હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ

હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: હકીકતમાં મોમીન જયારે નૈકી કરવાની નિય્યત કરે છે મગર તેને અંજામ ન આપે તો તેને એક સવાબ આપવામાં આવશે અને તે નૈકી અંજામ આપે તો તેને દસ સવાબ મળશે, અને અગર કોઈ ખરાબ કાર્ય કરવાની નિય્યત કરે મગર તેને અંજામ ન આપે તો કોઈ પણ વસ્તુ તેની માટે લખવામાં નથી આવતી (અને ગુનાહ કરશે તો તેની સજા ભોગતવી પડશે)
(અલ્કાફી ભાગ ૨ પેજ ૪૨૮)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: આસમાન ચાલીસ દિવસ સુધી ઈમામ હુસૈન અલય્હિસ્સલામ માટે લોહીના આંસુએ રડ્યું
(મનાકિબ આલે અબી તાલિબ ભાગ ૩ પેજ ૨૧૨)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ઝિયારતે અરબઈન માં ફરમાવે છે: અય અલ્લાહ! બેશક હું તને ગવાહ બનાવું છું કે ખરેખર હું તેમનો દોસ્ત છું જે તેમને દોસ્ત રાખે છે અને હું તેનો દુશ્મન છું જે તેમને દુશ્મન રાખે છે, અને મારા માં બાપ તમારી ઉપર કુરબાન થાય અય ફરઝંદે રસુલ! (ઈમામ હુસૈન અલય્હિસ્સલામ)
(ઝિયારતે અરબઈન મફાતીહુલ જીનાન)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: જે ઘરમાં કુરઆન મજીદની તિલાવત નથી થતી (પઢવામાં નથી આવતું), અલ્લાહ તઆલાને યાદ નથી કરતા તો તે ઘરમાં ત્રણ પરેશાનીઓ આવે છે: 1. તે ઘરમાં બરકત ઓછી થઇ જશે. 2. તે ઘરમાંથી ફરિશ્તાઓ નીકળી જશે. 3. શૈતાન તેના ધરમાં ઘુસી જશે.
(કાફી ભાગ ૨ પેજ ૪૯૯)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: કયામતના દિવસે રસુલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ની ઓલાદ માંથી બધા કરતા પહેલા જનાબે મોહસીન ઇબ્ને અલી અ.સ ની શહાદતનો બદલો લેવામાં આવશે, અને જે એ જનાબે મોહસીન અ.સ ને શહીદ કર્યા તેનો વારો પહેલા લેવામાં આવશે અને પછી કુનફૂઝની વારો લેવામાં આવશે.
(કામેલુઝ ઝિયારત પેજ ૩૩૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: અગર કોઈ નમાઝ પઢયા પછી પોતાની જગ્યાએ થી ઉભા થવા પહેલા આ ઝીક્ર ત્રણ વખત પઢશે તો અલ્લાહ તઆલા તેના બધાજ ગુનાહ માફ કરી દેશે પછી ભલે તેના ગુનાહ સમુદ્રની જેટલા હોય: «أَسْتَغْفِرُ اللَّهَ الَّذِي لَا إِلٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ وَأَتُوبُ إِلَيْهِ»
(કાફી ભાગ ૨ પેજ ૫૨૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: નમાઝમાં છેલ્લા ટાઈમ કરતા વધારે અવ્વલે ટાઇમની ફઝીલત છે એવીજ રીતે કે જેવી રીતે આખેરતની ફઝિલત દુનિયા કરતા વધારે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૨ પેજ ૩૫૯)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: કયામતના દિવસે બધાજ કરતા વધારે અફસોસ તે લોકો કરશે કે જે ન્યાયની વાતો તો કરતા હશે પરંતુ તેની ઉપર અમલ નહિ કરતા હોય.
(અલ્કાફી ભાગ ૨ પેજ ૩૦૦)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: અલ્લાહ તઆલાએ જન્નતને બનાવી અને તેને ખુશ્બુથી સુગંધિત કરવામાં આવી અને આ ખુશ્બુની સુગંધ જન્નતી લોકો ૨૦૦૦ વર્ષની દુરીથી સૂંઘી શકે છે મગર આ જન્નતી ખુશ્બુની સુગંધ પણ તેઓના નસીબમાં નથી કે જેઓ માં-બાપની નાફરમાની કરે છે અને પોતાના સગા સબંધીઓ સાથે સબંધ તોડી નાખે છે.
(અલ્ગયબહ શૈખ તુસી પેજ ૧૯૭)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: ત્રણ વસ્તુ કયામતના દિવસે અલ્લાહ પાસે લોકોની ફરિયાદ કરશે:
1. એ સુનસાન અને ખાલી મસ્જિદ ફરિયાદ કરશે કે જેમાં લોકો નમાઝ પઢવા નહિ આવતા હોય.
2. એ આલિમ અને મોલાના, જાહિલો અને અનપઢ લોકોની ફરિયાદ કરશે કે તેમની પાસે કોઈ ઇલ્મ લેવા નહોતુ આવતુ.
3. એ કુરઆને મજીદ જે લોકોના ઘરમાં તો હશે મગર તેને કોઈ પઢતું નહિ હોય અને તેની ઉપર ધૂળ ચડી ગઈ હશે.
(અલ્કાફિ ભાગ ૩ પેજ ૬૧૩)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: જે લોકો પાસે આ ત્રણ વસ્તુ છે તેમની પાસે પુરે પૂરું ઈમાન છે:
1. જયારે તેને ગુસ્સો આવે તો તે પોતાનો હોશ ખોઈ ન નાખે (બેકાબૂ ન થાય).
2. જયારે તે ખુશ થાય ત્યારે તે ખરાબ કાર્યોથી દુર રહે અને ગુનાહના કાર્ય ન કરે.
3. અને જયારે તે કુદરતમંદ થઈ જાય તો તે લોકોને માફ કરી દે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૫ પેજ ૨૦૬)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: જે ઘરમાં કુરઆન પઢવામાં નથી આવતું અને ઝિક્રે ખુદા નથી થતું ત્યાંથી બરકત ઓછી થઈ જાય છે ફરિશ્તાઓ તે ધર મૂકી ને ચાલ્યા જાય છે અને શૈતાનો તે ધરમાં ઘુસી જાય છે.
(કાફી ભાગ ૨ પેજ ૪૯૯)
નોટ: આપણા રસૂલે આપણને કુરઆન અને એહલેબૈત બન્નેથી જોડાઈને રેહવાનું કીધું છે તો આપણે જેટલી મોહબ્બત એહલેબૈત અ.સ થી કરીએ છીએ એટલી જ મોહબ્બત કુરઆનથી કરવી જોઈએ કેમકે આ બન્ને વસ્તુ જેની પાસે હશે તે હોવઝે કવસરમાં રસૂલે ખુદાને મળી શકશે. કુરઆન પઢવાથી ધરમાં રહમત અને બરકત આવે છે અને ન પઢવાથી ધરમાં પરેશાની અને ગરીબી આવે છે. કુરઆન ન પઢવાથી ઘરમાંથી ફરિશ્તાઓની સાથે સાથે અલ્લાહનો ખાસ ફાઝલો કરમ પણ ખતમ થઇ જાય છે. જે ઘરમાં કુરઆન પઢવામાં નથી આવતું તે ઘરમાં શૈતાન તો આવે છે સાથે સાથે તે ઘરમાં હમેશા લડાઈ અને જગડા થતા રહે છે. તો કુરઆન પઢો, દરરોજ પઢો અને સમજવાની પણ કોશિશ કરો. કુરઆન કયામત સુધી જીવતો અને જાગતો મોઅજીઝો છે.
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: અગર કોઈ ઓરત પોતાના શોહરને કહે કે મેં કોઈ દિવસ તમારામાં નૈકી અને ભલાઈ નથી જોઇ તો તેના આમાલ બરબાદ થઈ જશે.
(વસાએલુશ શીઆ ભાગ ૧૪ પેજ ૧૧૫)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: જયારે પણ ઇન્સાન સંડાસમાં (ટોયલેટ) જાય તો પોતાના માથાને ઢાકે (કારણકે આવી રીતે કરવું મુસ્તહબ છે માણસ ટોપી અથવા રૂમાલ પહેરે અને ઓરત પછેડી સ્કાફ મકનો વગેરે... પહેરે)
(તેહઝીબુલ અહકામ ભાગ ૧ પેજ ૨૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: મોટા મોટા ગુનાહો થી પણ મોટો ગુનોહ નમાઝે ફજર (સુબહ) ન પઢવી.

એક શખ્સ હઝરત ઈમામ જાફર સાદિક અલય્હિસ્સલામ પાસે આવ્યો અને સવાલ કર્યો: મેં એક ગુનોહ કર્યો છે હવે?
હઝરતે જવાબ આપ્યો: અલ્લાહ તઆલા માફ કરી દેશે.
તે શખ્સ કહે છે: મેં જે ગુનોહ કર્યો તે ખુબજ મોટો છે.
ઈમામે ફર્માવ્યું: અગર પહાડની જેટલા મોટા હશે તો પણ અલ્લાહ તઆલા માફ કરી દેશે.
તે શખ્સ પાછો કહે છે: મારો ગુનોહ ખુબજ મોટો છે.
હઝરત ફરમાવે છે: તે એવો કયો ગુનોહ કર્યો છે?
પછી તે શખ્સ પોતાના ગુનાહની ચોખવટ કરે છે. જયારે તે શખ્સ પોતાની વાત પૂરી કરી લે છે ત્યારે ઈમામ તેમની સામે મુખાતબ થઈને કહે છે: અલ્લાહ તઆલા માફ કરી દેશે, મગર હું તો ડરી ગયો હતો કે તે કદાચ નમાઝે ફજર (સુબહ) તો કઝા નથી કરીને!
(બિહારૂલ અનવાર ભાગ ૮ પેજ ૭૩)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: મોમીન હમેશા પોતાના ઘરવાળાઓને ઇલ્મો-અદબ અને સારા અખલાક શીખવાડતો રહે છે એટલે તે તેઓને જન્નતમાં લઈ જઈ શકે.
(મુસ્તદરેકુલ વસાએલ ભાગ ૧૨ પેજ ૨૦૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: અઝાબે કબ્ર તે સખ્તિઓને અને પરેશાનીઓને કેહવામાં આવે છે જે ઈન્સાનની મોત પછી બરઝખમાં તેની કબ્રમાં સહન કરવો પડે છે.

અઝાબે કબ્ર થવાના કારણો:
1 - ચાડી ફૂકવી (ગોસિપ કરવી)
2 - તહારત અને નજાસતનું ધ્યાન ન રાખવું
3 - માણસનું વગર કારણે તેની ઘરવાળીથી દુર રહેવું
4 - પોતાના ઘરવાળાઓ સાથે સારો વ્યવહાર ન કરવો
5 - નમાઝને હલ્કી સમજવી

અઝાબે કબ્ર ન થવાના કારણો:
1 - ઈમામ હુસૈન અ.સ ની ઝિયારત કરવી
2 - નજફમાં વાદીયુસ્સલામમાં દફન થવું
3 - અહલેબૈત અ.સ થી મોહબ્બત કરવી અને ઇતાઅત કરવી
4 - જૂમેરાત અને જુમ્માના દિવસે દફન થવું
(મીઝાનુલ હીકમત ભાગ ૧૫ પેજ ૬૮-૭૦)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: બીજા કોઈની તકલીફમાં અને દુખમાં જોય ખુશ ન થાવ, કેમકે પછી અલ્લાહ તઆલા પરેશાન માણસ ઉપર મહેરબાની કરશે અને ખુશ થવાવાળા ઉપર તે પરેશાની આવ્યા દેશે.
અને બીજી એક હદીસમાં છે કે અગર કોઈ બીજાની પરેશાનીમાં ખુશ થશે તો ખુશ થવા વાળાને મારવા પહેલા તે પરેશાની આવશે.
(અલ્કાફિ ભાગ ૨ પેજ ૩૫૯)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: તે ઇન્સાન ખોટો છે જે એક કહે કે અમે તમારાથી મોહબ્બત કરીએ છીએ મગર અમારા દુશ્મનોથી નફરત નથી કરતો.
(બિહારૂલ અનવાર ભાગ ૨૮ પેજ 25)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: અગર કોઈ અલ્લાહની ખુશી માટે પોતાના મુસલમાન ભાઈની મદદ કરે અથવા તે કામ થઇ જવા માટે કોશિશ કરે તો અલ્લાહ તેને હજારો નૈકીઓ અતા કરશે અને તેના આ કામથી અલ્લાહ તેને અને તેના ખાનદાનને અને તેના પડોશીઓને અને તેના ઓળખીતા લોકોને માફ કરી દેશે.
(કાફી ભાગ ૧ પેજ ૧૯૭ હદીસ ૬)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: જનાબે ફાતેમહ ઝહરા સલામુલ્લાહ શનિવારે સવારે શહીદોની કબ્ર ઉપર (કબ્રસ્તાન) જતા.
(વસાએલુશ શીઆ ભાગ ૨ પેજ ૮૭૯)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: જયારે તમે તમારી દીકરીનું નામ ફાતેમા રાખ્યું છે તો તેને કંઈ ઊંધું સીધું ન બોલો, તેનાથી નફરત ન કરો અને તેને મારો નહિ.
(કાફી ભાગ ૬ પેજ ૪૮)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: કોઈ પણ ઇન્સાન નમાઝ પછી પોતાની જગ્યાએથી હલયા વગર (તશહુદ અને સલામ પઢયા પછી જેમ બેઠા હતા તેમ) જનાબે ફાતેમહ ઝહરા સલામુલ્લાહ અલયહા ની તસબીહ પઢશે તો અલ્લાહ તઆલા તેને માફ કરી દેશે.
(મકારેમુલ અખલાક પેજ ૨૮૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: અગર તમે લોકો ચાહો છો કે તમારી દુઆ કબુલ થાય તો તમારી પૈસાની આવકને પાક રાખો અને લોકોના હકને અદા કરો. કેમકે કોઈ પણ એવા બંદાની દુઆ બારગાહે ઇલાહીમાં નથી પોહચતી જેના પેટમાં હરામનો માલ હોય અથવા તેણે કોઈનો હક છીનવી લીધો હોય.
(મિઝાનુલ હિકમત ભાગ ૪ પેજ ૩૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: અય અમારા શીઆ ભાઈઓ! અમારી માટે ઝીનત અને ખુશીનું કારણ બનો બદનામીનું કારણ ન બનો, લોકોની સાથે સારો વ્યવહાર રાખો, સારી રીતે વાતો કરો, અને પોતાની જીભને બચાવીને રાખો અને જીભને નકામી અને ખરાબ વસ્તુથી બચાવીને રાખો.
(વસાએલુશ શીઆ ભાગ ૧૨ પેજ ૧૯૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: બેશક શરીરમાં જે બીમારીઓ હોય છે તે નખ કાપવાથી અને વાળ કાપવાથી નીકળી જાય છે. એટલે જ લોકોને હુક્મ આપવામાં આવ્યો છે કે અઠવાડિયામાં એક વખત નુરા થકી (કે જે એક જાતનો પાવડર છે) અથવા બીજી કોઈ પણ રીતે વાળ કાપે અને પોતાના નખ કાપે. વાળ અને નખ ખુબજ જલ્દી મોટા થાય છે એટલે આ વાળ અને નખ કાપવાથી શરીરમાં જે બીમારીઓ હોય છે તે બહાર નીકળી જાય છે. જો આ નખ અને વાળ મોટા થઈ જાય અને તેને કાપવામાં ન આવે તો તે વાળ અને નખ થકી જે બિમારી બહાર આવી જોઈએ તે શરીરની અંદર રહી જાય છે અને પછી અલગ અલગ બીમારીઓ અને દુખાવા શરીરમાં થવા લાગે છે.
(તોહીદે મુફઝઝલ ભાગ ૧ પેજ ૭૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: અગર કોઈ શખ્સ મોમીન ના વિરોધમાં વાતો કરે અને તે એમ ચાહતો હોય કે તે મોમીન બદનામ થઈ જાય અને લોકો વચ્ચે તેની ઈજ્જત ખતમ થઈ જાય, તો અલ્લાહ તઆલા બદનામ કરનારાને પોતાની બાર્ગાહમાંથી કાઢી મૂકશે અને શૈતાનના હવાલે કરી દેશે પરંતુ શૈતાન પણ તેને સ્વીકારશે નહિ.
(અલ્કાફી ભાગ ૨ પેજ ૩૫૮)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: જયારે તમે તમારી દીકરીનું નામ ફાતેમા રાખ્યું છે તો તેને કંઈ ઊંધું સીધું ન બોલો, તેનાથી નફરત ન કરો અને તેને મારો નહિ.
(કાફી ભાગ ૬ પેજ ૪૮)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: ઊંઘ શરીર માટે આરામદાયક છે, વાતો કરવી રૂહ માટે આરામદાયક છે, અને ચૂપ રહેવું અક્કલ માટે આરામદાયક છે.
(મન લા યહઝરહુલ ફકિહ ભાગ ૪ પેજ ૪૦૨)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: જયારે અલ્લાહ તઆલા પોતાના કોઈ બંદા માટે નેકી ચાહે છે તો એના દિલમાંથી દુનિયાની મોહબ્બત કાઢી નાખે છે અને દીને ઈસ્લામને સમજવાની મોહબ્બત નાખી દે છે અને પછી તેની દુનિયા અને આખેરત બન્ને આબાદ કરી દેવામાં આવે છે.
(ઉસૂલે કાફી ભાગ ૩ પેજ ૧૯૬)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે: આ ઉમ્મત માટે ત્રણ મહિના (ખુબજ વધારે ફઝીલતવાળા) આપવામાં આવેલ છે: માહે રજબ, માહે શાબાન અને માહે રમઝાન જે બીજી કોઈ પણ ઉમ્મતને આપવામાં નથી આવ્યા.
(વસાએલુશ શીઆ ભાગ ૮ પેજ ૨૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
મુસલમાન એ છે કે જે બીજા મુસલમાનને ખુદા માટે કર્ઝ આપે અને જયારે કોઈ કર્ઝ આપે છે તો તેને દરરોજ સદકો આપવાનો સવાબ મળે છે જ્યાં સુધી કે એ માલ પાછો માલિક પાસે આવી જાય.
(બિહારૂલ અનવાર ભાગ ૧૦૩ પેજ ૧૩૯)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
લોકોને માલ બખશિશ કરવા કરતાં કર્ઝો આપવું વધારે પસંદ કરું છું.
(બિહારૂલ અનવાર ભાગ ૧૦૩ પેજ ૧૩૯)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
તમે તમારા બાપ દાદા સાથે સરખી રીતે વર્તાવ કરો તો તમારી ઓલાદ પણ તમારી સાથે સરખી રીતે વર્તાવ કરશે.
(અલ્કાફી ભાગ ૫ પેજ ૫૫૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ પોતાના આખરી સમયમાં વસિયત કરતા ફરમાવે છે:
જે નમાઝને હલ્કી સમજશે તેઓને અમારી શેફાઅત ક્યારેય પણ નસીબ નહિ થાય.

નોટ: નમાઝને હલ્કી સમજવું એટલે નમાઝનો ટાઈમ થઈ જાય પણ આપણે બીજા બધા કામોમાં વ્યસ્ત રહીએ, જયારે અઝાનનો અવાજ સાંભળતા હોઈએ અને નમાઝનો ટાઇમ થઈ ગયો હોય છે તો પણ નમાઝને મહત્વ ન આપીએ. હકીકી શીઆને નમાઝના ટાઈમ ઉપર ઓળખવામાં આવે છે કે તે નમાઝ પઢે છે કે નહિ. જો તે નમાઝ પઢતો હોય તો સમજો કે તે હકીકી શીઆ છે. કામને કહો નમાઝનો ટાઇમ છે, નમાઝને ન કહો કામનો ટાઇમ છે.
(બિહારૂલ અનવાર ભાગ ૪૭ પેજ ૨)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે (શાબાન મહિના વિશે):
શાબાન મહિનામાં સર્વથી ઉત્તમ અમલ ઇસ્તેગફાર કરવું અને સદકો આપવું છે.
(ઇકબાલુલ આમાલ ભાગ ૩ પેજ ૨૯૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
ફળદાર ઝાડને કાપો નહિ, નહિ તો અલ્લાહ તઆલા તમારી ઉપર અઝાબ મોકલશે.
(અલ્કાફી ભાગ ૫ પેજ ૨૬૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
ખરાબ સ્વભાવ એવીજ રીતે ઈમાન ખરાબ કરી દે છે જેવી રીતે સરકા (vinegar) ને મધ (honey) ખરાબ કરી નાખે છે.
(અલ્કાફી ભાગ ૨ પેજ ૩૨૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અગર ચાહો છો કે તમારી ઈજ્જત થાય તો નર્મી કરો અને ઝલિલ થવા માંગો છો તો સખ્તી કરો.
(કાફી ભાગ ૧ પેજ ૨૬)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
લાનત છે લાનત છે તે આદમી ઉપર કે જે સમાધાન કરવા નથી માંગતો જયારે કે સામે વાળો મોમોન ભાઈ સમાધાન કરવા માંગે છે.
(મીઝાનુલ હિકમત ભાગ ૧ પેજ ૭૮)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અલ્લાહ તઆલાએ રોઝાને વાજિબ કર્યા છે એ માટે કે અમીર અને ગરીબ (રમઝાન મહિનામાં) બરાબર થઇ જાય.
(મન લા યહઝરહુલ ફકીહ ભાગ ૨ પેજ ૪૩)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે રોઝો રાખો તો આંખનો, કાનનો, વાળનો, અને શરીરના (બધા જ ભાગનો) રોઝા રાખો. (એટલે બધીજ વસ્તુમાં ગુનાહોથી બચો).
(અલ્કાફી ભાગ ૪ પેજ ૮૭)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જો કોઈ એક મોમીનને ઈફતારી કરાવે તો એક વર્ષના ગુનાહોનો કફ્ફારો થઈ જશે અને જો બે મોમીનને ઈફતારી કરાવે તો અલ્લાહ તઆલા તેને જન્નત અતા કરશે.
(વસાએલુશ શીઆ ભાગ ૭ પેજ ૧૦૮)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
સરખી રીતે નમાઝ પઢો અને આખેરત માટે ઝિંદગી ગુજારો અને જેમાં તમારી ભલાઈ હોય તેવા કામ કરો. કયારેક લોકો દુનિયાના કામોમાં હોશિયાર અને કામયાબ હોય છે તો બીજા લોકો એમ સમજે છે કે જોવો આ કેવી હોશિયાર છે!!!

જયારે હકીકત માં હોશિયાર અને કામિયાબ એ છે જે આખેરતના કામોમાં હોશિયાર હોય.
(અમાલી શૈખ મુફીદ મજલીસ 23)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
વર્ષની શરૂવાત શબે કદ્રથી થાય છે તો આ રાત્રે આવતા વર્ષ સુધીના ઓમુર (કાર્યો) લખવામાં આવે છે.
(વસાએલુશ શીઆ ભાગ ૭ પેજ ૨૫૮)
આપણી ફેમિલીને જહન્નમની આગથી કેવી રીતે બચાવી શકીએ?
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે (સૂરએ તેહરીમ આયત નં 6 વિશે):
તમે તમારી ફેમિલીને તે વસ્તુ કરવાનો હુક્મ આપો જે વસ્તુ કરવાનો અલ્લાહે હુક્મ આપીયો છે અને જે વસ્તુની અલ્લાહે મનાઈ કરેલ છે તેનેથી બચવાનું કહો.

જો તેઓએ તમારી વાત માની લીધી તો તેઓ જહન્નમની આગથી બચી જશે અને જો તેઓએ તમારી વાત ન માની તો તમે તમારી ફરજ બજાવી દીધી.
(તોહફુલ ઓકુલ પેજ ૨૩૭)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
રોઝાઓ સંપૂર્ણ પૂરા ત્યારે થાય છે જ્યારે ઝકાતે ફિત્રા અદા કરવામાં આવે એવીજ રીતે નમાઝ સંપૂર્ણ ત્યારે થાય છે જ્યારે નબી ઉપર સલવાત પઢવામાં આવે છે.
(વસાએલુશ શીઆ ભાગ ૬ પેજ ૨૨૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
ત્રણ વસ્તુ કયામતના દિવસે અલ્લાહ પાસે લોકોની ફરિયાદ કરશે:
1️⃣ એ સુન-સાન અને ખાલી મસ્જિદ ફરિયાદ કરશે જેમાં લોકો નમાઝ પઢવા નહિ આવતા હોય.
2️⃣ એ આલિમ અને મોલાના, જાહિલો અને અનપઢ લોકોની ફરિયાદ કરશે કે તેમની પાસે કોઈ ઇલ્મ લેવા નહોતુ આવતુ.
3️⃣ એ કુરઆને મજીદ જે લોકોના ઘરમાં તો હશે મગર તેને કોઈ પઢતું નહિ હોય અને તેની ઉપર ધૂળ ચડી ગઈ હોય.
(અલ્કાફિ ભાગ ૩ પેજ ૬૧૩)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જો કોઈ રઇસ બનવાની ચાહત રાખે છે (કૂર્સી અને ગાદીની ચાહત) તો તેણે પોતાને બરબાદ કરી દિધો.
(કાફી ભાગ ૨ પેજ ૨૯૭)
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે:
મને તે ઇન્સાન ઉપર અફસોસ થાય છે જેને ખાવા પીવાની પરહેઝી કરવાનું કેહવામા આવે તો તે પરહેઝી કરે છે કેમકે તે પોતાને નુકસાનથી બચાવા માંગે છે પરંતુ જયારે ગુનાહોથી પરહેઝ કરવાનું કેહવામાં આવે તો પરહેઝ નથી કરતો જેથી તે બુરાઈથી બચીને રહી શકે.
(કશફુલ ગમ્માં ભાગ ૨ પેજ ૧૦૭)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
દુનિયા દરિયાનાં પાણીની જેવી છે જે કોઈ તરસિયો ઇન્સાન દરિયાનું પાણી પીવા જશે તેની તરસ વધતી જશે અને પછી તે દરિયાનું પાણી તેને મારી નાખશે.
(ઉસુલે કાફી ભાગ ૩ પેજ ૨૦૫)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
કોઈ પણ સારા કાર્યને નાનું એવું ન સમજો કેમકે કાલે કયામતના દિવસે તમે તેને એવું સુંદર અને સરસ મજાનું જોશો કે તમે ખુશ ખુશાલ થઈ જશો.
(બિહારૂલ અનવાર ભાગ ૭૧ પેજ ૧૮૨)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
બેહતરીન અમલ જુમ્માના દિવસે હઝરત મોહમ્મદ અને તેમની ઓલાદ ઉપર સલવાત મોકલવા સિવાય બીજું કંઈ નથી.
(અલખેસાલ પેજ ૩૯૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અલ્લાહ તઆલાએ જન્નતને બનાવી અને તેને ખુશ્બુથી સુગંધિત કરવામાં આવી અને આ ખુશ્બુની સુગંધને જન્નતી લોકો ૨૦૦૦ વર્ષની દુરીથી સૂંઘી શકે છે મગર આ જન્નતી ખુશ્બુની સુગંધ પણ તેઓના નસીબમાં નથી કે જેઓ માં-બાપની નાફરમાની કરે છે અને પોતાના સગા સબંધીઓ સાથે સબંધ તોડી નાખે છે.
(અલ્ગયબહ શૈખ તુસી પેજ ૧૯૭)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
દરરોજ આ ટાઈમ (દિવસ) જનાબે આદમ અ.ની ઓલાદ (તમામ લોકો) ને પુકારે છે અને કહે છે કે આજે હું તમારા માટે એક નવો દિવસ છું અને તમારી બધીજ વસ્તુ માટે હું ગવાહ છું તો સારા અને નૈક કામ કરો જેથી કયામત ના દિવસે હું તમારા માટે ફાયદાકારક ગવાહી આપુ કેમકે એ ઘડી પછી ફરી વખત નથી આવાની.
(મીઝાનુલ હિકમત. ભાગ ૮ પેજ ૨૮૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
લોકો ગુનાહોના લીધે વધારે મરી રહ્યા છે સિમ્પલ અને સાદી મોત કરતા.
(બિહારૂલ અનવર ભાગ ૪ પેજ ૩૫૬)
નોટ: બધાજ લોકોની મોતનો એક ખાસ સમય છે પરંતુ જો લોકો ગુનાહ કરશે તો તેની મોત તેની પાસે જલ્દી આવી જશે.
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
એક ઓરત માટે સારું નથી કે તે જયારે ઘરની બહાર નીકળે તો એવા કપડાં પેહરે કે બીજા લોકોનું ધ્યાન તેની ઉપર આકર્ષીત થાય.
(કાફી ભાગ ૫ પેજ ૫૧૯)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
તંગદિલ માણસ ઈલ્મ શિખવા માં શરમ કરે છે. એટલે તે ઈલ્મ અને દીની મસાએલથી મેહરૂમ (વંચિત) રહે છે. ઈલ્મ મેળવવામાં શરમ ન કરો.
(અલ કાફી)
નાના બચાઓનું રોવાનું અને હસવાનું કારણ (હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે):
કોઈ પણ એવું બચું નથી જે પોતાના ઝમાનાના ઇમામને ન જોતું હોય! કેમકે જયારે તે ઇમામને જોવે છે તો તે ખુશ થાય છે અને હસવા લાગે છે અને જયારે ઇમામ તેની નજરોથી ગાયબ થાય છે તો બચાઓ રડવા લાગે છે.

અને જયારે બચાઓ બોલવાનું શરૂ કરે છે તો તેની ઉપરથી આ નઝારાનો દરવાજો બંધ કરી દેવામાં આવે છે અને તેના દિલમાં ભૂલવાનો સિક્કો મારી દેવામાં આવે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૨૫ પેજ ૩૮૨)
નામેહરમ તરફ ન જોવો (હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે):
નાપાક અને ખરાબ નજર ન નાખો આવી નજર દિલમાં હવસના બીજ વાવવે છે અને આ નાપાક નજર કરવાવાળા ફીતના અને ફસાદ તરફ લઈ જાય છે.
(તોહફુલ ઓકુલ પેજ ૩૦૫)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
ત્રણ સમય અને ટાઇમ એવા છે જયારે અલ્લાહ અને દુઆની વચ્ચેથી પરદો હટી જાય છે (એટલે આ સમય ઉપર દુઆ કરવામાં આવે તો દુઆ કબૂલ થાય છે):
1. દરેક વાજીબ નમાઝ પછી
2. જયારે વરસાદ વરસે ત્યારે
3. અલ્લાહની કોઈ પણ કુદરત અચાનક દેખાય ત્યારે જે બધા કરતાં અલગ હોય.
(અમાલી શૈખ તુસી પેજ ૨૮૦)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જો કોઈ પોતાના માલને અલ્લાહની રાહમાં ખર્ચ નહિ કરે તો પછી તે માલ અલ્લાહની નાફરમાનીમાં ખર્ચ થઈ જશે.
(બિહારૂલ અનવાર ભાગ ૯૩ પેજ ૧૩૦)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અમારા શિયાઓની ત્રણ જગ્યા ઉપર પરીક્ષા લ્યો:
1️⃣ નમાઝના સમયે જોવો કે તે નમાઝને મહત્વ આપે છે કે નહિ (નમાઝને મહત્વ આપે છે તો શિયા, નહિ તો નથી).
2️⃣ એક બીજાની રાઝની અને અંદરની વાત છુપાવે છે કે લોકો ને બતાવે છે તે જોવો (જો તે રાઝની વાત છુપાવે છે તો શિયા છે, નહિ તો નથી).
3️⃣ પોતાના માલ અને પૈસાથી બીજાનું ધ્યાન રાખે છે અને મદદ કરે છે કે નહિ (જો મદદ કરે છે તો શિયા, નહિ તો નથી).
(વસાએલુશ શિયા ભાગ ૪ પેજ ૧૧૨)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જેટલી પણ દુઆ કરવી હોય કરો અને દુઆ કરવામાં ઉતાવળ કરો કેમકે અર્ફાનો દિવસ દુઆનો દિવસ છે, અલ્લાહની પાસે માંગવાનો દિવસ છે.
(તેહઝીબુલ ઇસ્લામ ભાગ ૫ પેજ ૧૮૨)
દુઆ કેવી રીતે માંગવી? (હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે):
પહેલા અલ્લાહ તઆલાના વખાણ અને તારીફ કરો પછી પોતાના ગુનાહ યાદ કરીને તેની માફી માંગો અને પછી અલ્લાહ પાસે જે ચાહો છો તે માંગો.
(બિહારૂલ અનવાર ભાગ ૯૩ પેજ ૩૧૮)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
આજના દિવસે (ઈદે ગદીર) ના કોઈ શખ્સ મોમીન ભાઈને એક દિરહમ (ચાંદીનો સિક્કો) આપે તો તેણે એક હજાર દિરહમ આપ્યા જેટલો સવાબ મળે છે,
તો આજના દિવસે મોમીનો એક બીજાને ઇદી આપીને ખુશ કરો.
(મિસબાહુલ મુજતહીદ પેજ ૭૩૭)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
નેક ઔરતની બરાબરી સોના ચાંદી જેવી કોઈ પણ વસ્તુ નથી કરી શકતી કારણકે તે સોના ચાંદી કરતા પણ વધારે બેહતર અને ફાયદાકારક હોય છે.
(વસાએલુશ શિયા ભાગ ૧૪ પેજ ૧૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ ઇન્સાન ઈમામ હુસૈન અ.સના ઉપર શેર પઢે અને તે પોતે પણ રડે અને બીજાને પણ રડાવે તો અલ્લાહ તઆલા તેની ઉપર જન્નત વાજીબ કરી દે છે અને તેના ગુનાહો માફ કરી દે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૪૪ પેજ ૨૮૨)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
બની ઉમયયા (લાનતી) કે જેઓ શામ માં રેહતા હતા તેઓએ નજર માની હતી કે જો ઈમામ હુસૈન જંગમાં કતલ થઈ જાય અને આલે સુફયાનને હુકુમત મળી જાય તો તે દિવસને ઈદ બનાવશે અને શુક્ર માનીને રોઝો રાખશે.
(અમાલી શૈખ તુસી પેજ ૬૬૭)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
બધીજ વસ્તુનો સવાબ નક્કી થયેલ છે પરંતુ અમારા ગમમાં રડવાનો સવાબ બેહીસાબ છે.
(કામેલુઝ ઝિયારત ભાગ ૧ પેજ ૧૦૬)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જેની પાસે અક્કલ છે તેની પાસે દીન છે અને જેની પાસે દીન છે તે જન્નતમાં જશે.
(કાફી ભાગ ૧ પેજ ૧૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
દિલ ખુદાનું હરમ છે તો ખુદાના હરમમાં ખુદા સિવાય બીજા કોઈને જગ્યા ન આપો.
(જામેઉલ અખબાર પેજ ૫૧૮)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
નમાઝ જારી અને વેહતા પાણી જેવી નહેર છે જયારે ઇન્સાન બે નમાઝ પઢે છે તો બન્ને નમાઝ વચ્ચે જે ગુનાહ થયા હોય તે માફ થઈ જાય છે (એટલે જેવી રીતે નહેર એક ઇન્સાનને પાક અને સાફ કરી દે છે એવીજ રીતે ઇન્સાનની રૂહ નમાઝ થકી પાક થઈ જાય છે).
(વસાએલુશ શીઆ ભાગ ૩ પેજ ૭)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અલ્લાહ તઆલા ઈમામ હુસૈન અ.સ.ની કબ્રની ઝિયારત માટે સીત્તેર હજાર ફરિશ્તાઓ નક્કી કરેલ છે જેઓ ગમગીન હાલતમાં કયામત સુધી ત્યાં રડતા રહશે અને ત્યાં નમાઝ અદા કરતા રહશે અને એક ફરિશ્તાની નમાઝ હજાર આદમીઓની નમાઝ બરાબર હશે. અને તે નમાઝનો અજ્ર અને સવાબ ઈમામ હુસૈન અ.સ.ની ઝિયારત કરવા માટે આવેલને અતા કરવામાં આવશે.
(કામેલુઝ ઝિયારત પેજ ૨૮૭)
આપણી નમાઝ કબૂલ થઈ કે નહિ કેવી રીતે ખબર પડે? (હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે):
જો કોઈ ચાહતું હોય કે તે જાણે કે તેની નમાઝ કબૂલ થઈ છે કે નહિ તો તેને એ જોવાનું કે નમાઝ પઢયા પછી તે બુરાઈ અને અલ્લાહે મનાઈ કરેલ વસ્તુ કરે છે કે નહિ; અને પછી જેટલી હદમાં તેની નમાઝ (તેને ગુનાહ કરવાથી) રોકે છે એટલી તેની નમાઝ કબૂલ છે. (એટલે નમાઝ પછી જો તે ગુનાહ નથી કરતો તો નમાઝ કબૂલ છે).
(બિહારૂલ અનવાર ભાગ ૮૨ પેજ ૧૯૮)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
બગાસું શૈતાન તરફથી હોય છે અને છીંકવું અલ્લાહ તઆલા તરફથી.
(બિહારૂલ અનવાર ભાગ ૭૬ પેજ ૫૨)
જહન્નમના રહેવાસીઓ કેમ હમેશા જહન્નમમાં રહેવાના છે? (હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે):
એ માટે તેઓ હંમેશા જહન્નમમાં રહશે કે તેઓની નિય્યત એ હોય છે કે જ્યાં સુધી તેઓ આ દુનિયામાં રહશે અલ્લાહની ના-ફરમાની અને ગુનાહ કરતા રહશે.

અને જન્નતના રહેવસીઓ હંમેશા જન્નતમાં રહશે કારણકે તેઓની નિય્યત એ હોય છે કે જ્યાં સુધી આ દુનિયામાં રહશે હંમેશા અલ્લાહની ઈતાઅત કરશે અને હુક્મ માનશે.

તો બન્ને ગ્રુપ પોતાની નિય્યતના આધારે હંમેશા જહન્નમ અથવા જન્નતમાં રહશે.
(ઉસુલે કાફી ભાગ ૩ પેજ ૧૬૫)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
બેહતરીન અમલ જુમ્માના દિવસે હઝરત મોહમ્મદ અને તેમની ઓલાદ ઉપર સલવાત મોકલવા સિવાય બીજું કંઈ નથી.
(અલખેસાલ પેજ ૩૯૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અલ્લાહ તઆલાએ જન્નતને બનાવી અને તેને ખુશ્બુથી સુગંધિત કરવામાં આવી અને આ ખુશ્બુની સુગંધ જન્નતી લોકો ૨૦૦૦ વર્ષની દુરીથી સૂંઘી શકે છે મગર આ જન્નતી ખુશ્બુની સુગંધ પણ તેઓના નસીબમાં નથી કે જેઓ માં-બાપની નાફરમાની કરે છે અને પોતાના સગા સબંધીઓ સાથે સબંધ તોડી નાખે છે.
(અલ્ગયબહ શૈખ તુસી પેજ ૧૯૭)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અલ્લાહ કદી પણ મોમીન માટે દરવાજો બંધ નથી કરતો જ્યા સુધી તેની કરતા પણ બેહતર દરવાજો ન ખોલે.
(બિહારૂલ અનવાર ભાગ ૫૨ પેજ ૭૨)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જો કોઈ પોતે કરબલા ન જઈ શકતું હોય પરંતુ બીજા કોઈને કરબલા જવા માટે મદદ કરે તો અલ્લાહ તઆલા તે ઇન્સાનને જેટલો ખર્ચ કર્યા હશે એના બદલામાં ખુબજ વધારે અતા કરશે અને તેની પરેશાનીઓ દૂર કરી દેશે.
(કામેલૂઝ ઝિયારત પેજ ૧૩૬)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ઝિયારતે અરબઈનમાં ફરમાવે છે:
અય અલ્લાહ! બેશક હું તને ગવાહ બનાવું છું કે ખરેખર હું તેમને દોસ્ત રાખું છું જે ઈમામ હુસૈનને દોસ્ત રાખે છે અને હું તેઓને દુશ્મન રાખું છું જે ઈમામ હુસૈનને દુશ્મન રાખે છે, અને મારા માં બાપ તમારી ઉપર કુરબાન થાય અય ફરઝંદે રસુલ! (ઈમામ હુસૈન અલય્હિસ્સલામ)
(ઝિયારતે અરબઈન મફાતીહુલ જીનાન)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
અત્તર લગાડીને ઇન્સાનની બે રકાત નમાઝ; વગર અત્તરે ૭૦ રકાત નમાઝ કરતા વધારે બેહતર છે.
(વસાએલુશ શીઆ ભાગ ૪ પેજ ૪૩૫)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે ઘરમાં કુરઆન મજીદની તિલાવત નથી થતી (પઢવામાં નથી આવતું), અલ્લાહ તઆલાને યાદ નથી કરતા તો તે ઘરમાં ત્રણ પરેશાનીઓ આવે છે:
૧. તે ઘરમાં બરકત ઓછી થઇ જશે (હંમેશા પૈસાની પ્રોબ્લમ રહશે).
૨. તે ઘરમાંથી ફરિશ્તાઓ નીકળી જશે (અલ્લાહની ખાસ રહમત તે ઘરમાં નાઝીલ નહિ થાય).
૩. અને શૈતાન તેના ઘરમાં ઘુસી જશે (તો તે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડો વધી જશે).
(કાફી ભાગ ૨ પેજ ૪૯૯)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
ઇસરાફ (ફિઝૂલ ખર્ચી) શરીરને અને માલને નુકસાન પહોંચાડે છે.
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
તે ઇન્સાન ખોટો છે જે એમ કહે કે અમે તમારાથી મોહબ્બત કરીએ છીએ મગર તમારા દુશ્મનોથી નફરત નથી કરતો.
(બિહારૂલ અનવાર ભાગ ૨૮ પેજ ૨૫)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે કોઈ મોમીન પોતાના દીની ભાઈ ઉપર તોહમત આક્ષેપ લગાવે છે તો એમના દિલમાંથી ઈમાન એવી રીતે ખતમ થઈ જાય છે જેવી રીતે પાણીમાં મીઠું ભળી જાય છે.
(ઉસુલે કાફી ભાગ ૨ પેજ ૩૬૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
લાનત છે લાનત છે તે આદમી ઉપર કે જે સમાધાન કરવા નથી માંગતો જયારે કે સામે વાળો મોમોન ભાઈ સમાધાન કરવા માંગે છે.
(મીઝાનુલ હિકમત ભાગ ૧ પેજ ૭૮)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
વુઝુ કર્યા પછી વુઝુના અવ્યવોને લૂછવાથી એક નેકી મળે છે અને જો તે અવ્યવોને લૂછવામાં ન આવે અને તેની મેળે સુકાઈ જાય તો ૩૦ નેકી તેની માટે લખવામાં આવે છે.
(અલ્કાફી ભાગ ૩ પેજ ૭૦)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જે કોઈ પોતાના પાડોશીના ગુનાહ કરવાની માહિતી રાખતો હોય અને તેને ગુનાહ કરવાથી રોકે નહિ તો તે પણ ગુનાહમાં ભાગીદાર છે.
(ઈર્શાદુલ કૂલુબ ભાગ ૧ પેજ ૧૮૩)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
બેહતરીન અખલાક આ દસ નેકી માં છે જો બની શકે તો આ બધીજ વસ્તુ ઉપર અમલ કરવો:
૧. પરેશાનીમાં મક્કમતા અને સબ્ર
૨. સાચું બોલવું
૩. અમાનતદારી
૪. સગા સંબંધીઓ સાથે સારો સબંધ
૫. મહેમાન નવાઝી
૬. જરૂરતમંદને ખોરાક આપવો
૭. કોઈ પણ નેક કામ કરતા ભૂલી ગયા હોય તો તરતજ કરી લેવું
૮. પાડોશીનો હક અદા કરવો અને તેનો એહતેરામ કરવો
૯. દોસ્તોનો હક અદા કરવો અને તેમનો એહતેરામ કરવો
૧૦. અને આ બધીજ વસ્તુમાં મહત્વની વાત નમ્રતા નિભાવી છે.
(ગોરરૂલ હિકમ ભાગ ૬ પેજ ૪૪૧)
બચ્ચાઓને દુશ્મનોથી દુર રાખો (હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે):
ગુમરાહ અને બગડેલા લોકો તમારા બચ્ચાઓને બગાડે તેની પહેલા માસૂમીનની હદીસ દ્વારા તેમને દીની તાલીમ આપો.
(કાફી ભાગ ૬ પેજ ૪૭)
નખ અને વાળ કાપવા (હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે):
બેશક શરીરમાં જે બીમારીઓ હોય છે તે નખ કાપવાથી અને વાળ કાપવાથી નીકળી જાય છે, એટલે જ તે લોકોને હુક્મ આપવામાં આવ્યો છે કે અઠવાડિયામાં એક વખત નુરા થકી (કે જે એક જાતનો પાવડર છે) અથવા બીજી કોઈ પણ રીતે વાળ કાપે અને પોતાના નખ કાપે, વાળ અને નખ ખુબજ જલ્દી મોટા થાય છે એટલે આ વાળ અને નખ કાપવાથી શરીરમાં જે બીમારીઓ હોય છે તે બહાર નીકળી જાય છે અને જો આ નખ અને વાળ મોટા થઈ જાય અને તેને કાપવામાં ન આવે તો તે વાળ અને નખ થકી જે બિમારી બહાર આવી જવી જોઈએ તે શરીરની અંદર રહી જાય છે અને પછી અલગ અલગ બીમારીઓ અને દુખાવા શરીરમાં થવા લાગે છે.
(તોહીદે મુફઝઝલ ભાગ ૧ પેજ ૭૧)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જો તમારે જોવું હોય કે અલ્લાહના નજીક તેમારો શું મરતબો છે તો તે જોવે કે અલ્લાહનો મરતબો પોતાના નજીક કેટલો છે, કેમ કે અલ્લાહ તેના બંદાનો મરતબો એજ મુજબ રાખે છે કે જેટલો અલ્લાહનો મરતબો બંદો પોતાના દિલો જાનમાં રાખે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૧ પેજ ૧૫૬)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
મજૂરનો પસીનો સુકાય તેની પેહલા તેની મજૂરી અદા કરી આપો.
(કાફી ભાગ ૫ પેજ ૨૮૯)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
ત્રણ પ્રકારના લોકોની ત્રણ જગ્યા ઉપર ઓળખાણ થાય છે:
૧. નમ્ર અને સહનશીલતાવાળો વ્યક્તિ ગુસ્સાના સમયે.
૨. તાકાતવર ઇન્સાન જંગના સમયે.
૩. અને ભાઈની જરુરતના સમયે ઓળખાણ થાય છે.
(તોહફુલ ઓકુલ પેજ ૩૧૫)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
બધાજ દુખાવાની એક દવા છે અને ગુનાહોની દવા ઇસ્તેગફાર છે.
(ઉસૂલે કાફી ભાગ ૬ પેજ ૪૨)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
તમો લડાઈ ઝગડાથી બચીને રહો કેમકે આ બન્ને વસ્તુ દિલને બીમાર કરી દે છે.
(તજલ્લિયાતે હિકમત પેજ ૪૫૬)
અમુક ઇન્સાનને તો શૈતાન પણ ધિક્કારે છે (હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે):
અગર કોઈ શખ્સ મોમીનના વિરોધમાં વાતો કરે અને તે એમ ચાહતો હોય કે તે મોમીન બદનામ થઈ જાય અને લોકો વચ્ચે તેની ઈજ્જત ખતમ થઈ જાય, તો અલ્લાહ તઆલા બદનામ કરવા વાળા ઇન્સાનને પોતાની બાર્ગાહમાંથી કાઢી મૂકશે અને શૈતાનના હવાલે કરી દેશે પરંતુ શૈતાન પણ તેને સ્વીકારશે નહિ.
(અલ્કાફી ભાગ ૨ પેજ ૩૫૮)
કુરાન જોઈને પઢવાનો સવાબ (હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે):
જે કોઈ કુરાનના પેજને જોઈને પઢે (એટલે આખું કુરાન પોતાની સામે રાખે અને પઢે) તો તેની આંખની બીનાઈ વધશે, અને તેની આંખ કમજોર નહિ થાય અને તેના મમ્મી પપ્પાના અઝાબમાં ઘટાડો થશે પછી ભલે તેના મમ્મી પપ્પા કાફિર હોય.
(અલ્કાફી ભાગ ૨ પેજ ૬૧૩)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે કોઈ મોમીન ગુનાહ કરે છે તો અલ્લાહ તઆલા તેને સાત કલાકનો સમય આપે છે કે તે માફી માંગી લે અને તોબા કરી લે જો તે આ સમય દરમિયાન તોબા કરી લેશે તો તેના ગુનાહ લખવામાં નહિ આવે.
(કાફી ભાગ ૪ પેજ ૨૪૦)
નોટ: આ હદીસ ખાલી મોમીન માટે છે. જયારે શૈતાન તેને બેહકાવી દે છે તો અલ્લાહ મોમીનને સાત કલાકનો સમય આપે છે કે આ મોમીન તોબા કરી લે એટલે તેની માટે ગુનાહ લખવામાં ન આવે કારણકે અલ્લાહ પોતાના મોમીન બંદા ઉપર ખુબજ મહેરબાન હોય છે. આ હદીસ કોઈ ગુનેહગાર ઇન્સાન માટે નથી જે દરરોજ ગુનાહ કરતો હોય દરરોજ અલ્લાહની નાફરમાની કરતો હોય તેના ગુનાહ તો ત્યારે જ લખી લેવામાં આવે છે.
પાંચ ગ્રુપના લોકોને શૈતાન બહેકાવી નથી શકતો (હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે):
શૈતાન કહે છે આ પાંચ ગ્રુપના લોકોને હું બેહકાવી શકતો નથી:
૧. જે કોઈ સાચ્ચા દિલથી ખૂલુસની સાથે અલ્લાહની ઇબાદત કરે અને અલ્લાહ ઉપર પૂરે પૂરો ભરોસો રાખે.
૨. જે કોઈ રાત દિવસ વધારેમાં વધારે તસબીહ પઢે.
૩. જે પોતાની માટે પસંદ કરે છે તે જ પોતાના મોમીન ભાઈ માટે પસંદ કરે.
૪. જયારે કોઈ મુસીબત આવે તો સબ્ર કરે, ઉતાવળો ન થાય.
૫. જે પણ અલ્લાહે અતા કરેલ છે તેની ઉપર શુક્ર અદા કરે અને ગમગીન ન રહે, કે મને કેમ ન આપ્યું.
(અલ્ખેસાલ ભાગ ૧ પેજ ૨૮૫)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ એક શખ્સ કે જેણે પોતાની દીકરીનું નામ ફાતેમહ રાખ્યું હતું તેને ફરમાવ્યું:
જયારે તમે તમારી દીકરીનું નામ ફાતેમા રાખ્યું છે તો તેને કંઈ ઊંધું સીધું ન બોલો, તેનાથી નફરત ન કરો અને તેને મારો નહિ.
(કાફી ભાગ ૬ પેજ ૪૮)
જનાબે ફાતેમાને શા માટે ઝહરા કહેવામાં આવે છે? (હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે):
ઝહરા એટલે ચમક થાય, એટલે જનાબે ઝહરા સ.અ. જયારે નમાઝ માટે મેહરાબ ઉપર જતા અને મુસલ્લે ઇબાદત ઉપર ઊભા રહેતા તો આપ હઝરતનું નુર આસમાન સુધી પોહચતું, જેવી રીતે આસમાનના સિતારાઓનું નુર જમીનમાં રેહતા લોકો સુધી પોહચે છે. એટલે આપ હઝરતને ઝહરા કહેવામાં આવે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૪૩ પેજ ૧૨)
નમાઝનું મહત્વ અને ઇસ્તેખારો (હઝરત ઈમામ સાદિક અલય્હિસ્સલામ):
એક શખ્સને ઇસ્તેખારામાં ના આવ્યા છતાં સફર કર્યો અને ફાયદો થયો. જ્યારે તેણે ઈમામને આશ્ચર્ય સાથે જણાવ્યું ત્યારે ઈમામ મુસ્કુરાયા અને કહ્યું કે તને યાદ છે જ્યારે તું સફરમાં હતો અને તું થાકી ગયો હતો અને નમાઝે ફજર કઝા થઈ ગઈ? તે શખ્સે હા પાડતા ઈમામે કહ્યું: એ માટેજ ઇસ્તેખારો ન આવ્યો હતો, તને દુનિયામાં તો ફાયદો થવાનો હતો પરંતુ આખેરતમાં નુકસાન થવાનું હતું.

ત્યારે ઈમામ કહે છે જો અલ્લાહ તઆલાએ તને જેટલી પણ વસ્તુ આ દુનિયામાં આપેલ છે એ બધીજ વસ્તુ તું બીજા કોઈને આપી દે તો પણ એ કઝા નમાઝની અદાયગી ન થઈ શકે.
(કિતાબનું નામ જેહાદ બા નફસ આયતુલ્લાહ મઝાહેરી ભાગ ૩ પેજ ૨૭)
નોટ: ખાલી એક નમાઝ કઝા કરવાથી દુનિયાની બધીજ મિલકત માલને તમે બીજા કોઈને દાન કરી દો તો એ માલના સવાબ કરતા વધારે એ કઝા નમાઝનો અઝાબ, વધારે છે જે આ દુનિયાની કોઈ પણ વસ્તુથી અદા થઈ શકે નહિ, તો કદી પણ નમાઝ કઝા ન થવી જોઈએ.
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
શિયાળો મોમીન માટે વસંત (બહાર) નું મોસમ છે તેની મોટી રાતોમાં ઇબાદત કરીને ફાયદો ઉપાડો અને દિવસો નાના હોય છે તો રોઝા રાખી ફાયદો ઉપાડો.
(અમાલી શૈખ સદુક પેજ ૨૩૭)
મોલા અલી અ.સ.નું ઘરના કામોમાં સાથ અને સહકાર (હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે):
અમારા દાદા મોલા અલી અ.સ. ઘરના કામો માટે (૧) લાકડી ભેગી કરતા (૨) પાણી ભરવા જતા (૩) ઘરમાં ઝાડું મારતા, અને અમારા દાદી જનાબે ફાતેમા ઝહરા સ.અ. ઘવ અને જવ પિસ્તા અને લોટ બનાવતા અને રોટલી બનાવતા.
(વસાએલુશ શીઆ ભાગ ૧૨ પેજ ૨૪)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
દરરોજ સવાર સાંજ આ ઝિક્ર પઢવાનું ભૂલો નહિ, કેમકે આ ઝિક્ર દરેક બુરાઈથી બચાવીને રાખે છે.

((બિસ્મિલ્લાહે વ બિલ્લાહે)) / ((بسم الله و بالله))
(બિહારૂલ અનવાર ભાગ ૮૩ પેજ ૨૮૩)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
મુસલમાન એ છે કે જે બીજા મુસલમાનને ખુદા માટે કર્ઝ આપે અને જયારે કોઈ કર્ઝ આપે છે તો તેને દરરોજ સદકો આપવાનો સવાબ મળે છે જ્યાં સુધી કે એ માલ પાછો માલિક પાસે આવી જાય.
(બિહારૂલ અનવાર ભાગ ૧૦૩ પેજ ૧૩૯)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
સદકો જો રાતના આપવામાં આવે તો અલ્લાહ તઆલાનો ગઝબ અને ગુસ્સો ખતમ કરી દે છે, મોટા મોટા ગુનાહ માફ થઈ જાય છે અને કયામતના દિવસે હિસાબ કિતાબ આસાન થઈ જશે. અને જો દિવસના આપવામાં આવે તો તેના રિઝ્કમાં વધારો થશે અને ઝીંદગી લાંબી થશે.

બીજી એક રિવાયત ઈમામ સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
ઝાહેરી સદકો આપવાથી ૭૦ બલાઓ દૂર થાય છે અને છૂપી રીતે સદકો આપવાથી અલ્લાહનો ગઝબ અને ગુસ્સો દૂર થાય છે.
(વસાએલુશ શીઆ ભાગ ૫ પેજ ૩૬૭)
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
કયામતના દિવસે રસૂલે ખુદા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમની ઓલાદમાંથી બધા કરતા પહેલા જનાબે મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદતનો બદલો લેવામાં આવશે, અને જે એ જનાબે મોહસીન અ.સ.ને શહીદ કર્યા તેનો વારો પહેલા લેવામાં આવશે અને પછી કુનફૂઝની વારો લેવામાં આવશે.
(કામેલુઝ ઝિયારત પેજ ૩૩૪)