હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ

હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: બેગુનાહ લોકો ઉપર ઇલઝામ અને આરોપ લગાડવો આસમાનથી પણ વધારે મોટો ગુનોહ છે
(બિહારૂલ અનવાર ભાગ ૭ પેજ ૩૧)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: મોટામાં મોટો ગુનાહે કબીરા અલ્લાહની રહમત ઉપર ભરોસો ન કરવો છે.
(મીઝાનુલ હિકમત ભાગ ૩ પેજ ૪૬૨)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: યા અલ્લાહ અમારા એ ગુનાહોને બખશી આપ જે દુઆઓને તારી બારગાહ સુધી પોહચવાથી રોકે છે
(દુઆ એ કુમૈલ)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: ગીબત કરવી કમજોર આદમીની આખરી કોશિશ હોય છે.
(નેહજુલ બલગાહ હિકમત નં ૪૬૧)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: એક શખ્સે અઘરો પ્રશ્ન પૂછી લીધો તો આપે ફરમાવ્યું કે સમજવા માટે પુછો છો કે મૂંઝવણમાં પડવા માટે, કેમકે જે જાહિલ પણ શીખવા માંગે તો તે આલિમ જેવો છે અને જે આલિમ પણ ગૂંચવણમાં પડાવા માંગે તો તે જાહિલ જેવો છે.
(નેહજુલ બલાગાહ હિકમત નં 320)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ, એ સમયે દુનિયાથી રૂખ્સત થયા જયારે તેમનું માથું મારી છાતી ઉપર હતું અને તેમની પવિત્ર રૂહ મારા હાથો પર જુદી થઈ રહી હતી તો મેં પોતાના હાથોને મોં પર લગાવી દીધા. મેં જ આપને ગુસ્લ આપ્યું છે જયારે ફરિશ્તા моей મદદ કરી રહ્યા હતા. અને ઘરની અંદર તથા બહાર તેઓ ગિર્યા વ જારી કરી રહ્યા હતા(રડી રહ્યા હતા). એક ટોળું ઉતરી રહ્યું હતું તો એક પાછું જઈ રહ્યું હતું. બધા નમાઝે જનાઝા પડી રહ્યા હતા અને લગાતાર હું તેઓની અવાજ સાંભળી રહ્યો હતો. ત્યાં સુધી કે મેં જ હઝરતને કબ્રમાં ઉતાર્યા. તો હવે બતાવો કે જિંદગી અને મૌતમાં મારાથી વધીને કોણ તેમની નજીક હતું? પોતાની લાંબી નજરની સાથે અને સાચી નિય્યતના ભરોસે આગળ વધો, અને પોતાના દુશ્મનોથી જેહાદ કરો.
(નેહજુલ બલગાહ ખૂતબા નં ૧૯૮)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: સૌથી ખરાબ વ્યક્તિ એ છે કે જે પોતાને બીજા કરતા સારો સમજે.
(ગોરરુલ હિકમ ભાગ ૪ પેજ ૧૬૮)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: બની શકે એટલી વધારે નૈકી કરો કેમકે નૈકી ખતરનાક મોતથી બચાવે છે.
(હદિયતુશ શીઆ પેજ ૫૯૭)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: હવસની શરૂઆત લિજ્જતથી હોય છે મગર તેનું અંત નાબૂદીમાં છે.
(ગોરરૂલ હિકમ હદીસ ૩૧૩૩)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: જ્યારે પણ કોઈ કામ શરૂ કરવું હોય તો તેના માટે બોવ ઊંડું વિચારો અને જયારે બધીજ બાજુથી સરખી રીતે માહિતી મળી જાય પછી જ તેને શરૂ કરો અને મક્કમ ઇરાદા સાથે શરૂ કરો.
(મીઝાનુલ હિકમત ભાગ ૩ પેજ ૫૪)