશી દવ,
3. શું છે કોઈ ઈસ્તેગફાર કરવા વાળું જેને હું માફ કરી દવ.
(અમાલી શૈખ મુફીદ પેજ ૨૩૦)
1. શું છે કોઈ જે મારી પાસે માંગે અને હું તેને અતા કરું,
2. શું છે કોઈ તોબા કરવા વાળું જેને હું બખશી દવ,
3. શું છે કોઈ ઈસ્તેગફાર કરવા વાળું જેને હું માફ કરી દવ.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: (રિઝ્ક, માલ, દૌલત માટેનો અમલ)
બેશક કોઈ પણ મોમીન અલ્લાહ તઆલાથી નજીક નથી થઇ શકતો જ્યાં સુધી તે આ પાંચ કામ કરે
1. નમાઝે શબ પઢે
2. તસ્બીહ અને તેહલીલ કરે (તેહલીલ એટલે લા ઇલાહા ઇલલ્લાહ પઢયા કરે)
3. રાતના સમયે ઇસ્તેગફાર કરે અને રડે (અલ્લાહ ની યાદમાં રોવે)
4. નામઝે શબને નમાઝે ફજરની સાથે જોડે
5. સૂરજ નીકળે ત્યાં સુધી કુરઆન પઢે
હું બશારત આપુ છું કે જે કોઈ પણ આ અમલ અંજામ આપશે તો તેને અઘરા કામ કર્યા વગર આસાની થી રિઝ્કમાં ખુબજ વધારો થશે.
(ઇરશાદુલ કુલુબ ભાગ ૨ પેજ ૧૭-૧૮)
1. નમાઝે શબ પઢે
2. તસ્બીહ અને તેહલીલ કરે (તેહલીલ એટલે લા ઇલાહા ઇલલ્લાહ પઢયા કરે)
3. રાતના સમયે ઇસ્તેગફાર કરે અને રડે (અલ્લાહ ની યાદમાં રોવે)
4. નામઝે શબને નમાઝે ફજરની સાથે જોડે
5. સૂરજ નીકળે ત્યાં સુધી કુરઆન પઢે
હું બશારત આપુ છું કે જે કોઈ પણ આ અમલ અંજામ આપશે તો તેને અઘરા કામ કર્યા વગર આસાની થી રિઝ્કમાં ખુબજ વધારો થશે.
નોટ: આપણે પૈસા વાળુ બનવું છે મગર ઇસ્લામિક તોર અને તરીકા સાથે નથી બનવું હરામ રસ્તાં ઉપર જઈ અને લોકોના હક મારીને પૈસા વાળુ બનવું છે તો બની તો જાય છે મગર શું, દુનિયામાં બદનામી થાય છે અને આખેરતમાં સખ્ત અઝાબ મળશે
ઇસ્લામી તોર તરીકા ઉપર આવી રીતે અમલ કરીએ તો આપણા રસૂલે ગેરંટી લીધી છે કે જે આ પાંચ કાર્ય કરશે તે ખુબજ પૈસા વાળો બની જશે
આપણા પહેલા ઈમામ માટે રિવાયતમાં કહવામા આવ્યું છે કે રાતના એટલી બધી ઇબાદત કરતા કે રડતા રડતા તે બેહોશ થઈ જતાં તો આપણે કેવા ઈમામને માનવા વાળા છીએ કે ઇબાદત તો દૂર સવારની નમાઝ પણ બિસ્તર ઉપર ઉંઘીને પઢતા હોઇએ એટલે કે નથી પઢતા, અને કુરઆન તો ખાલી રમઝાન મહિનામાં જ ખૂલતું હોય, ના ભાય ના એમ ન કરાઇ સવારની નમાઝ પઢો અને કુરઆન પઢો જ્યાં મુસલ્લો અને જાનમાઝ રાખીએ ત્યાં જ કુરઆન હોય છે તો જાનામઝ રાખીને કુરઆન ખોલો થોડીક મેહનત કરો થોડાક ઇબાદત માં ટાઈમ કાઢો અને જેટલું પઢી શકો એટલું પઢો અને અગર થઈ શકે તો સૂરજ નીકળે ત્યાં સુધી પઢો પછી જોવો તમારી જિંદગી કેવી રીતે બદલાય છે.
ઇસ્લામી તોર તરીકા ઉપર આવી રીતે અમલ કરીએ તો આપણા રસૂલે ગેરંટી લીધી છે કે જે આ પાંચ કાર્ય કરશે તે ખુબજ પૈસા વાળો બની જશે
આપણા પહેલા ઈમામ માટે રિવાયતમાં કહવામા આવ્યું છે કે રાતના એટલી બધી ઇબાદત કરતા કે રડતા રડતા તે બેહોશ થઈ જતાં તો આપણે કેવા ઈમામને માનવા વાળા છીએ કે ઇબાદત તો દૂર સવારની નમાઝ પણ બિસ્તર ઉપર ઉંઘીને પઢતા હોઇએ એટલે કે નથી પઢતા, અને કુરઆન તો ખાલી રમઝાન મહિનામાં જ ખૂલતું હોય, ના ભાય ના એમ ન કરાઇ સવારની નમાઝ પઢો અને કુરઆન પઢો જ્યાં મુસલ્લો અને જાનમાઝ રાખીએ ત્યાં જ કુરઆન હોય છે તો જાનામઝ રાખીને કુરઆન ખોલો થોડીક મેહનત કરો થોડાક ઇબાદત માં ટાઈમ કાઢો અને જેટલું પઢી શકો એટલું પઢો અને અગર થઈ શકે તો સૂરજ નીકળે ત્યાં સુધી પઢો પછી જોવો તમારી જિંદગી કેવી રીતે બદલાય છે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ઇન્સાનનું દિલ લોઢા જેવું હોય છે અને તેમાં કાટ લાગી જાય છે અગર તમે ચાહો છો કે તમારા દિલમાં કાટ ન લાગે તો કુરઆનની તિલાવત કરો અને મોતને યાદ રાખો.
(નેહજુલ ફસાહત પેજ ૨૪૩)
રસુલે ખુદા સ. :
مَنْ أحْیا لَیْلَةَ الْقَدْرِ حُوِّلَ عَنْهُ العَذابُ اِلَی السَّنَةِ القابِلَةِ
જે શબે કદ્રમાં બેદાર રહે તો અલ્લાહ આવતા 1 વર્ષ સુધી અઝાબને દૂર કરે છે.
(મુસ્તદરેકુલ વસાએલ ભાગ 4 પેજ 456)
જે શબે કદ્રમાં બેદાર રહે તો અલ્લાહ આવતા 1 વર્ષ સુધી અઝાબને દૂર કરે છે.
રસુલે ખુદા صلى الله علیه و آله :
مَنْ أَحْیا لَیْلَةَ الْقَدْرِ غُفِرَتْ لَهُ ذُنُوبُهُ وَلَوْ کانَتْ عَدَدَ نُجُومِ السَّماءِ وَمَثاقیلَ الْجِبالِ
જે શબે કદ્રમાં જાગે તેના ગુનાહોને માફ કરી દેવામાં આવે છે ભલે ને પછી આ ગુનાહો સંખ્યામાં આસમાનના સિતારાઓ જેટલા અને વજનમાં પહાડો જેટલા વજનદાર કેમ ના હોય.
(વસાએલુશ શીઆ ભાગ 4 પેજ 273)
જે શબે કદ્રમાં જાગે તેના ગુનાહોને માફ કરી દેવામાં આવે છે ભલે ને પછી આ ગુનાહો સંખ્યામાં આસમાનના સિતારાઓ જેટલા અને વજનમાં પહાડો જેટલા વજનદાર કેમ ના હોય.
રિવાયત માં છે કે હ. રસુલે ખુદા સ.અ.વ. ને કોઈએ પૂછ્યું કે :
“હું શબે કદ્રમાં શું માંગુ ?”
આપ સ.અ.વ. એ ફરમાવ્યું : “તમે અલ્લાહ પાસે સેહત અને આફીયત માંગો.”
(મફાતિહુલ જીનાન)
આપ સ.અ.વ. એ ફરમાવ્યું : “તમે અલ્લાહ પાસે સેહત અને આફીયત માંગો.”
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: (શબે કદ્રમાં કોણ માફ નથી થતું)
અલ્લાહ તઆલા ચાર પ્રકારના લોકો ઉપર શબે કદ્ર માં નજર નથી નાખતો અને માફ નથી કરતો.
1. શરાબ અને દારૂ પીનાર
2. માં બાપે જેને આક કરી દીધી હોય તે
3. સગા સબંધીઓ ની સાથે સબંધ તોડનાર(કતએ રહમ)
4. લોકો પ્રત્યે દિલ માં નફરત રાખનાર
(અમાલી શૈખ સદુક પેજ ૨૩૧)
1. શરાબ અને દારૂ પીનાર
2. માં બાપે જેને આક કરી દીધી હોય તે
3. સગા સબંધીઓ ની સાથે સબંધ તોડનાર(કતએ રહમ)
4. લોકો પ્રત્યે દિલ માં નફરત રાખનાર
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે શખ્સ ઘરના કામોમાં પોતાની પત્ની ની મદદ કરશે તો અલ્લાહ તઆલા તેને એક વર્ષ ની ઈબાદત નો સવાબ અતા કરશે.
(બિહારૂલ અનવાર ભાગ ૧૩ પેજ ૧૩૩)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જ્યારે કોઈ વ્યક્તિ નું ઈમાન વધે છે ત્યારે તે પોતાના જીવનસાથી સાથે મોહબ્બત વધારે કરવા લાગે છે.
(મુસ્તદ્રેકુલ વસાએલ ભાગ ૧૪ પેજ ૧૫૭)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
રમઝાન તે મહિનો છે જેની શરૂઆતમાં રેહમત જેના વચમાં મગફેરત અને માફી તથા જેના આખિર માં જહન્નમ થી નજાત અને આઝાદી છે
(બિહારૂલ અનવર ભાગ ૯૩ પેજ ૩૪૨)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
સજદા સિવાય બીજી કોઈ એવી વસ્તુ નથી જેના થકી બંદો અલ્લાહ સુધી પોહચી શકે.
(મસનદુશ શહાબ ભાગ ૨ પેજ ૨૫૦)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
શું હું તમને દુનિયા અને આખેરત બન્ને જગ્યા માં ફાયદો આપે એવી અખલાકની વાત કહું?
તે વાત એ છે કે તમે કોઈની સાથે સબંધ અને વ્યવહાર તોડો નહિ અને અગર કોઈ તોડી નાખે તો પણ તમે એમની સાથે સબંધ બાંધીને રાખો, જે તમને વંચિત રાખે (મેહરૂમ કરે) તેમને પણ તમે અતા કરો (દાન કરો), જે તમારી ઉપર અત્યાચાર કરે તમે તેમને માફ કરી દયો.
(તોહફુલ ઓકુલ પેજ ૨૯)
તે વાત એ છે કે તમે કોઈની સાથે સબંધ અને વ્યવહાર તોડો નહિ અને અગર કોઈ તોડી નાખે તો પણ તમે એમની સાથે સબંધ બાંધીને રાખો, જે તમને વંચિત રાખે (મેહરૂમ કરે) તેમને પણ તમે અતા કરો (દાન કરો), જે તમારી ઉપર અત્યાચાર કરે તમે તેમને માફ કરી દયો.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: (મરહુમીન માટે હદિયો)
તમારા મરહુમિન માટે હદિયો મોકલો. એક સહાબી પુછે છે હદિયો કેવી રીતે મોકલીએ? સદકો આપીને, અને દુઆ કરીને, કેમકે દર જુમ્માના મર્હુમો ની રૂહ તેમના દુનિયાના ધર પાસે આવીને ગમગીન અવાજ આપી પુકારે છે અય મારા સગાહવાળાઓ! મારી ઉપર મહેરબાની કરો અમારી ઉપર અહીંયા સખ્ત સવાલ જવાબ થઈ રહ્યા છે તો તમે લોકો અમારી માટે કોઈ નૈક કામ કરીને, કોઈ મોહતાજને દિરહમ આપીને (ચાંદીના સિક્કા જેટલા રૂપિયા), કોઈ ગરીબને કપડા આપીને મદદ કરો એટલે અલ્લાહ તમને જન્નતના કપડા પેહરાવે.
(મફાતેહુલ જીનાન પેજ ૮૬૪)
હદીસોમાં આવ્યુ છે તમે જુમેરાત અને જુમ્માના તમારા મરહુમિન માટે ઘરે બેઠીને અથવા એમની કબ્ર પાસે જય આ સુરાઓમાંથી કોઈ પણ એક અથવા બધાજ સુરા પઢીને એમની માટે સવાબ અને હદીયો મોકલો: સૂરએ હમ્દ, સૂરએ ઇખલાસ, સાત વખત સૂરએ કદ્ર, સૂરએ તબારક(સૂરએ મુલ્ક), સૂરએ યાસીન, આયતલ કૂરસી.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કબ્ર આપણી માટે દરરોજ આ પાંચ વસ્તુની ફરિયાદ કરે છે;
1. કબ્રમાં હું એકલો છું તો મારી માટે કોઈ દોસ્ત લાવજો અને એ દોસ્ત, કુરઆનની તિલાવત છે
2. કબ્રમાં અંધારુ છે તો મારી માટે રોશની લાવજો અને એ રોશની, નમાઝે શબ અને તહજજુદ છે
3. કબ્રમાં ધૂળ અને માટી છે તો ફર્શ અને ગાલીચો લાવજો અને એ ગાલીચો, નેક અને સાલેહ અમલ છે.
4. હું કબ્રમાં ગરીબ છું તો મારી માટે ખઝાનો લાવજો અને એ ખઝાનો, "લા ઇલાહા ઇલલ્લાહ" છે
5. કબ્રમાં ઝેરીલા જીવ-જંતુ છે તો તેનાથી બચવા માટે સદકો આપજો.
(સફીનતુલ બિહાર ભાગ ૨ પેજ ૩૯૭)
1. કબ્રમાં હું એકલો છું તો મારી માટે કોઈ દોસ્ત લાવજો અને એ દોસ્ત, કુરઆનની તિલાવત છે
2. કબ્રમાં અંધારુ છે તો મારી માટે રોશની લાવજો અને એ રોશની, નમાઝે શબ અને તહજજુદ છે
3. કબ્રમાં ધૂળ અને માટી છે તો ફર્શ અને ગાલીચો લાવજો અને એ ગાલીચો, નેક અને સાલેહ અમલ છે.
4. હું કબ્રમાં ગરીબ છું તો મારી માટે ખઝાનો લાવજો અને એ ખઝાનો, "લા ઇલાહા ઇલલ્લાહ" છે
5. કબ્રમાં ઝેરીલા જીવ-જંતુ છે તો તેનાથી બચવા માટે સદકો આપજો.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ મારી દીકરી ફાતેમહ ઝહરા થી મોહબ્બત રાખશે તે મારી સાથે જન્નત માં રહશે અને જે કોઈ તેનાથી દુશ્મની કરશે તેને માટે આગ છે (જહન્નમની)
(બિહારૂલ અનવાર ભાગ ૨૭ પેજ ૧૧૬)