હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ

હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: બેગુનાહ લોકો ઉપર ઇલઝામ અને આરોપ લગાડવો આસમાનથી પણ વધારે મોટો ગુનોહ છે
(બિહારૂલ અનવાર ભાગ ૭ પેજ ૩૧)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: મોટામાં મોટો ગુનાહે કબીરા અલ્લાહની રહમત ઉપર ભરોસો ન કરવો છે.
(મીઝાનુલ હિકમત ભાગ ૩ પેજ ૪૬૨)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: યા અલ્લાહ અમારા એ ગુનાહોને બખશી આપ જે દુઆઓને તારી બારગાહ સુધી પોહચવાથી રોકે છે
(દુઆ એ કુમૈલ)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: ગીબત કરવી કમજોર આદમીની આખરી કોશિશ હોય છે.
(નેહજુલ બલગાહ હિકમત નં ૪૬૧)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: એક શખ્સે અઘરો પ્રશ્ન પૂછી લીધો તો આપે ફરમાવ્યું કે સમજવા માટે પુછો છો કે મૂંઝવણમાં પડવા માટે, કેમકે જે જાહિલ પણ શીખવા માંગે તો તે આલિમ જેવો છે અને જે આલિમ પણ ગૂંચવણમાં પડાવા માંગે તો તે જાહિલ જેવો છે.
(નેહજુલ બલાગાહ હિકમત નં 320)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ, એ સમયે દુનિયાથી રૂખ્સત થયા જયારે તેમનું માથું મારી છાતી ઉપર હતું અને તેમની પવિત્ર રૂહ મારા હાથો પર જુદી થઈ રહી હતી તો મેં પોતાના હાથોને મોં પર લગાવી દીધા. મેં જ આપને ગુસ્લ આપ્યું છે જયારે ફરિશ્તા મારી મદદ કરી રહ્યા હતા. અને ઘરની અંદર તથા બહાર તેઓ ગિર્યા વ જારી કરી રહ્યા હતા(રડી રહ્યા હતા). એક ટોળું ઉતરી રહ્યું હતું તો એક પાછું જઈ રહ્યું હતું. બધા નમાઝે જનાઝા પડી રહ્યા હતા અને લગાતાર હું તેઓની અવાજ સાંભળી રહ્યો હતો. ત્યાં સુધી કે મેં જ હઝરતને કબ્રમાં ઉતાર્યા. તો હવે બતાવો કે જિંદગી અને મૌતમાં મારાથી વધીને કોણ તેમની નજીક હતું? પોતાની લાંબી નજરની સાથે અને સાચી નિય્યતના ભરોસે આગળ વધો, અને પોતાના દુશ્મનોથી જેહાદ કરો.
(નેહજુલ બલગાહ ખૂતબા નં ૧૯૮)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: સૌથી ખરાબ વ્યક્તિ એ છે કે જે પોતાને બીજા કરતા સારો સમજે.
(ગોરરુલ હિકમ ભાગ ૪ પેજ ૧૬૮)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: બની શકે એટલી વધારે નૈકી કરો કેમકે નૈકી ખતરનાક મોતથી બચાવે છે.
(હદિયતુશ શીઆ પેજ ૫૯૭)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: હવસની શરૂઆત લિજ્જતથી હોય છે મગર તેનું અંત નાબૂદીમાં છે.
(ગોરરૂલ હિકમ હદીસ ૩૧૩૩)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: જ્યારે પણ કોઈ કામ શરૂ કરવું હોય તો તેના માટે બોવ ઊંડું વિચારો અને જયારે બધીજ બાજુથી સરખી રીતે માહિતી મળી જાય પછી જ તેને શરૂ કરો અને મક્કમ ઇરાદા સાથે શરૂ કરો.
(મીઝાનુલ હિકમત ભાગ ૩ પેજ ૫૪)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: બધીજ વસ્તુનું એક ઝકાત હોય છે અને બુદ્ધિમાન ઇન્સાનનું ઝકાત બેવકૂફ લોકોને સહન કરવાનું હોય છે.
(ગોરરૂલ હિકમ વ દોરરૂલ કેલમ હદીસ ૫૨૭)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: દેખાવ માટે કામ કરવાવાળા ત્રણ પ્રકારના હોય છે (રોડશો કરવાવાળા):
1. જયારે લોકો તેને જોવે છે ત્યારે તે ખુશી ખુશી અમલ કરે છે.
2. અને જયારે એકલો હોય છે ત્યારે ઇબાદત કરવામાં જલ્દી કરે છે આળસુ બની જાય છે.
3. અને તેની ઈચ્છા એવી હોય છે કે લોકો તેના તમામ કાર્યોમાં વાહ-વાહ કરે.
(કાફી ભાગ ૨ પેજ ૨૯૫)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: સારા કાર્યો કરો અને થોડી ભલાઈને પણ મામુલી ન સમજો.
(નેહજુલ બલાગહ હિકમત ૪૨૨)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: યાદ રાખો ! કે આ કુરઆન એવી નસીહત કરનારી કિતાબ છે કે જે કદી ધોકો દેતી નથી અને એવી હાદી છે કે જે ગુમરાહ કરતી નથી. અને એ બયાન કરવાવાળી છે જે કદી જૂઠથી કામ લેતી નથી. કોઈ શખ્સ તેની પાસે નથી બેસતો પણ જયારે ઊઠે છે તો હિદાયતમાં વધારો કરી લે છે અથવા ઓછામાં ઓછું ગુમરાહી ઓછી કરી લે છે.

યાદ રાખો ! કુરઆનની પછી કોઈ કોઈનો મોહતાજ નથી થઈ શકતો અને કુરઆનની પહેલા બેપરવા નથી થઈ શકતો. તમારી બીમારીઓમાં તેનાથી શિફા મેળવો, અને પોતાના સંકટોમાં તેનાથી મદદ માંગો. કેમકે તેમાં ખરાબમાં ખરાબ બીમારી કુફ્ર અને નિફાક અને ગુમરાહી તથા ભટકવાનો ઇલાજ પણ મૌજૂદ છે. તેના મારફત અલ્લાહથી માંગો અને તેની મોહબ્બતના વાસ્તાથી તેની તરફ રૂખ કરો. અને તેની મારફત લોકોથી સવાલ ન કરો. એટલા માટે કે માલિકથી ધ્યાન ધરવા માટે તેના જેવો કોઈ વસીલો નથી અને યાદ રાખો કે તે એવો ભલામણ કરનારો છે જેની ભલામણ કબૂલ થાય છે. અને એવો બોલવાવાળો છે, જેની વાત સાચી પુરવાર છે.

જેના માટે કયામતના દિવસે કુરઆન સિફારિશ કરી દે તેના હકમાં શફાઅત કબૂલ છે, અને જેના એબો એ ગણાવી દે એના એબો સમર્થન પામેલા છે. કયામતના દિવસે એક પોકારનારો અવાજ આપશે દરેક ખેતી કરનાર પોતાની ખેતીમાં અને પોતાના અમલના અંજામમાં અટવાએલો છે. પણ જે પોતાના દિલમાં કુરઆનના બી વાવવાવાળા હશે તેઓ સફળ છે એટલે તમે લોકો એજ લોકોમાં અને કુરઆનની પયરવી કરવાવાળામાં શામિલ થઈ જાવ. તેને માલિકના દરબારમાં આગેવાન બનાવો અને તેનાથી પોતાના નફસ માટે નસીહત મેળવો. અને પોતાના વિચારોને નિંદાપાત્ર સમજો અને પોતાની ઇચ્છાઓને ધોકો ખાધેલ ગણો.
(નેહજૂલ બલાગાહ ખૂતબા નં ૧૭૫ માં)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામે ફરમાવ્યું: ખુદા ની કસમ! લાલચી ઓલમાઓ, દુનિયાની મોહબ્બત ધરાવતા આબિદો, દગો આપવાવાળા પૈસાવાળાઓ, દેખાવ કરવાવાળા મુજાહિદો, અને અન્યાય કરવાવાળા લીડરોએ લોકોને તબાહ અને બરબાદ કરી દીધા છે.
ખુબજ જલ્દી અન્યાય કરવાવાળા અને ઝાલીમોને ખબર પડી જશે કે તેઓ ફરીને પાછા ક્યા જવાના છે (એટલે કે જહન્નમની ધકધક્તી આગ તેની રાહ જોય રહી છે).
(મિઝાનુલ હિકમત)
નોટ: ઉપર દર્શાવેલા દેરક પ્રકારના લોકો આજે આપણે ડગલેને પગલે જોઈએ છીએ અને આપણું પછાત રેહવાનું કારણ આ બધી વસ્તુ અથવા એમાંથી કોઈ પણ એક વસ્તુ આપણામાં છે મગર આપણે હંમેશા બીજા લોકોને ધ્યાનમાં રાખીએ છીએ કે તે આવો છે તે બરાબર નથી આપણે ફક્ત બીજા લોકોને ઐબ ગોતીએ છીએ આપણા પોતાના ઐબ જોતા નથી અને તેને સુધારવની કોશિશ પણ કરતા નથી જ્યારે કે આપણે બીજાને નહિ પણ ખુદને સુધારી શકીએ છીએ તો આજથી આપણે પોતે, પોતાને સુધરવાની કોશિશ કરીએ આપણે પોતે સુધરી જશું તો બીજા પણ સુધરી જશે ઇન્શાલ્લાહ.
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: અગર તમે તમારા દીનને દુનિયાના ચક્કરમાં ભૂલી જાવ અને દીન ઉપર અમલ કરવાનું બંધ કરી દો તો તમે દીન અને દુનિયા બન્ને બરબાદ કરી દીધી અને આખેરાતમાં પણ નુકસાન ઉઠાવું પડશે.
અને દુનિયાને હસીલ કરવા માટે દીન પ્રમાણે અમલ કર્યો તો દીન અને દુનિયા બન્ને મળશે અને આખેરતમાં પણ કામયાબી મળશે.
(ગોરરૂલ હિકમ હદીસ ૩૭૫૦)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: મેં પરવરદિગારને ઇરાદાઓના તૂટવાથી અને નિય્યતોના ફરી જવાથી અને હિમ્મત હારી જવાથી ઓળખ્યો છે.
(નેહજુલ બલાગહ હિકમત નં ૨૫૦)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: એ ન જોવો કોણે કીધું બલ્કે એ જોવો કે શું કીધું.
(ગોરરૂલ હિકમ હદીસ ૩૦૧)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: તોબા કરવા માટે આ ચાર વસ્તુ હોવી જરૂરી છે:
1. દિલની અંદર ભૂલની શર્મીનદગી
2. જીભથી ઇસ્તેગફાર (માફી માંગવી)
3. અંગ અને કાર્યોથી અમલ
4. બીજી વખત ગુનાહ તરફ ન જાવાનો મક્કમ ઈરાદો
(કશફૂલ ગમ્મ ભાગ ૨ પેજ ૩૪૯)
નોટ: કેટલાક લોકો ગુનાહની માફીને બિલકુલ નોર્મલ સમજે છે જયારે કે આપણા મોલાએ આ હદીસ અને બીજી હદીસોમાં ગુનાહોની માફી માટે આ બધી શર્તો રાખી છે ફક્ત જીભથી અલ્લાહ તોબા અને માફી કાફી કબૂલ નથી કરતો બલ્કે મેન વસ્તુ છે શર્મીનદગી અને બીજી વખત તે ગુનાહ ન કરવાનો મક્કમ ઈરાદો તો અલ્લાહ જરૂર માફ કરશે, અને જે ફક્ત જીભથી તોબા તોબા કરે છે તે લોકો ફરી વખત ગુનાહ કરી બેઠે છે કેમકે તે અંદરથી પશેમાન અને શરમિંદા નથી થયા હોતા.

પહેલી વસ્તુ શૈતાનના બેહકાવામાં નહિ આવવાનું બીજી વસ્તુ મક્કમ ઈરાદો કરવાનો કે હવે ગુનાહ નહિ કરીશ અને તોબા કરવા માટે જલ્દી કરો આજે નહિ કાલે માફી માંગશું તેની વાત ન માનીને દિલથી પશેમાન થઈને સરખી રીતે જેમ બને તેમ જલદી દિલથી તોબા કરી લેવી કેમકે એવા ઘણા બધા કિસ્સા સાંભળવા મળ્યા છે કે તે લોકો એમ કહી ને સૂતો કે કાલે સવારના ઉઠીને માફી માંગીશ મગર તે સવારના ઉઠી ન શક્યા

જો કલ કરના હૈ વોહ આજ કરો ઓર જો આજ કરના હૈ વોહ અભી કરો અચ્છે કામમે દેરી બિલકુલ નહિ કરની ચાહીયે
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અ.સ ફરમાવ્યું: કુરઆનની હિદાયતની સાંકળને વળગી રહો અને તેનાથી શિખામણ ગ્રહણ કરો. તેના હલાલને હલાલ ગણો અને હરામને હરામ ગણો. હકની વીતી ગયેલી વાતોનું સમર્થન કરો. અને દુનિયાના ભૂતકાળથી તેના ભાવિ માટે બોધ ગ્રહણ કરો (સબક લ્યો) કેમકે તેનો એક ભાગ બીજા ભાગથી મળતો આવે છે. અને દુનિયાનો અંત આરંભ સાથે ભેગો થવાવાળો છે. અને બધાયને આ દુનિયા છોડી ને જવાનું છે.
(નેહજુલ બલાગાહ લેટર નં ૬૯ નો ભાગ)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: કોઈને પણ વધારે ચેતવણી (warning) આપવાથી બચો, કેમકે વધારે પડતી ચેતવણી ઇન્સાનને ગુનાહ કરવાની હિમ્મત અપાવે છે અને ચેતવણીનો કંઈ ફાયદો થતો નથી.
(ગોરરૂલ હીકમ હદીસ ૩૭૪૮)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: અગર તમે ચાહો છો કયામતમાં અમારી સાથે રહો તો ઝાલિમોની મદદ ન કરો, જે કોઈ પણ અમારી સાથે મોહબ્બત કરશે તેઓ તે દિવસે (કયામતમાં) અમારી સાથે રહેશે અને અગર કોઈ પથ્થરના ટુકડા સાથે મોહબ્બત કરતુ હશે તો તે તેની સાથે મેહશુર થશે (એટલે કયામતના દિવસે જે જેની પૂજા કરતું હશે અથવા કોઈ બાતીલ લીડરને માનતો હશે તો તેઓ તેની સાથે કયામતના દિવસે લાવવામાં આવશે)
(અમાલી શૈખ સદુક પેજ ૨૦૯)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જેની પાસે આ ચાર વસ્તુ હશે તેની દુનિયા અને આખેરત બન્ને ફાયદામાં રહશે:
1. હંમેશા સાચું બોલવું
2. અમાનતને અદા કરી દેવું
3. હલાલ ખાવું
4. અને સારા અખલાકનું હોવું
(ગોરરૂલ હિકમ હદીસ ૩૧૭)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: વધારે પડતો કરઝો લેવાથી અને દેવું લેવાથી સાચ્ચુ બોલનાર ઇન્સાન પણ ખોટુ બોલવા લાગે છે અને સારો ઇન્સાન ખરાબ બની જાય છે.
(મિઝાનુલ હિકમત ભાગ ૭ પેજ ૨૦૮)
નોટ: નમાઝમાં સાત તકબિર અને તેની ખાસિય્યત, રૂકુઅ સજદા તશહ્હુદ અને સલામની ટૂંકમાં જાણકારી કે નમાઝની આ બધીજ ઈતાઅતમાં શું-શું ખાસિય્યત અને મફહુમ છે તે આ હદીસમાં બયાન કરવામાં આવ્યું છે
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: પહેલી તકબીર એ અલ્લાહ તઆલા માટે છે કે જેને ઉભુ રેહવાની કે બેઠવાની જરુરત નથી.
બીજી તકબીર એ અલ્લાહ તઆલા માટે કે જેને ચાલવાની કે એક જગ્યા ઉપર રેહવાની જરુરત નથી પડતી.
ત્રીજી તકબીર એ અલ્લાહ તઆલા માટે કે જેને કોઈ પણ વસ્તુની જેમ ન સમજવો (એટલે કે કોઈ ની જેવો નથી)
ચોથી તકબીર એ અલ્લાહ તઆલા માટે જે બધીજ વસ્તુ પહેલા હતો.
પાચમી તકબીર એ અલ્લાહ તઆલા માટે કે જેની કોઈ ખાસ જગ્યા નથી તે બધીજ બાજુ છે.
છઠ્ઠી તકબીર એ અલ્લાહ તઆલા માટે જે હમેશા બાકી રેહવાનો છે જ્યારે કે બીજી બધી વસ્તુ ખતમ થઈ જવાની છે.
સાતમી તકબીર એ અલ્લાહ તઆલા માટે કે જે બધી વસ્તુની જેમ શરીર કે અવયવો નથી રાખતો.

રૂકુઅ: હું અલ્લાહ તઆલા ઉપર ઈમાન લાવ્યો છું ભલે મારી ગરદનને મારા શરીર થી અલગ કરી દેવામાં આવે હું કોઈ દિવસ આ ઈમાનથી મોઢું ફેરવિશ નહિ.
રૂકુઅ પછી ઊભા થતી વખતે (સમેઅ અલ્લાહો લેમન હમેદહ): અય અલ્લાહ હું કઈ ન હતો તો તું મને આ દુનિયામાં લઈને આવ્યો અને હું કઈ પણ નથી જયારે કે તું બધીજ વસ્તુનો માલિક છો.
પહેલા સજદામાં: અય અલ્લાહ તે મને આ માટીથી બનાવ્યો છે.
સજદામાંથી ઉભા થઈએ: એટલે મને આ માટી માંથી ઊભો કરવામાં આવશે.
બીજા સજદામાં: અય અલ્લાહ તું અમને આ માટીમાં ફરી મોકલવાનો છો.
બીજા સજદા માં થી ઉભા થઈએ: એટલે કયામતના દિવસે આ માટીમાંથી ઉઠાવવામાં આવશે અને ત્યાં અમલને તપાસવામાં આવશે.
તશહ્હુદ: અલ્લાહની ઉપર અકિદો, અલ્લાહ એક છે તેની ગવાહી, અને રસૂલે ખુદા સ.અ.વ. ની રિસાલત ઉપર ગવાહી, અને ઓલાદે રસુલ ઉપર સલવાત.
સલામ: અલ્લાહ તરફથી તમામ બંદે ખુદા માટે ખાસ સલામતી, કે જે એ નમાઝીઓને કયામતના અઝાબથી બચાવશે.
(બિહારૂલ અનવાર ભાગ ૮૧ પેજ ૨૬૪)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે શખ્સ પોતાના (અવયવો જેમકે) હાથ, દિલ અને જીભથી બુરાઈને બુરાઈ ન સમજે તો તે જીવતા ઇન્સાનોમાં મરેલા ઇન્સાન જેવો છે.
(જામેઉસ સઆદત ભાગ ૨ પેજ ૨૩૮)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જેટલી બની શકે એટલી નેકી કરો કેમકે નેકી ખરાબ મોતથી બચાવે છે
(હદયતુશ શીઆ પેજ ૫૯૭)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જેઓ ગરીબ જેવો દેખાવ કરે છે તે ગરીબ થઈ જાય છે.
(ગોરરૂલ હિકમ હદીસ ૭૯૩૭)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: ઓલમા ની ઝિયારત અને મુલાકાત અલ્લાહ તઆલા ને 70 વખત ખાને કાબા ના તવાફ કરતા પણ વધારે પસંદ છે.
(બિહારૂલ અનવાર ભાગ ૧ પેજ ૨૦૫)
શિયાઓની સાત નિશાનીઓ હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
1. અમારા શિયાઓ અમારી વિલાયત માં એક બીજા માટે ખર્ચ કરે છે
2. અમારી મવદ્દત માં એક બીજા થી મોહબ્બત કરે છે
3. અમારા હુક્મ ને જીવતું રાખવા માટે એક બીજાની મુલાકાત કરે છે
4. જયારે તે ગુસ્સા માં આવી જાય ત્યારે તે ઝુલ્મ અને અત્યાચાર નથી કરતા
5. અને જયારે તે ખુશ હોય ત્યારે તે વધારે પડતો ખર્ચ નથી કરતા
6. પાડોસીઓ માટે બરકત નું કારણ હોય છે
7. મળવા વાળા લોકો માટે સલામતી અને તંદુરસ્તી ની ઈચ્છા ધરાવે છે.
(કાફી ભાગ ૨ પેજ ૨૩૬)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે કોઈ પણ અલ્લાહ તઆલાની ખુશી માટે રજબ મહિનામાં સદકો આપશે તો અલ્લાહ તઆલા તેને એટલી બધી ઈજ્જત આપશે કે તેની આંખે કોઈ દિવસ જોઈ નહિ હોય, તેના કાને કોઈ દિવસ સાંભળી નહિ હોય, અને તેએ દિલ માં કોઈ દિવસ વિચાર્યું નહિ હોય (એવી ઈજ્જત પ્રાપ્ત થશે)
(ફઝાએલુલ અશહર પેજ ૩૮)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: ઇસ્તેગફાર અને તોબા થકી તમે પોતાને સુગંધિત કરો જેથી ગુનાહોની ગંધ તમને બદનામ અને રૂસ્વા ન કરે.
(બિહારૂલ અનવાર ભાગ ૬ પેજ ૨૨)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ફરમાવે છે: બધીજ દુઆઓ નો ખુલાસો આ ૪ દુઆની અંદર છે જેને દરરોજ સવારે પઢો.
1. الحمد لله على كل نعمه
2. و أسأل الله من كل خير
3. و استغفر الله من كل ذنب
4. و اعوذ بالله من كل شر
(બિહારૂલ અનવાર ભાગ ૯૧ પેજ ૨૪૨)
નોટ: 1. અલ્હમદો લિલ્લાહે અલા કુલ્લે નેઅમ્હ = બધાજ વખાણ અલ્લાહ માટે છે જેએ આ બધીજ નેઅમતો આપી.
2. વ અસઅલુલ્લાહે મિન કુલ્લે ખૈર = હું અલ્લાહ પાસે દુઆ માંગુ છું કે મને બધીજ સારી વસ્તુ અતા કર.
3. વ અસ્તગફેરુલ્લાહે મીન કુલ્લે ઝંમ્બ = હું અલ્લાહ પાસે મારા બધાજ ગુનાહો ની માફી માંગુ છું.
4. વ અઉઝો બિલ્લાહે મીન કુલ્લે શર = અય અલ્લાહ મને તમામ બુરાઈ થી બચાવીને રાખ.
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે કોઈ મોમીન મેહમાન નો અવાજ સાંભળી ને ખુશ થઇ જાય તો તેના ગુનાહો ને માફ કરી દેવામાં આવશે પછી ભલે તેના ગુનાહ આસમાન અને ઝમીન જેટલા હોય.
(સફીનતુલ બહાર ભાગ ૨ પેજ ૭૭)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સ્લામ ફરમાવે છે: બે પ્રકારના અમલમાં કેટલું અંતર છે!
1. એ અમલ જેની મઝા ખતમ થઇ જાય અને સઝા બાકી રહે (એટલે કે ગુનાહ).
2. અને એ અમલ જેની મેહનત ખતમ થઇ જાય અને સવાબ બાકી રહે (ઈબાદત).
(નેહજુલ બલાગહ હિકમત નં ૧૨૧)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: બેહતરીન અખલાક વાળી ઝિંદગી આ ત્રણ વસ્તુની અંદર છે:
1. હરામ થી બચવું
2. હલાલ રોજી માટે મેહનત
3. પોતાના કુટુંબ માટે આરામ વાળી ઝિંદગી.
(બિહારૂલ અનવાર ભાગ ૭૧ પેજ ૩૯૪)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે અલ્લાહ તઆલા ઉપર અને કયામત ના દિવસ ઉપર ઈમાન રાખે છે તે શકવાળી જગ્યા ઉપર નથી જતા અને ત્યાં નથી રોકાતા.
(અલ્કાફી ભાગ ૨ પેજ ૩૭૮)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સ્લામ ફરમાવે છે: કેટલાક રોઝાદાર એવા છે જેના રોઝા મા ભુખ પ્યાસ સિવાય બીજું કઈ નથી હોતું, અને કેટલાક ઈબાદત ગુઝાર અને નમાઝ પઢનાર એવા છે જેમણે રાત જાગી ને તકલીફ સીવાય બીજું કઈ પ્રાપ્ત નથી કર્યું. હોશિયાર ઈન્સાનનું ખાવું પીવું અને સૂવું પણ વખાણ લાયક હોય છે.
(નેહજુલ બલાગહ હિકમત નં ૧૪૫)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: દિલ થી રોઝો રાખવો ઝબાન થી રોઝો રાખવા કરતા બેહતર છે અને ઝબાન થી રોઝો રાખવો પેટ ના રોઝા થી બેહતર છે.
(ગોરરૂલ હિકમ ભાગ પેજ ૪૧૭)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: રમઝાન મહિના ને રમઝાન એ માટે કહેવામાં આવે છે કારણકે તે ગુનાહોને બાળી નાખે છે.
(મિઝાનુલ હિકમત હદીસ નં ૭૪૪૧)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: અલ્લાહ તઆલા છ (6) પ્રકારના લોકો ને છ (6) કારણે અઝાબ આપશે.
1. અરબી લોકોને પક્ષપાત ના લીધે (તારો કબીલો મારો કબીલો, હું અરબી તુ અજમી)
2. જમીનદાર લોકોને ઘમંડ ના લીધે
3. હાકીમો, બાદશાહો અને નેતાઓને ઝુલ્મ અને અત્યાચાર ના લીધે
4. આલીમોને હસદ અને ઈર્ષા ના લીધે
5. વેપારીઓ ને બેઈમાની અને ખયાનત ના લીધે
6. અને ગામડિયા લોકોને જેહાલત અને અજ્ઞાનતા ના લીધે. (અઝાબ દેવામાં આવશે)
(અલ્ખેસાલ પેજ ૩૨૫)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે કોઈ કાલ ની રોજી માટે (અત્યાર થી) પરેશાન રહશે તે કોઈ દિવસ કામયાબ નહિ થાય.
(ગોરરૂલ હિકમ, હદીસ ૯૧૧૩)
મોલા અલી અલય્હિસ્સલામ નું વસિયત નામુ: ઇમામ હસન (અલય્હિસ્સલામ) અને ઇમામ હુસૈન (અલહિસ્સલામ)ને ઇબ્ને મુલ્જિમની તલવારથી ઝખ્મી થયા પછી ફરમાવ્યું.

(દુનિયા થી દિલ ન લગાવવું)
હું તમો બંનેને વસીયત કરૂં છું કે અલ્લાહનો તકવા (ડર) ઇખ્તયાર કરતા રહેજો અને ખબરદાર, દુનિયા તમને લાખ ચાહે તેનાથી દિલ ન લગાવજો...

(સિલ્હે રહમ, સબંધ)
હું તમો બંનેને અને મારા બધા બાલ બચ્ચાઓને અને જ્યાં સુધી મારો સંદેશ પહોંચે, બધાને વસીયત કરૂં છું કે અલ્લાહનો તકવા અપનાવજો, પોતાના કામોને વ્યવસ્થિત રાખજો, પોતાની વચ્ચે સંબંધો સુધારીને રાખજો. કેમકે મેં તમારા બુઝુર્ગ નાના પાસેથી સાંભળ્યું છે કે આપસના મામલાઓ સુધારી રાખવા સામાન્ય નમાઝ અને રોઝાથી પણ ઉત્તમ છે.

(યતિમો, પાડોશી)
જુઓ યતિમોના સંબંધમાં અલ્લાહથી ડરતા રહેજો અને તેઓને ભૂખ્યા રહેવાનો વખત ન આવી જાય. અને તેઓ તમારી દ્રષ્ટિ સમક્ષ બરબાદ ન થઈ જાય અને જુઓ પડોશીઓના વિષયમાં અલ્લાહથી ડરતા રહેજો કેમકે તેમના વિષયમાં તમારા પયગમ્બર સલ્લલ્લાહો અલય્હે વ આલેહીની વસીયત છે અને આપ બરાબર તેઓના વિશે નસીહત ફરમાવતા રહેતા હતા. એટલે સુધી કે અમને લાગ્યું કે કદાચ આપ વારસદાર પણ બનાવવાવાળા છે.

(કુરાન અને નમાઝ)
જુઓ અલ્લાહથી ડરો, કુરઆનના સંબંધમાં કે તેમના પર અમલ કરવામાં બીજા લોકો તમારી આગળ ન નીકળી જાય. અલ્લાહથી ડરો નમાઝના વિશે એ તમારા દીનનો સ્તંભ છે.

(અલ્લાહ નું ધર)
અને અલ્લાહથી ડરો પોતાના પરવરદિગારના ઘરના સંબંધમાં કે જ્યાં સુધી જીવતા રહો તેને ખાલી ન રહેવા દયો કેમકે જો તેને છોડી દીધું તો તમે જોવાને લાયક પણ નહીં રહો

(લોકોને નેકી ની દાવત આપતા રહો)
અને અલ્લાહથી ડરો પોતાની જાન અને માલ અને જબાનથી જેહાદ કરવા વિશે અને આપસમાં એક બીજાથી સંબંધ રાખો, એક બીજાની મદદ કરતા રહો અને ખબરદાર એકબીજાથી મોં ન ફેરવી લેતા, અને સંબંધો તોડી ન નાખવા અને અમ્ર બિલ મઅરૂફ (નેકીનો હુકમ) અને નહીં અનિલ મુન્કર (ગુનાહથી રોક્વા)ની ઉપેક્ષા ન કરજો નહિંતર તમારા પર બૂરા લોકોની હુકૂમત સ્થપાઈ જશે. અને તમે ફરિયાદ પણ કરશો તો સાંભળવામાં નહીં આવે.

(ફકત કાતિલ ને મારજો)
અય અબ્દુલ મુત્તલિબની અવલાદ ! ખબરદાર, હું એ ન જોઉં કે તમે મુસલમાનોનું ખૂન વહાવવું શરૂ કરી દયો માત્ર એ નારા પર કે "અમીરૂલ મોઅમેનીન માર્યા ગયા છે." મારા બદલામાં મારા ખૂની સિવાય કોઈને કતલ નથી કરી શકાતો. જુઓ, જો હું આ “ઘા”થી ઉગરી ન શક્યો તો એક “ઘા”નો જવાબ એક જ “ઘા” છે અને જુઓ મારા કાતિલના જીસ્મના ટૂકડા ન કરજો કેમકે મેં ખૂદ સરકારે દો આલમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહીથી સાંભળ્યું છે કે ખબરદાર, કરડવાવાળા કૂતરાના પણ હાથ પગ ન કાપવા.
(નેહજુલ બલગાહ લેટર નં 47)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ: ઇદ ના દિવસે ફરમાવે છે: આ ઈદ માત્ર એ લોકો માટે છે જેમના રોઝા કબૂલ થઈ ગયા અને તેમની નમાઝ સ્વીકારવામાં આવી, અને આમ પણ જે દિવસે પરવરદિગારનો કોઈ ગુનોહ ન કરવામાં આવે તે દિવસ મુસલમાનો માટે ઈદનો દિવસ છે.
(નેહજુલ બલગાહ હિકમત નં ૪૨૮)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: જે લોકો ઉપર ઓછો ભરોસો રાખશે તે સ્વસ્થ અને તંદુરસ્ત રહશે અને જે લોકો ઉપર વધારે ભરોસો રાખશે તે પરેશાન રહશે.
(મિઝાનુલ હિકમત ભાગ ૧૫ પેજ ૨૦૦)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે: તમો તમારા માં-બાપ ની સાથે નૈકી કરો એટલે તમારી ઓલાદ પણ તમારી સાથે નૈકી અને સારો વર્તાવ કરે.
(ગોરરૂલ હીકમ ભાગ ૩ પેજ ૨૬૭)
ગુનેહગાર ના ગુનાહ પર રાજી રહેવાની સઝા
ઇમામ અલી અ. ફરમાવે છે:
કોઈ કોમ (ગ્રુપ અથવા ભીડ)ના કામથી ખુશ થવાવાળો માણસ એવો છે કે જાણે તે પોતે તેના કામમાં ભાગીદાર હોય. અને ખરાબ કામમાં ભાગીદાર બનવાના બે ગુનાહ છે એક ખરાબ કામ કરવાનો, અને બીજો તેના ઉપર ખુશ રહેવાનો.

ઇમામ અલી અ. આ હિકમતમાં ખાસ બતાવ્યું છે કે જે જેનો સાથ આપશે તે તેના જેવો ગણાશે, જે બુરાઈ નો સાથ આપશે તે બુરાઈ કરનાર જ ગણાશે અને જે નેકીનો સાથ આપશે તે નેકી કરી હોય તેમ ગણાશે, એટલે જે ગુનાહ કરે તે જ ફક્ત ગુનેહગાર નથી, યા જે નેકી કરે તે જ ફક્ત સવાબ નો હકદાર નથી બલ્કે જે તેમના કામોથી રાઝી થઇ જાય તેમને પણ જઝા અને સઝા મળશે. જો લોકોમાં આ ફિકર આવી જાય તો લોકો ગુનાહથી નફરત કરશે અને નેક કામોમાં સાથ આપશે.

લોકો બુરાઈ તરફ જવા માટે સૌથી પહેલા તે બુરાઈનો વિચાર કરે છે અને પછી તેના તરફ આગળ વધે છે, તો ઇમામ અ. આ કલામથી બતાવ્યું કે ભલે તમે બુરાઈ ન કરતા હોય પરંતું બુરાઈ કરનારના કામથી રાઝી રહેશો તો તમે પણ ગુનેહગાર છો.

જો કોઈ માણસે ગુનાહ કર્યો હોય, બીજો વ્યક્તિ કે જો કોઈના ખરાબ કામો પ્રત્યે દિલમાં ખુશી ધરાવે તો ધીમે ધીમે તેની વાતો અને કામો પણ તેના જેવા જ થઇ જશે.

ગુનેહગારોના ગુનાહ ઉપર રાજી ન રહેવું તે કુરાને મજીદ અને હદીસોમાં વારંવાર ઉલ્લેખ થયો છે, અને ગુનેહગાર ના ગુનાહ ઉપર રાજી રહેવું ગુનાહે કબીરા માં ગણવામાં આવ્યું છે. અને આવા લોકો ઉપર અલ્લાહનો અઝાબ નાઝીલ થયો છે, જ. સાલેહ નબી અ. ની ઊંટણી ને ફક્ત એક માણસે કતલ કરી હતી પરંતું અઝાબ પૂરી કૌમ ઉપર આવ્યો કેમ કે કતલ કરનારના ગુનાહથી પૂરી કૌમ રાઝી હતી.

ઝિયારતે વારેસામાં આપણે પઢીએ છીએ કે અલ્લાહ લાનત કરે તેના ઉપર જે આપ ને કતલ કર્યા, જે આપ ઉપર ઝુલ્મ કર્યો, જે આપની આ મુસીબતો સાંભળીને રાજી થયો. આજ ના ઝમાનામાં પણ જે માણસ કરબલાની મુસીબતો ઉપર ખુશ થાય તે પણ ઇમામ હુસૈન અ. અને શોહાદાએ કરબલાનો કાતિલ ગણાશે અને ખુશ થનાર ને પણ અઝાબ મળશે.

આજના ઝમાનામાં પણ લોકો દબંગ, ગુંડાઓ અને સરકારમાં લાગવગ વાળા લોકો કે જેઓ ગુનાહોમાં ડૂબેલા હોય છે તેમનાથી રાજી હોય છે તો જે રાજી છે તે પણ ગુનેહગાર ગણાશે, અથવા માલ અને દૌલત વધારે હોવાના લીધે લોકો તેમના ખરાબ કામોનો સાથ આપે છે અને હાં માં હાં મેળવે છે, તો જે લોકો આ રીતે ગુનેહગારના ગુનાહનો સાથ આપે છે તો એમ ન સમજે કે કઈ નથી કર્યું, જેટલો ગુનાહ ગુનેહગારને મળશે તેટલો ગુનાહ સાથ આપનાર અને રાજી રેહનારને પણ મળશે.
નોટ: ઇમામ અ. ની આ હિકમત સ્પષ્ટ કરે છે કે ખરાબ કામમાં મૌન સંમતિ અથવા ખુશી વ્યક્ત કરવી પણ ગુનાહ છે.
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
ઇસ્તેગફાર અને તોબા થકી તમે પોતાને સુગંધિત કરો જેથી ગુનાહોની ગંધ તમને બદનામ અને રૂસ્વા ન કરે.
(બિહારૂલ અનવાર ભાગ ૬ પેજ ૨૨)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
અલ્લાહની કસમ મારા બાપ દાદામાંથી કોઈ પણ બુત ની પૂજા નથી કરી.
તો સવાલ પૂછવામાં આવ્યો તો તેઓ કઈ વસ્તુ ને માનતા હતા?
તો આપે જવાબ માં ફરમાવ્યું: તેઓ કાબા તરફ નમાઝ પઢતા હતા અને જનાબે ઇબ્રાહિમ ના દીન ઉપર અમલ કરતા હતા.
(કમાલુદ દીન શૈખ સદૂક ભાગ ૩ પેજ ૩૧૩)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
બેહતરીન ઝિક્ર કુરઆન નો ઝિક્ર છે તેના થકી દિલ વિશાળ થાય છે અને છૂપાયેલી વસ્તુ ની જાણકારી મળે છે.
(શરહે ગોરરૂલ હિકમ ભાગ ૨ પેજ ૪૫)
દુનિયાની બેવફાઈ
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
ઝમાનો (સમય) શરીરને જૂનું અને ઇચ્છાઓને નવી બનાવે છે, મૃત્યુને નજીક લાવે છે અને ઇચ્છાઓને દૂર કરે છે. જે કોઈ જીંદગીમાં હાસિલ કરે છે તેને પણ મુસીબત ઉઠાવી પડે છે અને જે ખોઈ બેસે છે તે તો દુઃખ ઉઠાવે જ છે.
(નેહજુલ બલગાહ હિકમત નં ૭૨)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
સવાલ સમજવા માટે કરો, સમસ્યા ઉભી કરવા માટે નહિ, જો જાહિલ પણ સિખવા માંગે તો તે આલીમ જેવો છે અને આલિમ સમસ્યા ઉભી કરવા ચાહે તો તે જાહિલ જેવો છે.
(નેહજુલ બલગાહ હિકમત ૩૨૦ લેખક સુબહિસ સાલેહ)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
પોતાની સલામતી માટે ફક્ત એટલું જ કાફી છે કે બીજાની ભૂલોને ઓછી યાદ કરે.
(મિઝાનુલ હિકમત ભાગ ૮ પેજ ૩૩૨)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
કોઈ પણ ગરીબ ભૂખ્યો ન રહ્યો હોત જો માલદાર અને અમીર ઇન્સાને તેનો હક અદા કર્યો હોત.
(મિઝાનુલ હિકમત ભાગ ૮ પેજ ૫૩૧)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
તમારો વારો આવશે ત્યારે તમને દુનિયા મળશે તો દુનિયા ના લાભ ઉપાડવા માટે આરામની સાથે આગળ વધો કે તમારો વારો આવે, અને તમને દુનિયા મળે.
(ખેસાલ પેજ ૬૩૩)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
દિલ વાસણ ની જેવું છે અને બેહતરીન વાસણ એ છે કે જેમાં નેકી વધારે હોય.
(ગોરરૂલ હિકમ હદીસ ૩૪૪૯)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
તોબા કરવા માટે આ ચાર વસ્તુ હોવી જરૂરી છે
1. દિલની અંદર ભૂલની શર્મીનદગી
2. જીભથી ઇસ્તેગફાર (માફી માંગવી)
3. અંગ અને કાર્યોથી અમલ
4. બીજી વખત ગુનાહ તરફ ન જાવાનો મક્કમ ઈરાદો
(કશફૂલ ગમ્મ ભાગ ૨ પેજ ૩૪૯)
નોટ: કેટલાક લોકો ગુનાહની માફીને બિલકુલ નોર્મલ સમજે છે, જ્યારે કે તોબા કરવા માટે આ બધી શર્તો જરૂરી છે. ફક્ત જીભથી તોબા અને માફી કાફી નથી. શર્મીનદગી અને મક્કમ ઇરાદો ન હોય તો ફરી ગુનાહ કરી બેસીએ છીએ. તોબા કરવા માટે જલ્દી કરો, કારણકે આવતીકાલની ખબર નથી.
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામે ફરમાવ્યું:
બેગુનાહ લોકો ઉપર ઇલઝામ અને આરોપ લગાડવો આસમાનથી પણ વધારે મોટો ગુનોહ છે.
(બિહારૂલ અનવાર ભાગ ૭ પેજ ૩૧)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
અલ્લાહની કસમ મારા બાપ દાદામાંથી કોઈ પણ બુત ની પૂજા નથી કરી.
તો સવાલ પૂછવામાં આવ્યો તો તેઓ કઈ વસ્તુ ને માનતા હતા?
તો આપે જવાબ માં ફરમાવ્યું: તેઓ કાબા તરફ નમાઝ પઢતા હતા અને જનાબે ઇબ્રાહિમ ના દીન ઉપર અમલ કરતા હતા.
(કમાલુદ દીન શૈખ સદૂક ભાગ ૩ પેજ ૩૧૩)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
કયામતના દિવસે સૌથી વધારે અફસોસજનક પરિસ્થિતિ એ માણસની હશે જે ખુદાની બંદગીથી હટીને (હરામ) માલ ભેગો કરે અને પછી તેના વારસદારો એ લઈ જાય જેને તેઓ ખુદાની ફરમાંબરદારીમાં ખર્ચ કરે તો વારસદાર માલથી જન્‍નતમાં ચાલ્યો જશે અને કમાવવાવાળો તેનાથી જહન્‍નમનો હકદાર થઈ જશે.
(નેહજુલ બલાગહ હિકમત 429)
ગુનાહો ના ત્રણ પ્રકાર અને તેનો બદલો
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
ગુનાહોના ત્રણ પ્રકાર છે:
1️⃣ જે ગુનાહોને માફ કરી દેવામાં આવે છે: તે એ ગુનાહ છે જેની અલ્લાહે એ દુનિયામાં સજા આપી દીધી છે તો એ ગુનાહની બીજી વખત કયામતમાં સજા નહિ થાય.
2️⃣ જે ગુનાહને માફ કરવામાં નથી આવતા: એ ગુનાહ છે કે જે લોકોએ એક બીજા ઉપર ઝુલ્મ અને અત્યાચાર કરીને કર્યા છે.
3️⃣ એ ગુનાહ કે જેમના વિશે ખબર નથી કે માફ થઈ ગયા કે સજા મળશે: આ એ ગુનાહ છે કે જેને અલ્લાહે લોકોથી છૂપાવીને રાખ્યા છે અને તોબા કરવાની તોફિક આપી છે, હવે તે માણસને એ ખબર નથી કે ગુનાહ માફ થયા છે કે નહિ, તેની સજા મળશે કે નહિ? અને બીજી તરફ અલ્લાહની રેહમત ઉપર ભરોસો છે કે અલ્લાહે માફ કરી દિધા હશે, તો અલ્લાહની રહમત નો પણ ખ્યાલ આવે છે અને અલ્લાહના અઝાબ ની પણ ચિંતા થાય છે.
(ઉસૂલે કાફી ભાગ ૨ પેજ ૪૪૩)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
અમે નબુવ્વતના ફરઝંદ, રિસાલતનું સ્થાન, મલાએકાઓના આવવા જવાનું સ્થળ, ઇલ્મની ખાણ અને હિકમતના ઝરણા છીએ. અમારો મદદગાર અને દોસ્ત સદા રહેમતનો ઇન્તેઝાર કરે છે અને અમારા દુશ્મન અને કીનાખોર અલ્લાહની લાનત દુશ્મનીની રાહ જોવે છે.
(નેહજુલ બલાગહ ખુતબા નં ૧૦૯ નો એક ભાગ)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
ગઈ કાલ ખતમ થઈ ગઈ આવતી કાલની ખબર નથી તો આજના દિવસ ને ગનીમત સમજો અને સારા અને નેક કામ અંજામ આપો.
(શારહે ગોરરુલ હીકમ ભાગ ૨ પેજ ૫૦૭)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે ગુનાહ કર્યા પછી પછતાવો થાય તે બહેતર છે એ નેકીથી કે જેના પછી ઘમંડ આવી જાય છે.
(નેહજુલ બલાગહ હિકમત 46)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
યાદ રાખો! કે આ કુરઆન એવી નસીહત કરનારી કિતાબ છે કે જે કદી ધોકો દેતી નથી અને એવી હાદી છે કે જે ગુમરાહ કરતી નથી. અને એ બયાન કરવાવાળી છે જે કદી જૂઠથી કામ લેતી નથી. કોઈ શખ્સ તેની પાસે નથી બેસતો પણ જયારે ઊઠે છે તો હિદાયતમાં વધારો કરી લે છે અથવા ઓછામાં ઓછું ગુમરાહી ઓછી કરી લે છે.

યાદ રાખો! કુરઆનની પછી કોઈ કોઈનો મોહતાજ નથી થઈ શકતો અને કુરઆનની પહેલા બેપરવા નથી થઈ શકતો. તમારી બીમારીઓમાં તેનાથી શિફા મેળવો, અને પોતાના સંકટોમાં તેનાથી મદદ માંગો. કેમકે તેમાં ખરાબમાં ખરાબ બીમારી કુફ્ર અને નિફાક અને ગુમરાહી તથા ભટકવાનો ઇલાજ પણ મૌજૂદ છે. તેની મારફત અલ્લાહથી માંગો અને તેની મોહબ્બતના વાસ્તાથી તેની તરફ રૂખ કરો. અને તેની મારફત લોકોથી સવાલ ન કરો. એટલા માટે કે માલિક તરફ ધ્યાન ધરવા માટે તેના જેવો કોઈ વસીલો નથી અને યાદ રાખો કે તે એવો ભલામણ કરનારો છે જેની ભલામણ કબૂલ થાય છે. અને એવો બોલવાવાળો છે, જેની વાત સાચી પુરવાર છે.

જેના માટે કયામતના દિવસે કુરઆન સિફારિશ કરી દે તેના હકમાં શફાઅત કબૂલ છે, અને જેના એબો એ ગણાવી દે એના એબો સમર્થન પામેલા છે. કયામતના દિવસે એક પોકારનારો અવાજ આપશે દરેક ખેતી કરનાર પોતાની ખેતીમાં અને પોતાના અમલના અંજામમાં અટવાએલો છે. પણ જે પોતાના દિલમાં કુરઆનના બી વાવવાવાળા હશે તેઓ સફળ છે એટલે તમે લોકો એજ લોકોમાં અને કુરઆનની પયરવી કરવાવાળામાં શામિલ થઈ જાવ. તેને માલિકના દરબારમાં આગેવાન બનાવો અને તેનાથી પોતાના નફસ માટે નસીહત મેળવો. અને પોતાના વિચારોને નિંદાપાત્ર સમજો અને પોતાની ઇચ્છાઓને ધોકો ખાધેલ ગણો.
(નેહજૂલ બલાગાહ ખૂતબા નં ૧૭૫ માં)
ફકીરો નો હિસ્સો
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
પરવરદિગારે માલદારોના માલમાં ગરીબોની રોઝી રાખી છે એટલે જયારે પણ કોઈ ફકીર ભૂખ્યો હશે તો એનો અર્થ એ છે કે માલદારે પૈસો સમેટી લીધો છે અને પરવરદિગાર કયામતના દિવસે તેને જરૂર સવાલ કરશે.
(નેહજુલ બલાગહ હિકમત ૩૨૮)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે લોકો નફરત અને દુશ્મની ને છોડી દે છે તેનું દીલ અને રૂહ આરામમાં રહે છે.
(ગોરરૂલ હિકમ હદીસ ૮૫૮૪)
એ દોલત કે જે એક ઇન્સાન ને જન્નતમાં મોકલશે તો બીજા ઇન્સાન ને જહન્નમમાં
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
કયામતના દિવસે સૌથી વધારે અફસોસજનક પરિસ્થિતિ એ માણસની હશે જે ખુદાની બંદગીથી હટીને (હરામ) માલ ભેગો કરે અને પછી તેના વારસદારો એ લઈ જાય જેને તેઓ ખુદાની ફરમાંબરદારીમાં ખર્ચ કરે તો તે માલથી (વારસદારો) જન્‍નતમાં ચાલ્યો જશે અને (હરામ માલ) કમાવવાવાળો તેનાથી જ જહન્‍નમનો હકદાર થઈ જશે.
(નેહજુલ બલાગહ હિકમત 429)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જેને ફકત પોતાનાં કાર્યો પસંદ હોય છે તેની અક્કલ અધૂરી હોય છે.
(ગોરરૂલ હિકમ હદીસ ૮૩૮૦)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
ઇસ્તેગફાર અને તોબા થકી તમે પોતાને સુગંધિત કરો જેથી ગુનાહોની ગંધ તમને બદનામ અને રૂસ્વા ન કરે.
(બિહારૂલ અનવાર ભાગ ૬ પેજ ૨૨)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
પરેશાનીમાં ઇન્સાન બહાદુરોની જેમ સહન કરે નહિતર ભોળા લોકોની જેમ ચૂપ થઈ જાય.
(નેહજુલ બલાગહ હિકમત 413)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
અય જનાબે આદમના ફરઝંદો! રોઝીના બે પ્રકાર છે એક રોઝી એ છે જેને તમે શોધો છો અને એક રોઝી એ છે જે તમને શોધી રહી છે, કે જો તમે તેના સુધી નહીં પહોંચો તો તે તમારી પાસે આવી જશે. એટલે એક વરસની ચિંતા વ્યાધિને એક દિવસ પર ન નાખો. દરેક દિવસ માટે એક દિવસની ચિંતા પૂરતી છે. તમારી રોઝીને તમારી પહેલા કોઈ પામી નથી શકતો અને તમારા ભાગ પર કોઈ પ્રભાવ નથી પામી શકતો. બલ્કે તમારા નસીબમાં જે લખાઈ ચૂક્યું છે તે વ્હેલે કે મોડે તમને મળીને રહેશે.
(નેહજુલ બલાગહ હિકમત ૩૭૯)
આપણા ઈમાન નું વળતર ન આપી શકીએ જેટલો શુર્ક કરીએ એટલો ઓછો છે
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
ખુદાની કસમ! જો તમારા દિલ બિલ્કુલ પીગળી જાય અને તમારી આંખોથી અશ્રુઓના બદલે સવાબના શોખમાં કે અઝાબના ડરમાં ખૂન વહેવા લાગે અને તમને દુનિયામાં અંત સુધી રહેવાની તક આપવામાં આવે તો પણ તમારા આમાલ તેની સૌથી મહાન નેઅમતો અને ઈમાનની હિદાયતનું વળતર નથી બની શકતું, ચાહે આ માર્ગમાં તમે કોઈ પણ કસર ન રહેવા દયો.
(નેહજુલ બલાગહ ખુતબા નં 52 નો એક ભાગ)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામે ફરમાવ્યું:
આપે દુનિયાની ઓળખાણ કરાવતા ફરમાવ્યું કે;
ધોકો આપે છે,
નુકસાન પહોંચાડે છે,
અને ચાલી જાય છે.
ન અલ્લાહે પોતાના દોસ્તોના સવાબ માટે પસંદ કરી અને ન દુશ્મનોના અઝાબ માટે.
દુનિયાવાળા એ સવારો જેવા છે, જેઓએ હજી પડાવ નાખ્યો ત્યાં હંકારનારાએ લલકાર્યા કે કૂચનો સમય આવી ગયો છે અને પછી ચાલી નીકળ્યા.
(નેહજુલ બલાગાહ હીકમત નં ૪૧૬)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
અમો અહલેબૈતની યાદ; શક અને વસ્વસાથી નજાત આપે છે અને બીમારીઓ તથા પરેશાનીઓને દૂર કરે છે.
(ખેસાલ ભાગ ૨ પેજ ૬૨૫)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
બેહતરીન અખલાક અને વર્તાવ રોઝીમાં વધારો કરે છે અને દોસ્તોમાં મોહબ્બત વધારે છે.
(નેહજુલ ફસાહત હદીસ ૭૮૧)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
અલ્લાહની રહમત હાસિલ કરવાનો ખૂબસૂરત રસ્તો બધાજ લોકો માટે સારી ઈચ્છા કરવી.
(તસનીફે ગોરરૂલ હિકમ. ૪૫૦)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
માંગનારને થોડુંક આપવામાં શરમાવો નહિ, કેમ કે ખાલી હાથ મોકલવો તો તેનાથી પણ વધુ ખરાબ છે.
(નેહજુલ બલાગહ હિકમત ૬૭)
ઇમામ અલી અ. અને લાનત પઢનાર
એક વખત ઈમામ અલી કાબા નો તવાફ કરી રહ્યા હતા ત્યાં એક શખ્સ ખાને કાબા નો પરદો પકડી સલવાત પઢી રહ્યો હતો તો મોલા અલી તે શખ્સ ને સલામ કરે છે.

અને જયારે બીજી વખત ઈમામ તવાફ કરીને આવ્યા તો તે શખ્સ આલે મોહમ્મદ ના દુશ્મનો ઉપર લાનત મોકલી રહ્યો હતો તો ઈમામ આ વખતે સલામ ન કરી.

પછી તે શખ્સ પૂછે છે ઈમામ તમે આ વખતે કેમ સલામ ન કરી તો ઈમામ જવાબ માં ફરમાવે છે કે હું એ ચાહતો હતો કે તને લાનત પઢવામાં રૂકાવટ ન બનું.
(મજમઉન નુરૈન ભાગ ૧ પેજ ૨૦૯)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ મોમીન મેહમાનનો અવાજ સાંભળીને ખુશ થઇ જાય તો તેના ગુનાહોને માફ કરી દેવામાં આવશે પછી ભલે તેના ગુનાહ આસમાન અને ઝમીન જેટલા હોય.
(સફીનતુલ બહાર ભાગ ૨ પેજ ૭૭)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
સર્વથી વધારે માન અને એહતેરામ ઇલ્મ ધરાવનાર લોકો માટે છે કેમકે ઇલ્મ થકી કયામતની જાણકારી મળે છે અને સરસ ઝીંદગી જીવાની જાણકારી પણ ઇલ્મ દ્વારા મળે છે.

જેહાલત અને અજ્ઞાનતા સર્વથી મોટી બદનામી અને ઝિલ્લત છે કેમકે જાહિલ ગુંગો, બેહરો, અને આંધળો હોય છે અને હેરાન અને પરેશાન રહે છે.
(અમાલી શૈખ સદુક પેજ ૯૫)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે ઇલ્મ તમને સુધારે નહિ તે ગુમરાહી છે. (એટલે કે જો જાણકારી હોય પણ અમલ ન કરીએ તો તે ખરાબ છે અને શૈતાન તેમાં કામયાબ થઇ જાય છે).
(ગોરરૂલ હિકામ હદીસ 6249)
મોટા મોટા ગુનાહોનો કફફારો
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
કોઈ પરેશાન માણસની મદદ કરે અને મુસીબતમાં સપડાએલા માણસને મુસીબતથી છુટકારો અપાવે તો તે પોતાના મોટા મોટા ગુનાહોનો કફ્ફારો છે.
(નેહજુલ બલાગહ હિકમત 24)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
સદ્ગુણ (ફઝીલત) અને સારી આદતોને હાસિલ કરવું ખુબજ અઘરું કામ છે અને તેમની ગુમાવી દેવું ખુબજ આસાન છે.
(શરહે ઇબ્ને અબીલ હદીદ ભાગ ૨૦ પેજ ૨૫૯)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સ્લામ ફરમાવે છે:
ઠંડીની શરૂવાતમાં પોતાને સંભાળો (ઠંડીથી બચીને રહો) અને અંતમાં તેને આવકારો, કે તેની અસર શરીરમાં ઝાડના પાંદડાની જેમ છે, જે મોસમની શરૂવાતમાં પાંદડાને બાળી નાખે છે, અને અંતમાં તાજામાજા કરી દે છે.
(નેહજુલ બલાગહ હિકમત ૧૨૮)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સ્લામ ફરમાવે છે:
તકલીફ આવે તો આંખ બંધ કરી તેને ભૂલી જાવ અને તેને મહત્વ ન આપો નહિ તો કોઈ દિવસ ખુશ નહી રહી શકો.
(નેહજુલ બલાગહ હિકમત ૨૧૩)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
અય કુમૈલ! બધીજ જગ્યા ઉપર હક બોલો, મુત્તકી અને પરહેઝગાર લોકો સાથે દોસ્તી કરો, ગુનેહગાર અને ખરાબ લોકોની સાથે ન રહો, અને મુનાફિક લોકો અને દેખાવ માટે કાર્યો કરનારથી હોશિયાર રહો (રોડ શો કરનારથી) અને ખયાનાત કરનાર અને ગદ્દારી કરનારની સાથે ન રહો (વિશ્વાસધાત કરનાર).
(તોહફુલ ઓકુલ પેજ ૧૭૩)
શરીફ માણસ ને માફ કરી દયો
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
શરીફ માણસની ભૂલોને દરગુઝર કરો, કેમકે જયારે શરીફ માણસ ઠોકર ખાય છે તો ખુદા તેનો હાથ પકડી લે છે.
(નેહજુલ બલાગહ હિકમત ૨૦)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સ્લામ ફરમાવે છે:
સદકા વડે રીઝ્ક અને રોઝી પ્રાપ્ત કરો, (સદકા થકી રીઝ્ક નાઝીલ થાય છે).
(બિહારૂલ અનવાર ભાગ ૭૮ પેજ ૫૬)
નોટ: રીઝ્ક એટલે ખાલી માલ અને દૌલત નથી, પણ દરેક વસ્તુ (માલ, દૌલત, ઇલમ, ઇબાદત, ઈમાન, યકીન વગેરે) છે જે અલ્લાહ અતા કરે. સદકો આપવાથી રીઝ્કમાં વધારો થાય છે અને આખેરતમાં સવાબ મળે છે. સદકો માલ, દૌલત, જરૂરતમંદની જરૂરત પૂરી કરવી, ઝાડ ઉગાવવું, તાલીમ આપવી વગેરે કોઈપણ વસ્તુનો આપી શકાય છે. સદકો ફક્ત અલ્લાહની ખુશી માટે જ આપવો જોઈએ, દેખાડવા માટે નહીં.

રોઝી હાસિલ કરવા માટે: (૧) શોખ મુજબ મહેનત સાથે કામ કરવું. (૨) કામનો અભ્યાસ કરી અંત સુધી જવું અને અલ્લાહ પર ભરોસો રાખવો. (૩) જાણકાર લોકો પાસેથી સલાહ લેવી. (૪) દરરોજ હેસિયત મુજબ સદકો આપવો. (૫) નમાઝે શબ પઢવી. (૬) નમાઝે ફજર પછી સૂરજ ન નીકળે ત્યાં સુધી ન સુવું. (૭) ઇસ્તેગફાર કરવું. (૮) દરેક નમાઝ પછી દુઆ કરવી. (૯) નાના-મોટા ગુનાહોથી બચવું, કારણકે તેનાથી રોઝી ઓછી થાય છે. (૧૦) રિશ્તેદારો સાથે સિલે રહેમ કરવું.
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે પોતાના એબો પર નજર રાખે છે તે બીજાના એબોથી ગાફિલ થઈ જાય છે. અને જે ખુદાએ આપેલ રોઝી પર રાજી રહે છે તે કોઈ ચીજ હાથમાંથી નીકળી જવા પર ગમગીન નથી થતો. જે ઝુલ્મ કરવા માટે તલવાર ખેંચે છે તે પોતે તેનાથી જ માર્યો જાય છે. અને જે અગત્યના કાર્યોને જબરદસ્તી પૂરા કરવા માંગે છે તે તબાહ થઈ જાય છે. લહેરોમાં કૂદી પડનારો ડૂબી જાય છે. અને ખોટી જગ્યાએ પ્રવેશનાર બદનામ થઈ જાય છે. જે વાતો વધારે કરે છે તે ભૂલો પણ વધારે કરે છે અને જેની ભૂલો વધારે હોય છે તેની શરમ ઓછી થઈ જાય છે. અને જેની શરમ ઓછી થઇ જાય છે તેની પરહેઝગારી પણ ઓછી થઈ જાય છે અને જેની પરહેઝગારી ઓછી જઈ જાય છે. તેનું દિલ મરી જાય છે. અને જેનું દિલ મરી જાય છે તે જહન્‍નમમાં દાખલ થઈ જાય છે.

જે લોકોના એબો જોઈને અણગમો દેખાડે છે અને પછી એ જ એબ પોતા માટે પસંદ કરે તો તેને મૂર્ખ કહેવામાં આવે છે.

સંતોષ એક એવી મૂડી છે જે કદી ખતમ થવાવાળી નથી.

જે મૌતને બરાબર યાદ કરતો રહે છે તે દુનિયાના થોડા ભાગ પર પણ રાજી થઈ જાય છે.

અને જેને એ ખબર હોય છે કે વાણી પણ અમલનો એક ભાગ છે તો જરૂરતથી વધારે બોલતો નથી.
(નેહજુલ બલાગહ હિકમત નં ૩૪૯)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ ફરમાવ્યું:
કુરઆનની હિદાયતને સાંકળની જેમ વળગી રહો અને તેનાથી શિખામણ હાસિલ કરો.
તેના હલાલને હલાલ ગણો અને હરામને હરામ ગણો.
હકની વીતી ગયેલી વાતોનું સમર્થન કરો. અને દુનિયાના ભૂતકાળથી તેના ભાવિ માટે બોધ ગ્રહણ કરો (સબક લ્યો) કેમકે તેનો એક ભાગ બીજા ભાગથી મળતો આવે છે. અને દુનિયાનો અંત આરંભ સાથે ભેગો થવાવાળો છે. અને બધાયને આ દુનિયા છોડી ને જવાનું છે.
(નેહજુલ બલાગાહ લેટર નં ૬૯ નો ભાગ)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
શેહવત અને હવસ ની શરૂઆત મોજ અને શોખ થી છે અને તેનું અંજામ નાબૂદી છે.
(ગોરારૂલ હિકમ પેજ 3133)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
સાવધાન થઇ જાવ ! ડરો! ખુદાની કસમ, પરવરદિગારે એટલી હદ સુધી તમારા ગુનાહોને છુપાવ્યા છે કે તમે એમ ન સમજી લો કે અલ્લાહે તમને માફ કરી દીધા હશે.
(નેહજુલ બલાગહ હિકમત નં ૩૦)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
લોકોમાં સૌથી વધારે લાચાર એ છે જે પોતાની ઝીંદગીમાં દોસ્ત ન બનાવી શકે, અને તેનાથી પણ વધારે લાચાર એ છે જે દોસ્ત બનાવીને પછી ખોઈ દે.
(નેહજુલ બલાગહ હિકમત ૧૨)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામે ફરમાવ્યું:
કોઈની વાતનો ઉલટો અર્થ ન લ્યો, જ્યાં સુધી તેમાં ખરો અર્થ લેવાની શક્યતા હોય.
(નેહજુલ બલાગાહ હીકમત નં ૩૬૦)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે બે મોમીન ભાઈ આપસમાં મોહબ્બતથી હાથ મેળવે છે તો તેના ગુનાહ ઝાડના પાંદડાની જેમ ખરી જાય છે.
(કાફી ભાગ ૨ પેજ ૧૮૪)
રોઝીની વ્યાધિ ન કરો
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
અય આદમ ના પુત્ર ! રોઝીના બે પ્રકાર છે: એક રોઝી એ છે જેને તમે શોધો છો અને એક રોઝી એ છે જે તમને શોધી રહી છે, કે જો તમે તેના સુધી નહીં પહોંચો તો તે તમારી પાસે આવી જશે. એટલે એક વરસની ચિંતા એક દિવસ પર ન રાખો. દરેક દિવસ માટે એક દિવસની ચિંતા પૂરતી છે. ત્યારપછી જો તમારી ઝીંદગીમાં એક સાલ બાકી રહી ગયો તો દરેક આવવાવાળો દિવસ પોતાની રોઝી પોતાની સાથે લઈને આવશે અને જો વરસ બાકી નથી તો વરસભરની ચિંતાની શું જરૂરત છે? તમારી રોઝીને તમારી પહેલા કોઈ પામી નથી શકતું અને તમારા ભાગ પર કોઈ વર્ચસ્વ નથી પામી શકતો. બલ્કે તમારા નસીબમાં જે લખાઈ ચૂક્યું છે તે વ્હેલે અથવા મોડે તમને મળીને રહેશે.
(નેહજુલ બલાગહ હિકમત ૩૭૯)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે શખ્સ હાલમાં સુખી છે અને કોઈ પણ પરેશાનીમાં નથી અને તેને ખબર નથી કે ક્યારે તે આફતો અને મુસીબતો માં સકડાઈ જશે તો તે શખ્સ વધારેમાં વધારે દુઆઓનો મોહતાજ છે.
(નેહજુલ બલગાહ હિકમત ૩૦૨)
ફકીરો નો હિસ્સો
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
પરવરદિગારે માલદારોના માલમાં ગરીબોની રોઝી રાખી છે. એટલે જયારે પણ કોઈ ફકીર ભૂખ્યો હશે તો એનો અર્થ એ છે કે માલદારે પૈસો સમેટી લીધો છે અને પરવરદિગાર કયામતના દિવસે તેને જરૂર સવાલ કરશે.
(નેહજુલ બલાગહ હિકમત ૩૨૮)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
કોઈ બંદા માટે બેહતર નથી કે આ બે વાતો ઉપર ભરોસો કરે. એક તંદુરસ્તી અને બીજી માલદારી, કેમકે તંદુરસ્તી જોતજોતામાં બીમારીમાં ફેરવાઈ જાય છે અને માલદારી જોતજોતામાં ગરીબીનું રૂપ ધારણ કરી લે છે.
(નેહજુલ બલાગહ હિકમત ૪૨૬)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સ્લામ ફરમાવે છે:
જેણે અમલ કરવામાં આળસ કરી તે તકલીફ અને પરેશાનીમાં ઘેરાશે, અને અલ્લાહને આવા બંદાની કોઈ પરવાહ નથી જેની જાન અને માલમાં અલ્લાહનો કોઈ હિસ્સો ન હોય.
(નેહજુલ બલાગહ હિકમત ૧૨૭)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે વસ્તુ હાથમાંથી જતી રહી છે તેની ઉપર અફસોસ કરીને દિલ ગમગીન ન કરો કારણકે આ કાર્ય; તમને જે વસ્તુ પછી મળવાની છે તેને રોકી દે છે.
(ગોરરૂલ હિકમ હદીસ 10434)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે પોતાના ભાઈ માટે કૂવો ખોદે છે તેમાં તે પોતે જ પડે છે અને જે બીજાઓની અયબ અને ભૂલ ગોતે છે તો તેના ઘરના અયબ અને ભૂલ લોકોની સામે આવી જાય છે.
(તોહફુલ ઓકુલ પેજ ૮૮)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સ્લામ ફરમાવે છે:
ઠંડીની શરૂવાતમાં પોતાને સંભાળો (ઠંડીથી બચીને રહો) અને અંતમાં તેને આવકારો, કે તેની અસર શરીરમાં ઝાડના પાંદડાની જેમ છે, જે મોસમની શરૂવાતમાં પાંદડાને બાળી નાખે છે, અને અંતમાં તાજામાજા કરી દે છે.
(નેહજુલ બલાગહ હિકમત ૧૨૮)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જો તમે તમારા દીનને, દુનિયાના હવાલે કરી દેશો તો તમારું દીન અને દુનિયા બન્ને બરબાદ થઈ જશે અને આખેરત માં પણ નુકસાન થશે,
અને જો તમે તમારી દુનિયાને દીન પ્રમાણે ચલાવશો તો તમને દીન અને દુનિયા બન્નેમાં લાભ થશે અને આખેરતમાં પણ કામયાબી મળશે.
(ગોરરૂલ હિકમ હદીસ ૩૭૫૦)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ પણ ફાયદા વગરના કાર્યોમાં સમય આપશે, તો તે પોતાના જરૂરી કાર્યનો સમય ખોય બેઠશે.
(ગોરરૂલ હિકમ હદીસ ૮૬૩૩)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
ગુનેહગાર લોકો સાથે બેઠક ન રાખો, કેમકે ખરાબ લોકોની સાથે બેઠવા થી ખરાબી આવે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૧ પેજ ૧૯૯)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે ઇન્સાનની અક્કલ સંપુર્ણ થઈ જાય છે ત્યારે તે બોલવાનું ઓછું કરી દે છે.
(નેહજુલ બલાગહ હિકમત નં ૭૧)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
ખુદાના માર્ગમાં જેહાદ કરતા રહેજો અને તેનો હક અદા કરી દેજો અને ખબરદાર આ માર્ગમાં કોઈ નિંદા કરનારની નિંદાને ધ્યાનમાં ન લેજો. હકને ખાતર જ્યાં પણ હોવ સંકટોમાં કૂદી પડજો. અને દીનનું ઇલ્મ પ્રાપ્ત કરજો. પોતાના જીવને પ્રતિકુળ સંજોગોમાં ધીરજની ટેવ પાડી દેજો. અને યાદ રાખજો કે શ્રેષ્ઠ સદગુણ હકના માર્ગમાં સબ્ર કરવી છે. પોતાના બધા કામોમાં ખુદાની તરફ રજૂ થવું. કેમકે આ રીતે એક મજબૂત સુરક્ષિત કિલ્લામાં સહારો લેશો. અને શ્રેષ્ઠ રક્ષકના આશરામાં રહેશો. પરવરદિગારથી માંગવામાં નિસ્વાર્થ રહેજો, કેમકે આપવું ન આપવું તેના હાથમાં છે. માલિકથી નિરંતર ભલાઈ માંગતા રહેવી. અને મારી વસીયત પર મનન કરતા રહેજો. તેનાથી દામન બચાવીને પસાર ન થઈ જજો કેમકે શ્રેષ્ઠ કલામ એ છે જે લાભદાયક હોય અને યાદ રાખો કે જે ઇલ્મમાં ફાયદો ન હોય તેમાં કોઈ ભલાઈ નથી અને જે ઇલ્મ શીખવા જેવું ન હોય તેમાં કોઈ ફાયદો નથી.
(નેહજુલ બલાગહ લેટર નં 31 નો એક ભાગ)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
ખરાબમાં ખરાબ ખોરાક હરામનો માલ છે. અને અધમમાં અધમ ઝુલ્મ કમઝોર પરનો ઝુલ્મ છે. નરમી યોગ્ય ન હોય તો સખ્તી જ યોગ્ય છે, કદી કદી દવા રોગ બની જાય છે, અને રોગ દવા, અને કયારેક કયારેક ગેર મુખ્લિસ પણ નસીહતની વાત કરી દે છે અને કદી કદી મુખ્લિસ પણ ખયાનતથી કામ લે છે. જુઓ ખબરદાર, ઇચ્છાઓ પર ભરોસો ન કરવો કેમકે એ મૂર્ખાઓની મૂડી છે. ડહાપણ અનુભવોને સંભાળી રાખવામાં છે અને શ્રેષ્ઠ અનુભવ એ જ છે જેનાથી શિખવાનું મળે. ફુરસદનો લાભ ઉપાડો એ પહેલા કે રંજ અને ગમનો સામનો કરવો પડે. દરેક માંગનાર ઇચ્છિત વસ્તુ મેળવી પણ નથી શકતો અને દરેક અદ્રશ્ય થનાર પાછો ફરીને પણ નથી આવતો.
(નેહજુલ બલાગહ લેટર નં 31 નો એક ભાગ)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે પોતાને સુધારી નથી શકતો તે બીજાઓને પણ સુધારી નહિ શકે.
(ગોરરુલ હિકમ હદીસ ૮૯૯૦)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
બધીજ વસ્તુમાં અલ્લાહ ઉપર ભરોસો રાખો અને અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે આશા ન રાખો કેમકે જે કોઈ અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે આશા રાખી તેનું કામ નથી થયું.
(ગોરરૂલ હિકમ હદીસ ૨૫૧૧)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
યાદ રાખો કે રોઝીના બે પ્રકાર છે. એક રોઝી એ છે જેને તમે ગોતી રહ્યા છો અને એક રોઝી એ છે જે તમને ગોતી રહી છે, જો તમે તેના સુધી નહીં પહોંચો તો તે તમારા સુધી પહોંચી જશે. જરૂરતના વખતે આજીજી અને કરગરવું કેટલું નામોશી ભર્યું છે? ! અને બેપરવાઈના સમયમાં ખરાબ વર્તન કેટલું કુકૃત્ય છે ! આ દુનિયામાં તમારો ભાગ એટલો જ છે જેનાથી તમારી આખેરતની વ્યવસ્થા કરી શકો. અને જો કોઈ વસ્તુ હાથમાંથી નીકળી જવા પર પરેશાની દેખાડવી છે તો દરેક એ વસ્તુ પર પણ ફરિયાદ કરો જે તમારા સુધી પહોંચી નથી. જે કંઈ થઈ ગયું તેનાથી જે કંઈ થવાવાળું છે તેનો અંદાજો કરો. કેમકે મામલાઓ બધાએ બધા એક જ જેવા હોય છે.

અને ખબરદાર ! એ લોકોમાં ન થઈ જાવ જેના પર ત્યાં સુધી શિખામણ અસર કરતી નથી જ્યાં સુધી તેને તકલીફ ન દેવામાં આવે એટલા માટે કે બુધ્ધિવાન અદબથી નસીહત મેળવે છે અને જાનવર મારપીટથી સીધું થાય છે. દુનિયામાં પડનારા સંકટો અને આપત્તિઓને સબ્રના ઇરાદાઓ અને યકીનના સૌંદર્યથી ટાળો. યાદ રાખો કે જેણે પણ મધ્યમ માર્ગ છોડયો તે વિમુખ થઈ ગયો.

સાથી એક રીતે ખાનદાનનો ભાગ હોય છે અને દોસ્ત એ છે જે પીઠ પાછળ પણ સાચો દોસ્ત રહે. ઇચ્છા આંધળાપણાની ભાગીદાર હોય છે. ઘણા દૂરવાળા એવા હોય છે જે નિકટતાથી વધારે નિકટ હોય છે અને ઘણા નજીકવાળા દૂરવાળાઓથી વધારે દૂર હોય છે.
(નેહજુલ બલાગહ લેટર નં 31 નો એક ભાગ)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
સગા સંબંધીઓ એ એક બીજા સાથે મુલાકાત કરવી જોઈએ પરંતુ એક બીજાના પાડોશી ન બનવું જોઈએ.
(તજલ્લિયાતે હિકમત પેજ ૨૫)
નોટ: આ હદીસમાં સગા સંબંધીઓને એકબીજાના પાડોશી ન બનવાની સલાહ આપેલ છે, કારણ કે પાડોશીનું ધ્યાન રાખવાની અને સગા-સંબંધીઓની સાથે સિલે રહેમ કરવાની બેવડી જવાબદારી આવી જાય છે, જે નિભાવી ન શકાય તો ઈમાન બચાવવું મુશ્કેલ છે. જો બધીજ રીતે ધ્યાન રાખી શકાતું હોય તો પાડોશી બનવા માં વાંધો નથી.
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
દરેક તીરંદાજનું તીર નિશાના પર નથી લાગતું. જયારે હાકિમ બદલાઈ જાય છે તો જમાનો પણ બદલાઈ જાય છે. મુસાફરી કરવા પહેલા સફરનો સાથી કોણ છે તે જાણી લ્યો. અને ઘર પસંદ કરવા પહેલા તેના પડોશીઓ કેવા છે એ જાણી લ્યો.

ખબરદાર ! એવી કોઈ વાત ન કરવી જેમાં મજાક હોય, ભલે બીજાની વાતની જ નકલ કરતા હો.
(નેહજુલ બલાગહ લેટર નં 31 નો એક ભાગ)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
ખબરદાર ! સ્ત્રીઓથી સલાહ મશ્‍વેરો ન કરવો કેમકે તેની રાય કમઝોર અને તેનો ઇરાદો ઢીલો હોય છે. તેણીને પરદામાં રાખી તેઓની દ્રષ્ટિને તાકવા ઝાંખવાથી બચાવી રાખો. કેમકે પરદાની સખ્તી તેની ઇઝઝત આબરૂ જાળવી રાખનારી છે. *અને તેઓનું ઘર બહાર નિકળવું ભરોસા વગરના માણસોને પોતાના ઘરમાં પ્રવેશવા દેવાથી પણ વધારે ખતરનાક છે. જો એ શકય હોય કે તે તમારા સિવાય કોઈને ન ઓળખે તો એમ જ કરો. અને ખબરદાર તેને તેના જાતી પ્રશ્નોથી વધારે અધિકાર ન આપો કેમકે ઓરત એક ફૂલ છે અને હાકિમ કે અધિકારી નથી. તેઓ જે ઇચ્છતી હોય અને મહત્વ આપતી હોય તે બાબતમાં યોગ્ય અને બુધ્ધિપૂર્વક રસ લ્યો. પણ તેણીને તમારા અભિપ્રાય પર હાવી ન થવા દો. જુઓ ગયરતના પ્રસંગો સિવાય ગયરતનું પ્રદર્શન ન કરવું નહીંતર ગુણવંત સ્ત્રી પણ અધમ માર્ગે વળી જશે. અને ખામી વગરનું પણ શંકાપાત્ર બની જાય છે.*
(નેહજુલ બલાગહ લેટર નં 31 નો એક ભાગ)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે પોતાના એબો પર નજર રાખે છે તે બીજાના એબોથી ગાફિલ થઈ જાય છે.

અને જે ખુદાએ આપેલ રોઝી પર રાજી રહે છે તે કોઈ ચીજ હાથમાંથી નીકળી જવા પર ગમગીન નથી થતો.

જે ઝુલ્મ અને અત્યાચારની તલવાર ખેંચે છે પોતે તેનાથી જ માર્યો જાય છે.

અને જે અગત્યના કાર્યોને જબરદસ્તી પૂરા કરવા માંગે છે તે તબાહ અને બરબાદ થઈ જાય છે.

લહેરોમાં કૂદી પડનારો ડૂબી જાય છે અને ખોટી જગ્યાએ પ્રવેશનાર બદનામ થઈ જાય છે.

જે વાતો વધારે કરે છે તે ભૂલો પણ વધારે કરે છે અને જેની ભૂલો વધારે હોય છે તેની શરમ ઓછી થઈ જાય છે.

અને જેની શરમ ઓછી થઇ જાય છે તેની પરહેઝગારી પણ ઓછી થઈ જાય છે અને જેની પરહેઝગારી ઓછી જઈ જાય છે. તેનું દિલ મરી જાય છે. અને જેનું દિલ મરી જાય છે તે જહન્‍નમમાં દાખલ થઈ જાય છે.

જે લોકોના એબો જોઈને અણગમો દેખાડે છે અને પછી એ જ એબ પોતા માટે પસંદ કરે તો તેને મૂર્ખ કહેવામાં આવે છે.

સંતોષ એક એવી મૂડી છે જે કદી ખતમ થવાવાળી નથી.

જે મૌતને બરાબર યાદ કરતો રહે છે તે દુનિયાના થોડા ભાગ પર પણ રાજી થઈ જાય છે.

અને જેને એ ખબર હોય છે કે વાણી પણ અમલનો એક ભાગ છે તો જરૂરતથી વધારે બોલશે નહિ.
(નેહજુલ બલાગાહ હિકમત ૩૪૯)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
પોતાના નોકરો માટે એક કાર્ય નક્કી કરી દયો. જેની પુછા કરી શકો. કેમકે એ આ વાત એક બીજા પર ઢોળવા કરતા વધારે સારૂં છે. પોતાના ખાનદાનનું સન્માન કરો કેમકે આ જ તમારા માટે પાંખો છે જેના વડે તમે ઉડો છો અને આ જ તમારું મૂળ છે જેની તરફ પાછા ફરવાનું છે. અને એ તમારા હાથ છે જેના વડે તમે હુમલો કરી શકો છો. પોતાના દીન અને દુનિયાને ખુદાના હવાલે કરી દયો. અને તેનાથી દુઆ કરો કે તમારા હકમાં દુનિયા અને આખેરતમાં શ્રેષ્ઠ ફેંસલો કરે. વસ્સલામ
(નેહજુલ બલાગહ લેટર નં 31 નો એક ભાગ)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
સર્વથી ખરાબ દોસ્ત એ છે કે જે સુખમાં તો સાથ આપે પરંતુ પરેશાનીમાં સાથ છોડી દે.
(ગોરરૂલ હિકમ ભાગ ૪ પેજ ૧૭૧)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે ઇન્સાનને સફર કરવા જવું હોય અને તેને ડર લાગે કે નમાઝ પઢવામાં અથવા દીની વસ્તુમાં વાંધો આવે તેવું છે તો આવી મુસાફરેત ન કરવી જોઈએ.
(વસાએલુશ શીઆ ભાગ ૧૧ પેજ ૩૪૪)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે (જનાબે સય્યદા સ.અ.ને દફનાવતી વખતે):
અય અલ્લાહના રસૂલ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી ! મારી ધૈર્ય શક્તિ આપની પ્યારી પુત્રીના સંબંધમાં ખતમ થઈ રહી છે. મારી હિમ્મત સાથ છોડી રહી છે. માત્ર એટલો સહારો છે કે મેં આપની જુદાઈમાં મોટા સદમા અને જાન લેવા બનાવ પર ધીરજ ધરી લીધી છે. તો હવે પણ સબ્ર કરીશ. કેમકે મેં જ આપને કબ્રમાં ઉતાર્યા હતા અને મારી જ છાતી પર માથું રાખી આપે વફાત ફરમાવી હતી. હર હાલમાં હું અલ્લાહ માટે જ છું અને મને પણ તેના દરબારમાં પાછું ફરવાનું છે.

આજ અમાનત પાછી ચાલી ગઈ. અને જે વસ્તુ મારી પાસે હતી તે મારાથી લઈ લેવામાં આવી. હવે મારો શોક અને ગમ સદાનો છે. અને મારી રાતો જાગૃતિમાં ગુજરશે, જ્યાં સુધી મને પણ ખુદા એ ઘર સુધી ન પહોંચાડી દે જ્યાં આપ ઠહેર્યા છો.

નજીકમાં જ આપની નેક દુખ્તર એ હાલતોની ખબર આપશે કે ઉમ્મતે તેના પર કેવા કેવા ઝુલ્મો કરવામાં એકતા કરી લીધી હતી. આપ તેનાથી સવિસ્તાર સવાલ કરો અને સંપૂર્ણ વિગત મેળવો.

અફસોસ કે આ બધું એ સમયે થયું છે જયારે આપનો સમય ગયો હજી વાર નહોતી થઈ અને હજી આપની યાદો તાજી હતી.

મારા સલામ થાય આપ બંને પર એ શખ્સના સલામ જે વળાવવા વાળો છે અને દિલ તંગ અને શોકાતુર નથી. હું જો આ કબ્રથી પાછો ફરૂં તો એ કોઈ દિલતંગીનું કારણ નથી અને જો અહીં રહું તો આ એ વાયદાનો અવિશ્વાસ નથી જે પરવરદિગારે ધીરજ ધરવાવાળાથી કર્યો છે.
(નેહજૂલ બલાગહ ખૂતબા નં ૨૦૨)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
તમે તમારી આખેરતની ચિંતા કરો દુનિયા ઝલીલ થઈને ખુદ તમારી પાસે આવશે.
(ગોરરુલ હિકમ હદીસ 6080)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સ્લામ ફરમાવે છે (હિકમત ૧૪૬):
તમારા ઈમાનને સદકો આપીને બચાવો, અને તમારા માલને ઝકાત થકી બચાવો, અને તકલીફો મુસીબતોને દુઆ થકી દુર કરો.
(નેહજુલ બલાગહ હિકમત ૧૪૬)
હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ પણ અલ્લાહ તઆલાની ખુશી માટે રજબ મહિનામાં સદકો આપશે તો અલ્લાહ તઆલા તેને એટલી બધી ઈજ્જત આપશે કે તેની આંખેએ કોઈ દિવસ જોઈ નહિ હોય, તેના કાનોએ કોઈ દિવસ સાંભળી નહિ હોય, અને તેએ દિલમાં કોઈ દિવસ વિચાર્યું નહિ હોય (એવી ઈજ્જત પ્રાપ્ત થશે).
(ફઝાએલુલ અશહર પેજ ૩૮)